SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૮૨-૧૨૮૩ આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે વિપક્ષની અદૃષ્ટિ નથી, પરંતુ દૃષ્ટિ છે અર્થાત્ અકર્તૃક વચનનું વિપક્ષ અર્દશ્યકર્તૃક વચન દેખાય છે; અને તે વિપક્ષની દૃષ્ટિ બતાવવા ગ્રંથકાર કહે છે કે ક્યારેક અદશ્યકર્તૃક એવું પિશાચવચન સંભળાય છે. માટે વેદવચનને અકર્તૃક સ્વીકારીએ તો કોઈને શંકા થાય કે વેદવચન અકર્તૃક છે કે પિશાચના વચનની જેમ અદૃશ્યકર્તૃક છે, અને તે આશંકા દૂર થઈ શકે નહીં, માટે વેદવચન અકર્તૃક છે તેમ સિદ્ધ થઈ શકે નહીં; કેમ કે તે આશંકાનું નિવર્તન કરવા માટે કોઈ પ્રમાણ નથી. આથી વેદવચન સંભળાતું હોત તોપણ વેદવચનને અદશ્યકર્તૃક માનવું પડે, પણ અકર્તૃક માની શકાય નહીં; વળી અપૌરુષેય એવું વેદવચન તો સદા જ સંભળાતું નથી, માટે વેદવચન ‘અદશ્યકર્તૃક છે કે નહીં’ એવી શંકા તો થઈ શકે નહીં, પરંતુ અપૌરુષેય એવું વેદનું ‘વચન છે’ એવું સ્વીકારવામાં પણ કોઈ પ્રમાણ નથી; કેમ કે જે ક્યારેય સંભળાતું ન હોય, છતાં તે ‘વચન છે' એમ કહેવું અત્યંત વિરોધી છે. ૧૨૮૨ અવતરણિકા : यथाऽभ्युपगमदूषणमाह અવતરણિકાર્ય : જે પ્રમાણે અભ્યપગમ દ્વારા દૂષણને કહે છે ભાવાર્થ: જે પ્રમાણે પૂર્વપક્ષી વેદવચનને અપૌરુષેય સ્વીકારે છે તે પ્રમાણે સ્વીકારવા છતાં, અપૌરુષેય એવા તે વેદવચનને પ્રમાણભૂત સ્વીકારવામાં દોષ આપતાં ગ્રંથકાર કહે છે - ગાથા: वण्णायपोरसेअं लोइअवयणाण वीह सव्वेसिं । वेअम्मि को विसेसो ? जेण तहिं एसऽसग्गाहो ॥ १२८३ ॥ અન્વયાર્થઃ રૂદુ=અહીં=જગતમાં, સવ્વુતિ તોસવયળાળ વિ-સર્વ લૌકિક વચનોના પણ વળાયોસે5-વર્ણાદિ અપૌરુષેય છે. વેમ્નિ જો વિશેશો ?-વેદમાં કયો વિશેષ છે ? ને-જે કારણથી તત્ત્તિ ત્યાં=વેદવચનમાં, ક્ષ અસાદો-આ અસગ્રહ છે=અપૌરુષેયત્વનો અસદ્ગહ છે. ગાથાર્થ: જગતમાં સર્વ લૌકિક વચનોના પણ વર્ણાદિ અપૌરુષેય છે. વેદમાં શું ભેદ છે ? જેથી વેદવચનમાં અૌરુષેયત્વનો અસઙ્ગહ છે. ટીકા ઃ " वर्णाद्यपौरुषेयं लौकिकवचनानामपीह सर्वेषां वर्णसत्त्वादि (? वर्णत्वादि) वाचकत्वादेः पुरुषैरविकरणाद्, वेदे को विशेषो ? येन तत्रैषोऽसद्ग्रहः - अपौरुषेयत्वासद्ग्रह इति गाथार्थः ॥१२८३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy