SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૦૮-૧૨૦૯ અનિવારિત ગુરુસંપ્રદાય અર્થાત્ આગમમાં બતાવેલ વિધિ પ્રમાણે પ્રવૃત્તિ કરનારી જે ગુરુઓની અસ્ખલિત પરંપરા, તેનાથી વર્તમાનના આગમો સર્વજ્ઞ વડે કહેવાયેલા છે એમ નક્કી થાય છે. આથી દ્રવ્યસ્તવને કહેનારું વચન પણ સર્વજ્ઞ વડે કહેવાયેલું છે એમ નક્કી થાય છે. ૨૨૨ આનાથી એ ફલિત થાય કે તે કાળે તે સર્વજ્ઞ ભગવાન તીર્થંકરે કેવલજ્ઞાનથી જગતના સર્વ પદાર્થો જાણ્યા, જાણીને તે પ્રમાણે જ કહ્યા અને તીર્થંકર વડે કહેવાયેલા તે પદાર્થો આગમમાં ગૂંથાયા; વળી તે આગમમાં બતાવાયેલ વિધિ પ્રમાણે જેઓ સંયમ ગ્રહણ કરીને પ્રવર્તે છે, તેવા ગુરુઓની જે અનિવારિત પરંપરા ચાલે છે, તે પરંપરાથી નિર્ણય થાય છે કે આ આગમને કહેનારા છદ્મસ્થ નથી પરંતુ સર્વજ્ઞ છે, માટે દ્રવ્યસ્તવને કહેનારું વચન પણ સર્વજ્ઞનું જ છે. આથી સર્વજ્ઞથી કથિત હોવાથી ‘સર્વજ્ઞ આવું કહે છે' એ કથન અત્યંત અસંભવી નથી, પરંતુ સંભવી શકે તેવું છે અને સંભવી શકે તેવું હોવાથી તેવું વિશિષ્ટ જ વચન વિચા૨ક પુરુષની પ્રવૃત્તિનું નિમિત્ત બની શકે છે, એમ ગાથા ૧૨૪૬-૧૨૪૭ સાથે સંબંધ છે. II૧૨૭૮મા અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે બતાવ્યું કે દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞવચન સંભવતા સ્વરૂપવાળું છે, હવે યાગને કહેનારું વેદવચન સંભવતા સ્વરૂપવાળું નથી, તે બતાવે છે - ગાથા: वेअवयणं त नेवं अपोरसेअं तु तं मयं जेणं । तु इअमच्चंतविरुद्धं वयणं च अपोरसेअं च ॥१२७९॥ અન્વયાર્થ: વેસવયાં તુ-વળી વેદવચન વં ન=આવું નથી=સંભવતા સ્વરૂપવાળું નથી; નેમાં-જે કારણથી તાતે=વેદવચન, અપોક્ષેત્રં તુ મયં=અપૌરુષેય જ મનાયું છે. વયળ = ગોરક્ષેત્રં ચ અને વચન અને અપૌરુષેય રૂમ-એ અન્વંતવિરુદ્ધં=અત્યંત વિરુદ્ધ છે. ગાથાર્થ વળી વેદવચન સંભવતા સ્વરૂપવાળું નથી; જે કારણથી વેદવચન અપૌરુષેય જ મનાયું છે. અને વચન અને અપૌરુષેય એ અત્યંત વિરુદ્ધ છે. ટીકા वेदवचनं तु न एवं सम्भवत्स्वरूपं, अपौरुषेयमेव तन्मतं येन कारणेन, इदमत्यन्तविरुद्धं वर्त्तते, યડુત-વચનું ચાપૌરુષેય વ્રુત્તિ નથાર્થ: ૫૨૨૭૬૫ ટીકાર્ય વળી વેદવચન આવું=સંભવતા સ્વરૂપવાળું, નથી; જે કારણથી તેવેદવચન, અપૌરુષેય જ મનાયું છે. આવેદવચન અપૌરુષેય મનાયું છે એ, અત્યંત વિરુદ્ધ વર્તે છે. અને તે વિરોધ યદ્યુત થી બતાવે છે – અને વચન અને અપૌરુષેય, એ અત્યંત વિરુદ્ધ છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy