SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૮૪ થી ૧૨૮૬ આ રીતે=લૌકિક અને વૈદિક વચનોનો અર્થભેદ પણ છે એ રીતે, જેઓ જ લૌકિકો છે તેઓ જ વૈદિકો છે=જે લોકવચનો છે તે જ વેદવચનો છે, અને તે જ આમનો અર્થ છે=લોકવચનોનો જે અર્થ છે તે જ વેદવચનોનો અર્થ છે, એ પ્રમાણે આ=મીમાંસકોનું કથન, યત્કિંચિત્ છે અર્થ વગરનું છે. ભાવાર્થ : ગાથા ૧૨૭૯ થી ૧૨૮૩માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે વેદવચનને અપૌરુષેય કહેવું યુક્તિસંગત નથી. હવે વેદવચનને અપૌરુષેય સ્વીકારીએ તોપણ, વેદવચન પરલોકની વિધિમાં પ્રવર્તક બની શકે નહીં, એ બતાવવા કહે છે – વેદવાક્યથી પ્રાયઃ કોઈ વસ્તુમાં નિર્ણય પણ થઈ શકતો નથી. અહીં પ્રશ્ન થાય કે વેદવાક્યથી કોઈ વસ્તુમાં નિર્ણય કેમ થઈ શકતો નથી? તેથી કહે છે – વેદવચનની અર્થપ્રકાશનમાં અતીન્દ્રિય શક્તિ છે અર્થાત્ વેદમાં યાગાદિ અનુષ્ઠાનોને કહેનારા જે શબ્દો ઉપલબ્ધ છે, તે શબ્દો કયા અર્થને જણાવે છે? તેનો નિર્ણય વેદવાક્ય વાંચવા માત્રથી થઈ શકતો નથી; કેમ કે જે શબ્દોનો “આ શબ્દો આ અર્થના વાચક છે' એવો વાચ્ય-વાચકભાવ ગ્રહણ થયેલો હોય, તે શબ્દોથી તે તે અર્થનો નિર્ણય થાય છે; અને વેદવાક્યો કયા અર્થના વાચક છે? તેનો નિર્ણય વેદવચનો જોવા માત્રથી થઈ શકતો નથી. માટે વેદવચનને અપૌરુષેય સ્વીકારીએ તોપણ, ઉપલબ્ધ એવા વેદવાક્યથી કોઈ વસ્તુમાં અર્થનો નિર્ણય થઈ શકે નહીં. અહીં પૂર્વપક્ષી કહે કે વેદવચનની અર્થપ્રકાશનના વિષયમાં અતીન્દ્રિય શક્તિ છે એટલા માત્રથી, વેદવાક્યથી અર્થનો નિર્ણય કેમ થઈ શકતો નથી ? તેથી કહે છે – વેદવચનમાં રહેલી અર્થપ્રકાશનની અતીન્દ્રિય શક્તિ પુરુષમાત્રથી ગમ્ય નથી અર્થાતુ વેદવચન સાંભળવા કે વાંચવા માત્રથી “આ વેદવચન આ અર્થને કહે છે” એવો નિર્ણય સામાન્ય પુરુષ કરી શકતો નથી; અને કદાચ અતીન્દ્રિય શક્તિને જોનારો પુરુષ વેદવચનમાં રહેલી અર્થપ્રકાશનની અતીન્દ્રિય શક્તિ જાણીને અર્થનો નિર્ણય કરી શકશે એમ સ્વીકારીએ, તો વેદવાક્યથી વસ્તુમાં અર્થનો નિર્ણય થઈ શકે, પરંતુ મીમાંસકોને અતીન્દ્રિય શક્તિને જોનારો પુરુષનો અતિશય પણ સંમત નથી; કેમ કે મીમાંસકો સર્વજ્ઞ પુરુષને સ્વીકારતા નથી. તેથી મીમાંસકોના મતાનુસાર વેદવચનને અમૌરુષેય સ્વીકારીએ તો, વેદવચનમાં રહેલી અતીન્દ્રિય શક્તિનો કોઈ બોધ કરી શકે નહીં. માટે વેદવાક્યથી કોઈ વસ્તુમાં નિશ્ચય થતો નથી, તેથી વેદવચનાનુસાર પરલોકવિષયક પ્રવૃત્તિ થઈ શકે નહીં. અહીં પૂર્વપક્ષી કહે કે જેવા લૌકિક વચનો છે એવા જ વૈદિક વચનો છે, તેથી જેમ લૌકિક વચનોથી સંસારમાં એક-બીજાને બોધ થાય છે, તેમ વૈદિક વચનોથી પણ એકબીજાને બોધ થઈ શકે છે. તેને ગ્રંથકાર કહે છે – લૌકિક વચનોથી વેદવચનોનું કથંચિત્ વૈધર્મ દેખાય છે, તેથી વેદવચનોને લૌકિક વચનો જેવા કહી શકાય નહીં; કેમ કે લૌકિક વચનો પૌરુષેય છે, તેથી પુરુષથી બોલાયેલા વચનો દ્વારા અન્ય પુરુષ તે પુરુષનો અભિપ્રાય જાણી શકે છે; જયારે વૈદિક વચનો મીમાંસકોના મતાનુસાર અપૌરુષેય છે, તેથી વેદવાક્યો દ્વારા કયા પ્રકારનો બોધ કરાવવાનો અભિપ્રાય છે? તે કોઈ પુરુષ જાણી શકતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy