SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૯૮-૧૨૯૯, ૧૩૦૦-૧૩૦૧ કરવી જોઈએ નહીં” એ પ્રમાણે કહેવાયું છે. તેથી નક્કી થાય કે હિંસા પાપરૂપ છે. વળી વેદમાં જ “સ્વર્ગની ઇચ્છાવાળા પુરુષે અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ’ એમ કહીને ફળના ઉદ્દેશથી હિંસાનું વિધાન કરેલ છે. આથી વેદને પ્રમાણ સ્વીકારીને વેદવચનાનુસાર સ્વર્ગની કામનાથી યજ્ઞ કરવામાં આવે, અને તે યજ્ઞની પ્રવૃત્તિથી સ્વર્ગ પ્રાપ્ત થાય, તોપણ, યજ્ઞમાં થયેલી હિંસાના સામાન્ય દોષના નિવારણનો અભાવ છે અર્થાત્ હિંસા પાપ છે માટે હિંસા કરવી જોઈએ નહીં, એ પ્રકારના વેદના સામાન્ય વચન અનુસારે પણ તે યાગીય હિંસામાં પાપની પ્રાપ્તિ થાય છે, માટે યજ્ઞમાં કરાતી હિંસામાં દોષ નથી એમ કહેવું યુક્તિયુક્ત નથી. II૧૨૯૮/૧૨૯૯ા અવતરણિકા: इहैव निदर्शनमाह અવતરણિકાર્ય : અહીં જ નિદર્શનને કહે છે, અર્થાત્ વેદવચનથી કરાતી યાગીય હિંસામાં દોષ છે, એ કથનમાં જ દૃષ્ટાંત આપે છે ગાથા : - जह विज्जगम्मि दाहं ओहेण निसेहिउं पुणो भणिअं । गंडाइखयनिमित्तं करिज्ज विहिणा तयं चेव ॥१३००॥ અન્વયાર્થ: નર્દે-જે રીતે વિન્નામિ-વૈદ્યકમાં ઓદ્દેળ ઓઘથી વાતૢ નિસેહિ-દાહનો નિષેધ કરીને પુોફરી મળિયં-કહેવાયું છે, ભંડાફહનિમિત્ત-ગંડાદિના ક્ષયના નિમિત્તે વિન્નિ-વિધિથી તયં ચેવ=તેને જ=દાહને જ, રિષ્ન=કરવો જોઈએ. ગાથાર્થ: જે રીતે વૈધ શાસ્ત્રમાં ઓઘથી દાહનો નિષેધ કરીને ફરી કહેવાયું છે કે ગુમડા વગેરેના નાશ માટે વિધિથી દાહને જ કરવો જોઈએ. ટીકા यथा वैद्यके दाहम्=अग्निविकारमोघेन उत्सर्गतः निषिध्य दुःखकरत्वेन, पुनर्भणितं तत्रैव फलोद्देशेन गण्डादिक्षयनिमित्तं व्याध्यपेक्षयेत्यर्थः कुर्याद्विधिना तमेव दाहमिति गाथार्थः ॥१३००॥ ટીકાર્ય જે રીતે વૈધકમાં=વૈધશાસ્ત્રમાં, ઓઘથી=ઉત્સર્ગથી, દુ:ખકરપણું હોવાથી દાહનો=અગ્નિવિકારનો, નિષેધ કરીને ફરી ત્યાં જ–વૈઘશાસ્ત્રમાં જ, ફળના ઉદ્દેશથી વ્યાધિની અપેક્ષા વડે ગંડાદિના ક્ષયના નિમિત્તે= ગુમડા વગેરેનો નાશ કરવા માટે, વિધિથી તેને જ=દાહને જ, કરવો જોઈએ, એ પ્રમાણે કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy