SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૯૪ ૪૦ यद्-यस्माद् आगमः सर्वज्ञश्च उभयमपि बीजाङ्करजीवकर्मयोगसमं अनादि ॥२९थी माराममने સર્વજ્ઞ ઉભય પણ બીજ-અંકુર અને જીવ-કર્મના યોગની સમાન અનાદિ છે. માત્ર રૂદંપૂર્વ કૃદંર ત વ્યવસ્થા નહિ અહીં=બીજ-અંકુરમાં અને જીવ-કર્મના યોગમાં, આ પૂર્વે છે આ નથી બેમાંથી કોઈ એક પૂર્વે છે અને બીજું પૂર્વે નથી, એ પ્રકારની વ્યવસ્થા નથી જ. તત યથોmષામાવ અને તેથીઆગમ અને સર્વજ્ઞ બીજ-અંકુરાદિના યોગ સમાન અનાદિ છે તેથી, યથોક્ત દોષનો અભાવ છે=પૂર્વગાથામાં મીમાંસકો વડે જે પ્રકારનો દોષ કહેવાય તે પ્રકારના દોષનો જૈનોને અભાવ છે. ગ્રંથકારે બીજાંકુરાદિના ન્યાયથી આગમ અને સર્વજ્ઞ વચ્ચે કાર્ય-કારણભાવ બતાવ્યો તે વિકલ્પ, વચનને આશ્રયીને આગમ ગ્રહણ કરીને બતાવેલ, એમાં કોઈક સ્થાને વ્યાપ્તિ તૂટે છે, આથી અર્થને આશ્રયીને આગમ ગ્રહણ કરીને અથવાથી બીજો વિકલ્પ ગ્રંથકાર બતાવે છે – અથવા...ચોથઃ અથવા અર્થથી જ આમ છે=બીજાંકુરાદિ ચાય છે=અર્થથી જ આગમ અને સર્વજ્ઞ બીજ-અંકુરાદિના યોગ સમાન અનાદિ છે. અર્થથી જ આગમ અને સર્વજ્ઞ બીજાંકુરાદિના યોગ સમાન અનાદિ કેમ છે? તેમાં યુક્તિ આપે છે – | સર્વ પ્રવત્તિ સર્વ જ કોઈક રીતે આગમના અર્થને પામીને સર્વજ્ઞ થયેલા છે, અને તેનો અર્થ તેનો સાધક છે=આગમનો અર્થ સર્વજ્ઞનો સાધક છે, એથી અર્થથી જ આગમ અને સર્વજ્ઞ બીજાંકુરાદિના યોગ સમાન અનાદિ છે, એમ અન્વય છે. ર વવનાતો...ભાવાત્ વચનથી નથી=વચનને જ આશ્રયીને નથી=વચનથી જ આગમ અને સર્વજ્ઞ બીજાંકુરાદિના યોગ સમાન અનાદિ નથી; કેમ કે મરુદેવી આદિને પ્રકારાન્તર વડે પણ ભાવ છે=મરુદેવી આદિ જીવોને આગમવચનરૂપ પ્રકારથી અન્ય કોઈ પ્રકાર વડે પણ સર્વશપણાનો સદ્ભાવ છે. ફત વચનતો મનઃ ર અને આથી વચનથી અનાદિ નથી=અથવાથી અર્થને આશ્રયીને આગમ અને સર્વજ્ઞ વચ્ચે બીજાંકુરાદિ ન્યાય બતાવ્યો આથી વચનથી આગમ અનાદિ નથી; યતો.....પાયાન્તરમાવા જે કારણથી તે=વચન, વક્તાને આધીન છે. વક્તા વગર અનાદિ પણ વચનની પ્રવૃત્તિ નથી જ=બોલનાર વગર અનાદિ પણ વચનની પ્રવૃત્તિ થતી નથી જ=આગમરૂપ વચન અનાદિ છે છતાં તે વચનની પ્રવૃત્તિ બોલનાર વક્તા વગર નથી, આથી પ્રવાહથી જ વચન અનાદિ છે; કેમ કે ઉપાયાંતરનો અભાવ છેઃવચનની પ્રવૃત્તિમાં વક્તારૂપ ઉપાયથી અન્ય ઉપાયનો અભાવ છે. અહીં પ્રશ્ન થાય કે વક્તા વગર વચનની પ્રવૃત્તિ જેમ થતી નથી, તેમ વચનમાં પ્રવૃત્તિ વગર અર્થની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? તેથી કહે છે – તવર્ણનાત્ વળી તેના અર્થની પ્રતિપત્તિ આગમના અર્થની પ્રાપ્તિ, ક્ષયોપશમાદિથી અવિરુદ્ધ છે; કેમ કે તે પ્રકારે દર્શન છે=આગમવચન વગર અર્થની પ્રાપ્તિ થઈ હોય તે પ્રકારે કોઈક જીવમાં દેખાય છે. તિ...પથાર્થ: આ=આગમ અને સર્વજ્ઞ વચ્ચે બીજાંકુરાદિ ચાય છે એ કથન, સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy