SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૮૩ નોંધ: ટીકામાં વર્ષાસત્તાવિવાઘ–ાવે છે તેને સ્થાને વાવિવારકત્વ હોવું જોઈએ અને પ્રતિમાશતકમાં આપેલા સ્તવપરિજ્ઞામાં પણ એ જ પ્રમાણે પાઠ છે. ટીકાર્યઃ અહીં=જગતમાં, સર્વ લૌકિક વચનોના પણ વર્ણાદિ અપૌરુષેય છે; કેમ કે વર્ણવાદિ અને વાચકવાદિનું પુરુષો વડે અવિકરણ છે અર્થાત્ કત્વ-ખત આદિરૂપ વર્ણત્વ, ‘માવિ' પદથી વર્ણના સમુદાયરૂપ પદોમાં રહેલ શબ્દવ, અને વર્ણના સમુદાયથી બનેલા પદોમાં રહેલું છે તે અર્થનું વાચકત્વ, “મરિ' પદથી તે તે અર્થનું જ્ઞાપકત્વ પુરુષો વડે કરાતું નથી. વેદમાં કયો વિશેષ છે?=વેદવચનમાં લૌકિક વચનોથી શું ભેદ છે? જે કારણથી ત્યાં=વેદવચનમાં, આ અસગ્રહ છે=અપૌરુષેયત્વનો અસહ્વહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જૈનદર્શન સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદ એમ બંને વાદો નયસાપેક્ષ સ્વીકારે છે. અસત્કાર્યવાદ પ્રમાણે ઘટાદિ કાર્ય પુરુષથી જન્ય છે; જ્યારે સત્કાર્યવાદ પ્રમાણે ઘટાદિ કાર્ય પુરુષથી જન્ય નથી. તેથી તે સત્કાર્યવાદની દષ્ટિને અવલંબીને ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં વેદવચનને અપૌરુષેય સ્વીકારવામાં પૂર્વપક્ષીને દૂષણ આપે છે – સત્કાર્યવાદ માને છે કે માટીના પિંડમાં ઘટ શક્તિરૂપે વિદ્યમાન છે અને માટીના પિંડમાં તે શક્તિરૂપે રહેલો ઘટ કુંભારના પ્રયત્નથી અભિવ્યક્ત થાય છે. તેથી જેમ ઘટ કુંભારના પ્રયત્નથી પેદા થતો નથી, પણ અભિવ્યક્ત થાય છે; તેમ ભાષાવર્ગણાના પુદ્ગલોમાં શક્તિરૂપે રહેલા વર્ણવાદિ, વચનપ્રયોગ કરનાર પુરુષના કંઠ-તાલુનો અભિઘાત કરવારૂપ પ્રયત્નથી પેદા થતા નથી, પણ અભિવ્યક્ત થાય છે. આથી સત્કાર્યવાદની દૃષ્ટિથી વિચારીએ તો સર્વ લૌકિક વચનોના વર્ણાદિ અપૌરુષેય છે. માટે જેમ વેદવચનો અપૌરુષેય છે તેમ સર્વ લૌકિક વચનો પણ અપૌરુષેય છે, તેથી વેદવચન અને લૌકિકવચનમાં કોઈ ભેદ નથી; છતાં પૂર્વપક્ષી વેદવચનને અપૌરુષેય સ્વીકારે છે, એ પૂર્વપક્ષીનો અસદ્ગહ છે. પૂર્વપક્ષી એવા મીમાંસકોનો આશય એ છે કે, જગતમાં કોઈ પુરુષ સર્વજ્ઞ નથી, તેથી રાગ-દ્વેષ કે અજ્ઞાનને કારણે પુરુષ દ્વારા બોલાયેલું વચન દોષવાળું બની શકે છે. માટે પુરુષ દ્વારા બોલાયેલું વચન અતીન્દ્રિય એવા પુણ્ય-પાપાદિની વ્યવસ્થામાં પ્રમાણભૂત બની શકે નહીં; જ્યારે વેદવચન અપૌરુષેય હોવાથી તેમાં પુરુષના દોષકૃત કોઈ દોષનો સંભવ નથી. માટે વેદવચન અનુસાર યાગાદિ અનુષ્ઠાનો કરીએ તો તે તે અનુષ્ઠાનનું તે તે ફળ પ્રાપ્ત થાય છે, એમ સ્વીકારી શકાય. તેને ગ્રંથકાર કહે છે કે જેમ વૈદિકવચન અપૌરુષેય છે તેમ લૌકિકવચન પણ અપૌરુષેય છે, માટે બંને વચનોમાં કોઈ ભેદ નથી. આથી લૌકિકવચનમાં પુરુષના દોષકૃત દોષો હોવાથી લૌકિકવચન પ્રમાણભૂત નથી અને વૈદિકવચનમાં પુરુષના દોષકૃત દોષો નહીં હોવાથી વૈદિકવચન પ્રમાણભૂત છે, એમ કહેવું એ મીમાંસકોનો અસદ્ધ્રહ છે. ૧૨૮૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy