SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૮૦ અયોગ છે–વેદવચનના સંકેતના ભેદનો અભાવ છે, અને મિથ્યાત્વના પ્રકાશનો યોગ છે–વેદવચનથી મિથ્યાપણાના પ્રકાશનનો સંભવ છે. ગાથાર્થ અને વેદવચન સ્વભાવથી જ દીવાની જેમ સ્વના અર્થનું પ્રકાશન કરવામાં સમર્થ નથી; કેમ કે વેદવચનના સંકેતના ભેદનો અભાવ છે અને વેદવચનથી મિથ્યાપણાના પ્રકાશનનો સંભવ છે. ટીકાઃ न च तद्-वेदवचनं स्वभावत एव स्वार्थप्रकाशनपरं प्रदीपवत्, कुत इत्याह-समयविभेदायोगात्= सङ्केतभेदाभावादित्यर्थः, मिथ्यात्वप्रकाशयोगाच्च क्वचिदेतदापत्तेरिति गाथार्थः ॥१२८७॥ ટીકાર્ય અને તેવેદવચન, સ્વભાવથી જ પ્રદીપની જેમ સ્વના અર્થના પ્રકાશનમાં પર નથી અર્થાત્ જેમ દીવો સ્વભાવથી જ પોતાના વિષયભૂત ઘટ-પટાદિ અર્થોનું પ્રકાશન કરવા સમર્થ છે, તેમ વેદવચન સ્વભાવથી જ પોતાના વિષયભૂત અર્થોનું પ્રકાશન કરવા સમર્થ નથી. કયા કારણથી ? એથી કહે છે - કેમ કે સમયના વિભેદનો અયોગ છે=સંકેતના ભેદનો અભાવ છે, અર્થાત્ લૌકિક વચનમાં રહેલો સંકેત જે સંકેતગ્રહને આધીન અર્થનો બોધ કરાવે છે, તેના કરતાં જુદા પ્રકારના સંકેતનો વેદવચનમાં અભાવ છે. વળી વેદવચનને સ્વભાવથી જ સ્વાર્થપ્રકાશનપર સ્વીકારી લઈએ તોપણ, વેદવચનથી કોઈ વસ્તુમાં નિશ્ચય થઈ શકતો નથી. એ બતાવવા અન્ય હેતુ આપે છે અને મિથ્યાપણાના પ્રકાશનો યોગ છે–વેદવચનથી પદાર્થના મિથ્યાપણાના પ્રકાશનનો સંભવ છે. અહીં પ્રશ્ન થાય કે વેદવચનથી પદાર્થના મિથ્યાપણાના પ્રકાશનો યોગ કેમ છે ? તેથી કહે છે ક્યાંક આની આપત્તિ છે=કોઈક સ્થાનમાં વેદવચનથી મિથ્યાપણાનું પ્રકાશન થવાની પ્રાપ્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૨૮૪માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે વેદવચનની અર્થપ્રકાશનમાં અતીન્દ્રિય શક્તિ હોવાને કારણે વેદવાક્યથી કોઈ વસ્તુમાં નિશ્ચય થતો નથી. તે આપત્તિના નિવારણ માટે મીમાંસકો કહે કે, જેમ પ્રદીપ સ્વભાવથી જ પોતાના વિષયભૂત ઘટ-પટાદિ પદાર્થોને દેખાડવા સમર્થ છે, તેમ વેદવચન પણ સ્વભાવથી જ પોતાના વિષયભૂત અર્થોને દેખાડવા સમર્થ છે, માટે વેદવાક્યથી અર્થનો નિર્ણય થઈ શકે છે. તેને ગ્રંથકાર કહે છે – Jain Education International - પૂર્વપક્ષી કહે છે એમ સ્વીકારી શકાય નહીં; કેમ કે જેમ લૌકિકવચનથી સંકેતના બોધને આધીન અર્થનો બોધ થાય છે, તેમ વેદવચનથી સંકેતના બોધ વગર સ્વયં અર્થનો બોધ થાય તેવો જુદા પ્રકારનો સંકેત વેદવચનમાં પ્રાપ્ત થતો નથી; પરંતુ જો વેદવચનમાં સંકેતના બોધ વગર સ્વયં અર્થનો બોધ થાય તેવો જુદા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy