SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૭૮ ગાથાર્થ અને સર્વજ્ઞનું વચન હોવાથી ‘દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે' ઇત્યાદિ પૂર્વમાં કહેવાયેલું સર્વ કથન સંભવી શકે એવા સ્વરૂપવાળું છે. અને સર્વજ્ઞ વડે કહેવાયેલ આગમથી પ્રયોજાયેલ ગુરુઓની પરંપરાથી સર્વજ્ઞનું વચન નિશ્ચિત છે. ટીકાઃ तथा सम्भवद्रूपं सर्वं सर्वज्ञवचनत एतद् यदुक्तं तत् निश्चित्य (? निश्चितं) सर्वज्ञावगतकथितागमप्रयुक्तानिवारितगुरुसम्प्रदायेभ्यः सकाशादिति गाथार्थः ॥१२७८॥ ૨૨૧ નોંધઃ મૂળગાથામાં નિચ્છિા છે, તેને સ્થાને પ્રતિમાશતક પ્રમાણે બિતિં હોવું જોઈએ અને ટીકામાં નિશ્ચિત્ય છે, તેને સ્થાને પ્રતિમાશતક પ્રમાણે નિશ્ચિત હોવું જોઈએ. ટીકાર્ય તથા સર્વજ્ઞનું વચન હોવાથી સર્વ આ=‘દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે' ઇત્યાદિ પૂર્વમાં કહેવાયેલું સર્વ કથન, સંભવતા રૂપવાળું છે=સંભવી શકે એવા સ્વરૂપવાળું છે. અહીં પ્રશ્ન થાય કે પૂર્વમાં કહેવાયું એ સર્વ કથન સર્વજ્ઞનું વચન છે કે કોઈ અન્ય વ્યક્તિનું વચન છે ? એનો કઈ રીતે નિર્ણય થઈ શકે ? એથી કહે છે - જે કહેવાયું=‘દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે' ઇત્યાદિ સર્વ સર્વજ્ઞનું વચન છે એમ જે પૂર્વમાં કહેવાયું, તે સર્વજ્ઞ વડે અવગત અને કથિત એવા આગમથી પ્રયુક્ત એવા અનિવારિત ગુરુસંપ્રદાયથી નિશ્ચિત છે=સર્વજ્ઞ ભગવાન વડે જ્ઞાનમાં જણાયેલ અને ત્યારપછી કહેવાયેલ એવા આગમથી પ્રયોજાયેલ એવી નહીં નિવારણ કરાયેલ ગુરુઓની પરંપરાથી નિર્ણય પામેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: દ્રવ્યસ્તવ કરવાથી શ્રાવકને ભાવસ્તવની પ્રાપ્તિ વગેરે ગુણો થાય છે અને તે ગુણો દ્વારા ક્રમે કરીને શ્રાવકને મોક્ષ પ્રાપ્ત થાય છે, આથી દ્રવ્યસ્તવ મોક્ષનું કારણ છે. આ સર્વ કથન સર્વજ્ઞનું વચન હોવાને કારણે સંભવી શકે તેવા સ્વરૂપવાળું છે; કેમ કે કોઈ સર્વશે કહેલ છે એમ સ્વીકારવાથી, તે વચનને કહેનાર કોઈ પુરુષ છે એમ પ્રાપ્ત થવાથી સંભવી શકે તેવા સ્વરૂપવાળું છે; પરંતુ યાગને કહેનારા વેદવચનની જેમ સંભવી ન શકે તેવા સ્વરૂપવાળું નથી અર્થાત્ અન્ય દર્શનવાળા જેમ વેદને અપૌરુષેય માને છે, તેમ આગમને અપૌરુષેય માનવામાં આવે તો દ્રવ્યસ્તવને કહેનારું વચન સંભવી શકે નહીં. વળી વચનને અપૌરુષેય માનવામાં આવે તો વચન અસંભવતા સ્વરૂપવાળું કેમ પ્રાપ્ત થાય ? તે સ્વયં ગ્રંથકાર આગળમાં કહેવાના છે. ન અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવને કહેનારું વચન સર્વજ્ઞનું છે કે અન્ય કોઈ વ્યક્તિનું છે, તે કઈ રીતે નક્કી થાય ? તેથી કહે છે - સર્વજ્ઞ ભગવાને પ્રથમ કેવલજ્ઞાનથી પોતે જાણ્યું કે અધિકારી જીવથી સમ્યક્ રીતે સેવાયેલ દ્રવ્યસ્તવ સંસારના ઉચ્છેદનું કારણ બને છે, અને તેવું જાણીને સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા આગમોથી પ્રયુક્ત જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy