SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૮૪ થી ૧૨૮૬, ૧૨૮૦ ૨૩૩ વળી, વેદવચનોમાં લૌકિકવચનો કરતાં જુદા પ્રકારનો અર્થભેદ પણ દેખાય છે. તેથી વેદવચનોના અર્થને લૌકિકવચનોના અર્થ જેવા કહી શકાય નહીં; કેમ કે વેદવચન સ્વર્ગ, ઉર્વશી આદિ શબ્દો દ્વારા જે અર્થ કહે છે તે અર્થ લોકમાં ક્યાંય દેખાતા નથી, પરંતુ વેદવચનના બળથી જ તે તે શબ્દોના અર્થનો નિર્ણય થાય છે કે સ્વર્ગ અપૂર્વ વૈભવવાળો છે, સ્વર્ગમાં ઉર્વશી વગેરે અપ્સરાઓ છે; જ્યારે લૌકિકવચન શ્રોતાને બોધ કરાવવા માટે જે અર્થ કહે છે તે અર્થ લોકમાં દેખાય છે. આમ, વેદવચન જગતમાં નહીં દેખાતા પદાર્થો બતાવવા માટે પ્રવૃત્ત છે, પરંતુ વેદના દરેક વચન કયા અર્થનું પ્રકાશન કરે છે તે કોઈ પુરુષ નક્કી કરી શકતો નથી. આથી વેદવચનને અપૌરુષેય સ્વીકારીએ તોપણ વેદવાક્યથી પ્રાયઃ કોઈ વસ્તુમાં નિશ્ચય થઈ શકતો નથી. ટીકામાં “સ્વર્ગ, ઉર્વશી પ્રમુખ શબ્દોનો તે પ્રકારે અપ્સરા, ઉર્વી આદિરૂપ અર્થભેદ જોવાયો છે,” એ પ્રમાણે કહ્યું તેનાથી એ પ્રાપ્ત થાય કે, સ્વર્ગની ઉર્વી=પૃથ્વી, લોકમાં દેખાતી પૃથ્વી કરતાં જુદા પ્રકારના વૈભવવાળી છે, તે પ્રકારનો અર્થભેદ દેખાય છે, અને ઉર્વશી–અપ્સરા, લોકમાં દેખાતી સ્ત્રીઓ કરતાં જુદા પ્રકારની રૂપસંપત્તિવાળી છે, તે પ્રકારનો અર્થભેદ દેખાય છે. હવે ઉપરમાં કહી એ આપત્તિના નિવારણ માટે મીમાંસકો કહે કે જે લૌકિક શબ્દો છે તે જ વૈદિક શબ્દો છે અને જે લૌકિક શબ્દોના અર્થ છે તે જ વૈદિક શબ્દોના અર્થ છે, ફક્ત લૌકિક શબ્દો પૌરુષેય છે અને વૈદિક શબ્દો અપૌરુષેય છે, તો આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અર્થ વગરનું છે. આશય એ છે કે લૌકિકવચનો અને વેદવચનોને સમાન કહી શકાય નહીં; કેમ કે લૌકિકવચનો પૌરુષેય છે અને વેદવચનો અપૌરુષેય છે. વળી લૌકિકવચનોના અર્થ અને વેદવચનોના અર્થ પણ સમાન કહી શકાય નહીં; કેમ કે લૌકિકવચનો જગતમાં પ્રત્યક્ષ દેખાતા અર્થોના વાચક છે અને વેદવચનો પ્રત્યક્ષ નહીં દેખાતા સ્વર્ગ, ઉર્વશી વગેરે અર્થોના વાચક છે. આથી લૌકિકવચનો જેવા જ વેદવચનો છે અને લૌકિકવચનોના અર્થ જેવા જ વેદવચનોના અર્થ છે એમ કહીને વેદવચનથી અર્થનો નિર્ણય થઈ શકશે, આ પ્રકારનું મીમાંસકોનું કથન અર્થ વગરનું છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ૧૨૮૪/૧૨૮૫/૧૨૮૬ અવતરણિકા : ગાથા ૧૨૮૫માં ગ્રંથકારે કહેલ કે વેદવચનની અર્થપ્રકાશનવિષયક અતીન્દ્રિય શક્તિ પુરુષમાત્રથી ગમ્ય નથી, તેથી વેદવાક્યથી પ્રાયઃ કોઈ વસ્તુમાં નિશ્ચય થતો નથી. ત્યાં પૂર્વપક્ષી કહે કે વેદવચન સ્વભાવથી જ પોતાના અર્થનું પ્રકાશન કરનાર છે, તો તે કથનને સામે રાખીને ગ્રંથકાર તેનું નિરાકરણ કરે છે ગાથા: न य तं सहावओ च्चिय सत्थपगासणपरं पईओ व्व । समयविभेआजोगा मिच्छत्तपगासजोगा य ॥१२८७॥ અન્વયા : તેં ય-અને તે–વેદવચન, સદ્દાવઓ થ્વિય-સ્વભાવથી જ પો ન=પ્રદીપની જેમ સત્થપસાપનું ન=સ્વના અર્થના પ્રકાશનમાં ૫૨ નથી; સમયવિમેઞનો મિચ્છત્તપમનો યુ=કેમ કે સમયના વિભેદનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy