SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા” દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૮૦-૧૨૮૮ પ્રકારનો સંકેત પ્રાપ્ત થતો હોય તો, વેદવચનને પ્રદીપની જેમ સ્વભાવથી જ પોતાના અર્થના પ્રકાશનમાં સમર્થ સ્વીકારી શકાય. વળી, કદાચ વેદવચનને પ્રદીપની જેમ સ્વભાવથી જ પોતાના અર્થના પ્રકાશનમાં સમર્થ સ્વીકારીએ, તોપણ વેદવચનથી પદાર્થના મિથ્યાપણાના પ્રકાશનનો યોગ છે; કેમ કે જેમ પ્રદીપ કોઈક સ્થાનમાં પોતાના વિષયભૂત અર્થોનું મિથ્યા પ્રકાશન કરે છે, તેમ વેદવચન પણ કોઈક સ્થાનમાં પોતાના અર્થોનું મિથ્યા પ્રકાશન કરે છે તેમ સ્વીકારવું પડે; અને વેદવચન કોઈક સ્થાનમાં પોતાના અર્થોનું મિથ્યા પ્રકાશન કરે છે એમ સ્વીકારીએ, તો વેદવચનથી અર્થનો યથાર્થ નિર્ણય થઈ શકે નહીં. વળી, પ્રદીપની જેમ વેદવચન કોઈક સ્થાનમાં અર્થના મિથ્યાપણાનું પ્રકાશન કરે છે, તે સ્થાન સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. ' અહીં પ્રદીપને “સ્વાર્થપ્રકાશનપર” કહ્યો તેનું તાત્પર્ય એ છે કે, પ્રદીપ સ્વભાવથી જ સર્વ પદાર્થોનું પ્રકાશન કરવા સમર્થ નથી, પરંતુ પ્રદીપના પોતાના વિષયભૂત ઘટ-પટાદિ પદાર્થોનું પ્રકાશન કરવા સમર્થ છે. આથી જ પ્રદીપ પોતાના અવિષયભૂત એવા પરમાણુ, ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્યો, સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પદાર્થોનું પ્રકાશન કરવા સમર્થ નથી. ૧૨૮૭ અવતરણિકા : एतदाह - અવતરણિકાર્ય : આને કહે છે–પૂર્વગાથાના અંતે કહ્યું કે વેદવચનને પ્રદીપની જેમ સ્વાર્થપ્રકાશનપર સ્વીકારીએ, તો વેદવચનથી કોઈક સ્થાનમાં મિથ્યાપણાનું પ્રકાશન થવાની આપત્તિ છે. એને સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા : इंदीवरम्मि दीवो पगासई रत्तयं असंतं पि । चंदो वि पीअवत्थं धवलं न य निच्छओ तत्तो ॥१२८८॥ અન્વયાર્થ: રીવોદીપ વીવગ્નિ-ઇંદીવરમાં=કમળમાં, સંત પિ રયં અસતુ પણ રક્તતાને પીસર્ફ પ્રકાશે છે, વો વિચંદ્ર પણ પવિત્યં પીતવસ્ત્રને વિનં-ધવલ છે (એ પ્રમાણે પ્રકાશે છે.) તો ય અને તે કારણથી-વેદવચનને પૂર્વપક્ષી પ્રદીપની જેમ સ્વાર્થપ્રકાશનપર સ્વીકારે છે અને પ્રદીપ કોઈક સ્થાનમાં મિથ્યાપણાનું પ્રકાશન કરે છે તે કારણથી, (વ્યભિચારી એવા વેદવચનથી) નિછો નકનિશ્ચય થતો નથી. ગાથાર્થ : દીવો કમળમાં અવિધમાન પણ લાલાશ બતાવે છે, ચંદ્ર પણ પીળા વસ્ત્રને ધોળું બતાવે છે. અને તે કારણથી વ્યભિચારી એવા વેદવચનથી નિશ્વય થતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy