SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૮૪ થી ૧૨૮૬ ૨૨૯ અવતરણિકા : ગાથા ૧૨૭થી ૧૨૮૧માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે વચન અને અપરુષેય એ અત્યંત વિરુદ્ધ છે; વળી પુરુષના બોલવારૂપ વ્યાપાર વગરનું વચન લોકમાં સંભળાતું નથી અને કદાચ સંભળાય તોપણ તે સંભળાતા વચનના અદેશ્ય કર્તાની આશંકા દૂર થતી નથી. આથી નક્કી થાય કે વેદવચનને અપૌરુષેય સ્વીકારી શકાય નહીં. ત્યારપછી ગાથા ૧૨૮૨માં પૂર્વપક્ષીએ ગ્રંથકારને કહ્યું કે વિપક્ષની અદૃષ્ટિ હોવાથી વેદવચનમાં અદશ્ય કર્તાની શંકા થઈ શકે નહીં. તેને ગ્રંથકારે કહ્યું કે પિશાચ નહીં દેખાતો હોવા છતાં ક્યારેક પિશાચવચન સંભળાય છે, આથી જો વેદવચન ક્યારેક સંભળાતું હોય તો પિશાચવચનની જેમ વેદવચનમાં પણ અદશ્ય કર્તાની આશંકા થઈ શકે, પરંતુ વેદવચન ક્યારેય સંભળાતું નથી અને જે સંભળાતું ન હોય એ વચન જ નથી, માટે વેદવચનને અપૌરુષેય કહી શકાય નહીં. આ પ્રમાણે સ્થાપન કર્યા પછી ગ્રંથકારે ગાથા ૧૨૮૩માં સત્કાર્યવાદની દૃષ્ટિને અવલંબીને પૂર્વપક્ષીને દૂષણ આપ્યું કે વેદવચનની જેમ લૌકિકવચન પણ અપૌરુષેય છે, માટે વેદવચનને જ અપૌરુષેય કહેવું એ પૂર્વપક્ષીનો અસહ્વહ છે. આ રીતે ગાથા ૧૨૭થ્થી ૧૨૪૩ સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું કે વેદવચન અપૌરુષેય નથી, છતાં વેદવચનને અપૌરુષેયસ્વીકારીએતો તે રીતે લૌકિકવચન પણ અપીરુષેય છે તેમ માનવું પડે, માટે વેદવચનમાં અપૌરુષેયત્વનો મીમાંસકોનો અસગ્રહ છે. હવે વેદવચનને અપૌરુષેય સ્વીકારીએ તોપણ, તે વેદવચનથી કોઈ વસ્તુનો નિર્ણય થઈ શકતો નથી, માટે વેદવચનને પ્રમાણ સ્વીકારી શકાય નહીં. એ બતાવવા અર્થે કહે છે – ગાથા : ण य णिच्छओ वि हु तओ जुज्जइ पायं कहिंचि सण्णाया। जं तस्सऽत्थपगासणविसएह अइंदिया सत्ती ॥१२८४॥ અન્વયાર્થ : તો અને તેનાથી–વેદવચનથી, પર્વ-પ્રાયઃ કવિ ક્યાંય સUOTય-સાયથી બિમવિનિશ્ચય પણ ન mડું ઘટતો નથી; ગં=જે કારણથી અહીંયાગીય હિંસાના પ્રક્રમમાં, તસ્મ તેની વેદવચનની, સ્થિપITIHUવિક અર્થપ્રકાશનવિષયક પ્રક્રિયા સત્તી અતીન્દ્રિય શક્તિ છે. * “' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને વેદવચનાથી પ્રાયઃ ક્યાંય સચાયથી નિર્ણય પણ ઘટતો નથી; જે કારણથી ચાગીય હિંસાના પ્રકમમાં વેદવચનની અર્થપ્રકાશનવિષયક અતીન્દ્રિય શક્તિ છે. ટીકા : न च निश्चयोऽपि ततो-वेदवाक्याद् युज्यते प्रायः क्वचिद्वस्तुनि सन्न्यायाद्, यद्-यस्मात् तस्य वेदवचनस्याऽर्थप्रकाशनविषये इह प्रक्रमेऽतीन्द्रिया शक्तिरिति गाथार्थः ॥१२८४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy