SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૮૮-૧૨૮૯ ટીકા : __इन्दीवरे दीपः प्रकाशयति रक्ततामसतीमपि, चन्द्रोऽपि पीतवस्त्रं धवलमिति प्रकाशयति, न निश्चयः ततो वेदवचनाद् व्यभिचारिण इति गाथार्थः ॥१२८८॥ ટીકાર્ય - દીવો બંદીવરમાં=કમળમાં, અછતી પણ રક્તતાને પ્રકાશે છે, ચંદ્ર પણ પીળા વસ્ત્રને ધોળું છે એ પ્રમાણે પ્રકાશે છે. તે કારણથી=પૂર્વપક્ષી વેદવચનને પ્રદીપની જેમ સ્વાર્થપ્રકાશનપર સ્વીકારે છે અને પ્રદીપ કોઈક સ્થાનમાં મિથ્યાપણાનું પ્રકાશન કરે છે તે કારણથી, વ્યભિચારવાળા વેદવચનથી નિશ્ચય થતો નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે વેદવચનને પ્રદીપની જેમ સ્વભાવથી જ સ્વાર્થપ્રકાશનપર સ્વીકારીએ, તો કોઈ સ્થાનમાં મિથ્યાપણાના પ્રકાશનની આપત્તિ છે. તેને સ્પષ્ટ કરવા કહે છે કે જેમ દીવો કમળમાં અવિદ્યમાન પણ રક્તતાનું પ્રકાશન કરે છે અને ચંદ્ર પીળા વસ્ત્રને સફેદ પ્રકાશન કરે છે, તેમ વેદવચન પણ કોઈ સ્થાનમાં મિથ્યાપણાનું પ્રકાશન કરે છે એમ સ્વીકારવું પડે; કેમ કે પૂર્વપક્ષી વેદવચનને પ્રદીપની જેમ સ્વાર્થપ્રકાશનપર સ્વીકારે છે; અને વેદવચનને મિથ્યાપણાનું પ્રકાશન કરનાર સ્વીકારીએ તો, વ્યભિચારી એવા વેદવચનથી અર્થનો નિર્ણય થઈ શકે નહીં. માટે પરલોકની પ્રવૃત્તિમાં વેદવચનને પ્રમાણભૂત સ્વીકારી શકાય નહીં. |૧ ૨૮૮ાા. અવતરણિકા : ગાથા ૧૨૮૪થી ૧૨૮૬માં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે વેદવાક્યથી પ્રાયઃ કોઈ વસ્તુમાં નિશ્ચય થતો નથી. વળી મીમાંસકો કહે કે વેદવચન પ્રદીપની જેમ સ્વભાવથી જ સ્વના અર્થના પ્રકાશનમાં સમર્થ છે, તો તેનું પણ ગ્રંથકારે ગાથા ૧૨૮૭-૧૨૮૮માં નિરાકરણ કરીને સ્થાપન કર્યું કે વ્યભિચારી એવા વેદવચનથી નિશ્ચય થતો નથી. વળી ગાથા ૧૨૭૮માં કહેલ કે પૂર્વે જે દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે ઈત્યાદિ સર્વ કહેવાયું તે, સર્વજ્ઞથી અવગત અને કથિત આગમથી પ્રયુક્ત એવા અનિવારિત ગુરસંપ્રદાયથી નિશ્ચિત છે. માટે સર્વજ્ઞવચનથી અર્થનો નિર્ણય થઈ શકે છે, જ્યારે વેદવચન તેવું નહીં હોવાથી વેદવચનથી અર્થનો નિર્ણય થઈ શકતો નથી, એ બતાવવા અર્થે ગ્રંથકાર કહે છે – ગાથા : एवं नो कहिआगमपओगगुरुसंपयायभावो वि । जुज्जइ सुहो इहं खलु णाएणं छिण्णमूलत्ता ॥१२८९॥ અન્વયાર્થ: રૂદં વસ્તુ ખરેખર અહીં=વેદવચનમાં, પર્વ આ રીતે=જે રીતે વેદવાક્યથી પ્રવૃત્તિના અંગભૂત અર્થનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy