SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦-૧૨૦૦, ૧૨૦૮ તેમ – ભગવાનની પૂજા કરતી વખતે શ્રાવકના હૈયામાં દયાનો પરિણામ, ભગવાનના ગુણો પ્રત્યેનો પક્ષપાત વગેરે ભાવો વર્તતા હોવાથી તે પૂજાની ક્રિયા અધિકરણરૂપ બનતી નથી, અને અધિકરણ નહીં બનતી હોવાથી તે પૂજાની ક્રિયાથી સંયમની પ્રાપ્તિ દ્વારા અધિક હિંસાની નિવૃત્તિ થાય છે. વળી, પૂજામાં ભગવાનના દર્શનનો શુભ યોગ વર્તતો હોવાથી પરિશુદ્ધ ગુણાંતર પ્રાપ્ત થાય છે, અર્થાત ભગવાનની પૂજાકાળમાં શ્રાવક ભગવાનના પારમાર્થિક સ્વરૂપનું ચિંતવન કરે છે એ રૂપ ભગવાનના સ્વરૂપના દર્શનથી, શ્રાવકના હૈયામાં શુભ મનોયોગ વર્તે છે અને તે શુભ મનોયોગથી શ્રાવકને સંયમગ્રહણની શક્તિસંચયરૂપ પરિશુદ્ધ એવો અન્ય ગુણ પ્રાપ્ત થાય છે. તેથી પૂજાગત હિંસા પણ ગાથા ૧૨૭૪માં બતાવ્યું એ રીતે ગુણકારી છે. વળી, ગાથા ૧૨૭૦-૧૨૭૧માં બતાવ્યું તે પ્રકારે જેમ નાગાદિથી પુત્રનું રક્ષણ કરવા માટે પુત્રને ખેંચતી માતાનો શુભ યોગ છે, તેમ ભગવાનની પૂજામાં થતી હિંસા અનુબંધને આશ્રયીને નિવૃત્તિપ્રધાન છે. આથી ભગવાનની પૂજાથી પૂજામાં થતી હિંસા કરતાં અધિક હિંસાની નિવૃત્તિ થતી હોવાથી, યતનાથી વર્તતા શ્રાવકને દ્રવ્યસ્તવમાં અલ્પ હિંસા થાય છે અર્થાતુ હતુ અને અનુબંધથી હિંસા થતી નથી, માત્ર સ્વરૂપથી હિંસા થાય છે. માટે તેવી અલ્પ હિંસા પરમાર્થથી અહિંસારૂપ જ છે; કેમ કે કર્મબંધ પ્રત્યે સ્વરૂપહિંસા કારણ નથી, પરંતુ હેતુહિંસા અને અનુબંધહિંસા કારણ છે. I૧૨૭૬/૧૨૭૭ અવતરણિકા : ગાથા ૧૨૪૬-૧૨૪૭માં ગ્રંથકારે કહેલ કે ઉપપત્તિશૂન્ય વચનમાત્ર પ્રવૃત્તિનું નિમિત્ત થતું નથી, પરંતુ દષ્ટ-ઈષ્ટઅવિરુદ્ધ અને સંભવતા સ્વરૂપવાળું વિશિષ્ટ જ વચન પ્રવૃત્તિનું નિમિત્ત થાય છે. તેથી ગાથા ૧૨૪૮થી ૧૨૫૭ સુધી દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞવચન કઈ રીતે દષ્ટ-ઈષ્ટઅવિરુદ્ધ છે? અને યાગને કહેનારું વેદવચન કઈ રીતે દૃષ્ટ-ઈષ્ટવિરુદ્ધ છે? તે બતાવ્યું, ત્યારપછી પૂર્વપક્ષીએ જે ગાથા ૧૨૩૧થી ૧૨૩૩માં શંકા કરીને સ્થાપન કરેલ કે યાગીય હિંસા દ્રવ્યસ્તવીય હિંસા સંદેશ છે, તેનું ગ્રંથકારે ગાથા ૧૨૫૮થી ૧૨૬૬ સુધી નિરાકરણ કર્યું. હવે દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞવચન કઈ રીતે સંભવતા સ્વરૂપવાળું છે અને ત્યાગને કહેનારું વેદવચન કઈ રીતે સંભવતા સ્વરૂપવાળું નથી? તે ગાથા ૧૩૦૧ સુધી બતાવે છે – ગાથા : तह संभवंतरूवं सव्वं सव्वण्णुवयणओ एअं । तं णिच्छिअ(?णिच्छियं)कहिआगमपउत्तगुरुसंपयाएहिं ॥१२७८॥ અન્વયાર્થ : તહં તથા સવ્વાણુવયાગો સર્વજ્ઞનું વચન હોવાથી સવંai સર્વ આ="દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે' ઇત્યાદિ પૂર્વમાં કહેવાયેલું સર્વ કથન, સંમવંતરૂવં=સંભવતા રૂપવાળું છે સંભવી શકે એવા સ્વરૂપવાળું છે. (અને) દિમાગમાઉત્તપુરસંપાર્દિકથિતઆગમપ્રયુક્તગુરુસંપ્રદાયથી=સર્વજ્ઞ વડે કહેવાયેલ આગમથી પ્રયોજાયેલ ગુરુઓની પરંપરાથી, તંતે સર્વજ્ઞનું વચન, ળિછિયં નિશ્ચિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy