SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૦૦-૧૩૦૧ ૨૫o, ગાથા : तत्तो वि कीरमाणे ओहणिसेहुब्भवो तहिं दोसो । जायइ फलसिद्धीए वि एवं एत्थं पि विण्णेअं ॥१३०१॥ અન્વયાર્થ: તો વિતેનાથી પણ=વૈદ્યશાસ્ત્રના વચનથી પણ, વીરમા (દાહ) કરાતે છતે તદિં ત્યાં=દાહ દેવામાં, સિદ્ધીવિત્રફળની સિદ્ધિ હોતે છતે પણ સેક્સવો તોલો ઓઘથી નિષેધના ઉદૂભવવાળો દોષ નાયડુ થાય છે; પર્વ એ રીતે સ્થિ પિકઅહીં પણ=વેદમાં પણ, વિપળો-જાણવું. ગાથાર્થ : વૈધશાસ્ત્રના વચનથી પણ દાહ કરાતે છતે દાહ દેવામાં ફળની સિદ્ધિ હોતે છતે પણ ઓઘથી નિષેધના ઉદ્ભવવાળો દોષ થાય છે, એ રીતે વેદમાં પણ જાણવું. ટીકા : ___ ततोऽपि वचनात् क्रियमाणेऽपि दाहे ओघनिषेधोद्भव इत्यौत्सर्गिकनिषेधविषयः तत्र दोषोदुःखकरत्वलक्षणो जायते फलसिद्धावपि गण्डक्षयादिरूपायां सत्याम्, एवमत्रापि-वेदे विज्ञेयं, चोदनातोऽपि प्रवृत्तस्य फलभावेऽप्युत्सर्गनिषेधविषयो दोष इति गाथार्थः ॥१३०१॥ ટીકાર્ય : તે પણ વચનથી=વૈદ્યશાસ્ત્રના પણ વચનથી, દાહ કરાતે છતે પણ ત્યાં દાહ દેવામાં, ગંડના ક્ષયાદિરૂપ ફળની સિદ્ધિ હોતે છતે પણ ઓઘથી નિષેધના ઉદ્ભવવાળો=ઔત્સર્ગિક નિષેધના વિષયવાળો, દુઃખકરત્વલક્ષણ દુઃખ કરનારપણાસ્વરૂપ, દોષ થાય છે; એ રીતે અહીં પણ વેદમાં પણ, જાણવું. વેદમાં શું જાણવું? તે સ્પષ્ટ કરે છે – ચોદનાથી પણ પ્રવૃત્તિને ફળના ભાવમાં પણ ઉત્સર્ગથી નિષેધના વિષયવાળો દોષ થાય છે–વેદવચનની પ્રેરણાથી પણ યાગીય હિંસામાં પ્રવૃત્ત થયેલાને સ્વર્ગપ્રાપ્તિરૂ૫ ફળ થવા છતાં પણ ઉત્સર્ગથી કરાયેલ હિંસાના નિષેધના વિષયવાળો દોષ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વૈદ્યશાસ્ત્રમાં દાહ દુઃખ કરનાર હોવાને કારણે ઉત્સર્ગથી દાહનો નિષેધ કરાયો છે, છતાં ગુમડાનો નાશ કરવા આદિ નિમિત્તે વૈદ્યશાસ્ત્રમાં જ વિધિપૂર્વક દાહનું વિધાન કરાયેલ છે. તેથી ગંડાદિના વ્યાધિવાળો પુરુષ વૈદ્ય શાસ્ત્રના વચનથી દાહ કરે અને તે દાહથી તેના ગંડાદિનો ક્ષય થાય, તોપણ, વૈદ્યશાસ્ત્રમાં જે દુઃખકરપણાને કારણે સામાન્યથી દાહનો નિષેધ કરેલો છે, તે દુઃખકરપણાની પ્રાપ્તિ તે દાહની ક્રિયાથી થાય જ છે. એ રીતે વેદવચનની પ્રેરણાથી સ્વર્ગની કામનાવાળો પુરુષ યજ્ઞમાં પ્રવૃત્તિ કરે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેમ વેદવચનના બળથી સ્વીકારીએ તોપણ, વેદવચનમાં ઉત્સર્ગથી હિંસાનો નિષેધ કરેલો છે, તે દોષની પ્રાપ્તિ તે યજ્ઞની ક્રિયાથી થાય જ છે. માટે વેદવચનથી કરાતી યાગીય હિંસામાં દોષ નથી, એમ કહી શકાય નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy