SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૯૮-૧૨૯૯ ૨૫૫ ટીકાર્ય : તે પ્રમાણે સામાન્યથી–ઉત્સર્ગથી, વેદમાં જ કહેવાયું છે : શું કહેવાયું છે ? તે બતાવે છે કે વર્ષ ભૂતોની=જીવોની, હિંસા કરવી જોઈએ નહીં. અને વળી ત્યાં જ વેદમાં જ, ફળના ઉદ્દેશથી હિંસા કરવી જોઈએ=“સ્વર્ગની કામનાવાળાએ અગ્નિહોત્રનો યજ્ઞ કરવો જોઈએ.” એ પ્રમાણે કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : ता तस्स पमाणत्ते वि एत्थ णिअमेण होइ दोसो त्ति । फलसिद्धीए वि सामण्णदोसविणिवारणाभावा ॥१२९९॥ અન્વયાર્થ : તા તે કારણથી ત પીત્તે વિગતેનું પ્રમાણપણું હોતે છતે પણ=વેદનું પ્રમાણપણું હોય તોપણ, સ્થ અહીં=વેદવચનથી પ્રેરિત થઈને પ્રવૃત્તિ કરવામાં, ગમેT=નિયમથી લોકો દોડ્રદોષ થાય છે; પત્નસિદ્ધી વિ સામUUવો વિવારVTમાવી કેમ કે ફળની સિદ્ધિ હોતે છતે પણ સામાન્ય દોષના વિનિવારણનો અભાવ છે. * ગાથાના પૂર્વાર્ધને અંતે રહેલ ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : તે કારણથી વેદનું પ્રમાણપણું હોય તોપણ વેદવચનાથી પ્રેરિત થઈને પ્રવૃત્તિ કરવામાં નિયમથી દોષ થાય છે; કેમ કે ફળની સિદ્ધિ હોવા છતાં પણ સામાન્ય દોષના વિનિવારણનો અભાવ છે. ટીકાઃ तत्तस्य प्रमाणत्वेऽपि वेदस्याऽत्र नियमेन चोदनायां भवति दोष इति फलसिद्धावपि सत्यां, कुत इत्याह-सामान्यदोषनिवारणाभावाद-औत्सर्गिकवाक्यार्थदोषप्राप्तेरेवेति गाथार्थः ॥१२९९॥ ટીકાર્ય : તે કારણથી–વેદમાં ઉત્સર્ગથી હિંસાનો નિષેધ કરીને ફળના ઉદ્દેશથી હિંસાનું વિધાન કરેલ છે તે કારણથી, તેનું-વેદનું, પ્રમાણપણું હોતે છતે પણ અહીં ચોદનામાં=વેદવચનથી પ્રેરિત થઈને પ્રવૃત્તિ કરવામાં, ફળની સિદ્ધિ હોતે છતે પણ નિયમથી દોષ થાય છે. કયા કારણથી નિયમથી દોષ થાય છે? એથી કહે છે – કેમ કે સામાન્ય દોષના નિવારણનો અભાવ છે=ઔત્સર્ગિક વાક્યર્થના દોષની પ્રાપ્તિ જ છે=હિંસાનો નિષેધ કરનારા વેદના ઉત્સર્ગવાળા વાક્યર્થના દોષની પ્રાપ્તિ જ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૯૬માં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે વચનાંતરના ગુણો સામાન્ય વચનમાં હોતા નથી. તેથી ફલિત થયું કે, સર્વજ્ઞવચનથી કરાતા દ્રવ્યસ્તવમાં જે હિંસાઅદોષાદિ ગુણો છે, તે ગુણો વેદવચનથી કરાતા જ્ઞમાં નથી. વળી વાગીય હિંસામાં દોષ કેમ છે? તે બતાવતાં કહે છે કે વેદમાં જ ઉત્સર્ગથી “જીવોની હિંસા Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy