SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૮૨ ગાથાર્થ : વેદવચનથી અન્ય વચન અદૃશ્ય કર્તાવાળું સંભળાતું નથી, એથી કેવી રીતે વેદવચનના વિષયમાં અદ્રશ્ય કર્તાની આશંકા થાય ? તેને ગ્રંથકાર કહે છે – ક્યારેક પિશાચવચન સંભળાય છે, પરંતુ વેદવચન સદા જ સંભળાતું નથી. ટીકાઃ __ अदृश्यकर्तृकं नो-नैवाऽन्यत् श्रूयते, कथं न्वाशङ्का ? विपक्षादृष्टेरित्यर्थः अत्राह-श्रूयते पिशाचवचनं कदाचिल्लौकिकमेतद्, एतत्तु-वैदिकमपौरुषेयं न सदैव श्रूयत इति गाथार्थः ॥१२८२॥ ટીકાઈ: અન્યત્રવેદવચનથી અન્ય વચન, અદેશ્યકતૃક–અદેશ્ય કર્તાવાળું, સંભળાતું નથી જ, કઈ રીતે આશંકા થાયત્રવેદવચનના વિષયમાં અદશ્યકáકની આશંકા કઈ રીતે થાય? કેમ કે વિપક્ષની અદેષ્ટિ છે=જ્યાં જ્યાં સંભળાતા વચનનો કર્તા દેખાતો ન હોય ત્યાં ત્યાં તે વચનનો કર્તા અદશ્ય છે એ રૂપ વિપક્ષનું અદર્શન છે. અહીં કહે છે=આ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર ઉત્તર આપતાં કહે છે – ક્યારેક લૌકિક એવું આ=અદશ્યકર્તક, પિશાચવચન સંભળાય છે, પરંતુ આ=અપૌરુષેય એવું વૈદિક=પુરુષ દ્વારા નહીં બોલાયેલું એવું વેદસંબંધી વચન, સદા જ=ક્યારેય પણ, સંભળાતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે વેદવચન બોલવાના વ્યાપાર વગર સંભળાતું હોય, તો તેનો અદશ્ય કર્તા હોવો જોઈએ એવી આશંકાનું નિવારણ થઈ શકે નહિ. માટે વેદવચનને અપૌરુષેય સ્વીકારી શકાય નહીં. આ કથનને સામે રાખીને પૂર્વપક્ષી કહે છે કે વેદવચનથી અન્ય કોઈ વચન અદશ્ય કર્તાવાળું સંભળાતું નથી, આથી “વેદવચનનો કર્તા અદશ્ય હશે' એવી શંકા થઈ શકે નહીં, કેમ કે વિપક્ષ દેખાતો નથી. આશય એ છે કે જ્યાં વિપક્ષ દેખાતો હોય ત્યાં જ શંકા થઈ શકે. જેમ પર્વત ઉપર વહ્નિ પણ હોઈ શકે છે અને વતિનો વિપક્ષ એવો વતિનો અભાવ પણ હોઈ શકે છે; તેથી પર્વતને જોઈને કોઈ કહે કે “આ પર્વત ઉપર વહ્નિ છે' તો ત્યાં કોઈકને ‘આ પર્વત ઉપર વહ્નિ નથી' એવી પણ શંકા થઈ શકે છે; કેમ કે પર્વતમાં વિલિની જેમ વતિના વિપક્ષભૂત વહયાભાવની પણ પ્રસિદ્ધિ છે. તેમ વેદવચનથી અન્ય પણ કોઈ વચન અદશ્યકર્તક પ્રાપ્ત થતું હોય અને કોઈ કહે કે “વેદવચન અકર્તક છે” તો ત્યાં કોઈકને “વેદવચન અદશ્યકર્તક છે એવી પણ શંકા થઈ શકે; પરંતુ જગતમાં અકર્તક વેદવચનના વિપક્ષભૂત અદશ્યકતૃક વચનની ક્યાંય પ્રાપ્તિ નથી, માટે “વેદવચન અદશ્યકર્તક છે' તેવી શંકા કોઈ કરી શકે નહીં; કેમ કે વેદવચનમાં રહેલા અકર્તુત્વના વિપક્ષભૂત અદશ્યકતૃત્વની જગતમાં ક્યાંય પ્રસિદ્ધિ નથી. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy