SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૯૪ ભાવાર્થ : ગાથા ૧૨૯૩માં મીમાંસકોનો અભિપ્રાય બતાવતાં ગ્રંથકારે કહ્યું કે જૈનોએ પણ આગમને અપૌરુષેય માનવું પડશે; કેમ કે અનાદિથી થતા સર્વ સર્વજ્ઞ પ્રત્યે આગમ કારણ છે, તેથી તે આગમ કોઈ સર્વજ્ઞથી કથિત છે, એમ સ્વીકારી શકાય નહીં; છતાં આગમ કોઈ સર્વજ્ઞથી કથિત છે એમ સ્વીકારીએ, તો આગમના અવલંબન વગર જ કોઈ અનાદિથી સર્વજ્ઞ છે કે જેમણે આગમ કહ્યા, એમ સ્વીકારવું પડે. આ સિવાય આગમ અને સર્વજ્ઞના વિષયમાં અન્ય વિકલ્પ નથી. આ પ્રકારનો મીમાંસકોનો અભિપ્રાય છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે – મીમાંસકો કહે છે એ બરાબર નથી; કેમ કે જેમ બીજમાંથી અંકુર થાય છે અને અંકુરમાંથી બીજ થાય છે, પણ બેમાંથી કોઈ એક પહેલાં ઉત્પન્ન થાય છે અને બીજું પછી થાય છે એવું નથી, પરંતુ બીજ-અંકુર વચ્ચે અનાદિકાળથી કાર્ય-કારણભાવરૂપે સંબંધની પરંપરા છે; તેમ જૈનમતાનુસાર આગમ અને સર્વજ્ઞની અનાદિકાળથી પરંપરા છે. અથવા તો જેમ જીવ અને કર્મનો સંયોગ પ્રવાહથી અનાદિકાળનો હોવા છતાં જીવથી કર્મ બંધાય છે, તેમ આગમ અને સર્વજ્ઞ પ્રવાહથી અનાદિકાળના હોવા છતાં સર્વજ્ઞથી આગમ અભિવ્યક્ત થાય છે. આથી ફલિત થાય છે કે કોઈક સર્વશે આગમ કહ્યા ત્યારે, આગમ તે સર્વજ્ઞથી નિષ્પન્ન થયું અને તે નિષ્પન્ન થયેલ આગમનું અવલંબન લઈને અને તે આગમાનુસાર પ્રવૃત્તિ કરીને, અન્ય કોઈ સર્વજ્ઞ થયા, અને તે સર્વજ્ઞ કેવલજ્ઞાનમાં જગતના સર્વ પદાર્થોને સાક્ષાત્ જોઈને તે પદાર્થો પોતાના શિષ્યોને કહે છે, અને તે શિષ્યો પણ પોતાના શિષ્યોને તે જ પ્રકારે સર્વજ્ઞકથિત પદાર્થો કહે છે. આમ, પરંપરાથી સર્વજ્ઞકથિત પદાર્થોને ગુરુ પાસે જાણીને તેને અનુરૂપ પ્રવૃત્તિ કરીને જીવ સર્વજ્ઞ બને છે, અને પોતે સર્વજ્ઞ બનીને ફરી તે આગમને અભિવ્યક્ત કરે છે. માટે અનાદિથી કોઈ સર્વજ્ઞ નથી કે અનાદિથી કોઈ આગમ નથી, પરંતુ પૂર્વ-પૂર્વના સર્વજ્ઞથી કથિત યોગમાર્ગને જાણીને અને તે જ પ્રકારે સેવીને ઉત્તર-ઉત્તરના સર્વજ્ઞ થાય છે; છતાં પ્રવાહથી સર્વજ્ઞ અને આગમ અનાદિના છે. આથી મીમાંસકોએ આપેલી આગમને અપૌરુષેય માનવાની આપત્તિ જૈનદર્શનના સિદ્ધાંત પ્રમાણે જૈનોને પ્રાપ્ત થતી નથી. વળી, સામાન્ય રીતે સર્વજ્ઞકથિત આગમને પ્રાપ્ત કરીને અને તેને અનુસારે ઉચિત પ્રવૃત્તિ કરીને મોટા ભાગે જીવો સર્વજ્ઞ બને છે; છતાં મરુદેવી માતા જેવા કેટલાક જીવો સર્વજ્ઞકથિત આગમને પ્રાપ્ત કર્યા વગર પણ સર્વજ્ઞ બને છે. આથી આગમથી જ સર્વજ્ઞ થાય છે કે સર્વજ્ઞથી જ આગમ પ્રાપ્ત થાય છે એવી નિયત વ્યાપ્તિ નથી, પરંતુ સર્વ કહેલા વચનના અર્થને પ્રાપ્ત કરીને જીવ સર્વજ્ઞ થાય છે અને સર્વશે કહેલા વચનના અર્થને પ્રાપ્ત કર્યા વગર કોઈ જીવ સર્વજ્ઞ થતો નથી, એવી નિયત વ્યાપ્તિ છે. આથી ગ્રંથકારે ખુલાસો કર્યો કે સર્વશે કહેલા આગમના અર્થને પ્રાપ્ત કરીને બધા જ સર્વજ્ઞ થયા છે, અને તે સર્વજ્ઞ વચનાત્મક ઉપદેશ આપીને અન્ય યોગ્ય જીવોને મોક્ષમાર્ગ બતાવે છે, અને તે મોક્ષમાર્ગના અવલંબનથી જ મોટા ભાગે જીવોને આગમનો અર્થની પ્રાપ્તિ થાય છે; તોપણ, મરુદેવી માતા જેવા કેટલાક જીવોને જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમાદિથી આગમ વગર પણ આગમના અર્થની પ્રાપ્તિ થાય છે, એ પ્રત્યક્ષ દેખાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy