SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૦૬-૧૨૦૦ અન્વયાર્થઃ તા-તે કારણથી ઞયા વિ હિંસા-એતદ્ગત પણ હિંસા=પૂજાગત પણ હિંસા, વં=આ રીતે=ગાથા ૧૨૭૪માં બતાવ્યું એ રીતે, મુળજારિણી વિન્નેમા-ગુણકારી જાણવી. તદ્દ તે પ્રકારે=ગાથા ૧૨૭૦૧૨૭૧માં બતાવ્યું તે પ્રકારે, મળિગળાયઓ ધ્વિય-ભણિત ન્યાયથી જ હ્ર=અહીં=દ્રવ્યસ્તવમાં, સા= આ=હિંસા, નયા=યતનાથી અપ્પા=અલ્પ છે. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ: તે કારણથી પૂજાગત પણ હિંસા ગાથા ૧૨૦૪માં બતાવ્યું એ રીતે ગુણકારી જાણવી. ગાથા ૧૨૭૦૧૨૭૧માં બતાવ્યું તે પ્રકારે કહેવાયેલ ન્યાયથી જ દ્રવ્યસ્તવમાં હિંસા ચતનાથી અલ્પ છે. ૨૧૯ ટીકા : तत् = तस्मात् एतद्गताऽपि = पूजागताऽप्येवं हिंसा गुणकारिणी विज्ञेया, तथा भणितन्यायत एव अधिक निवृत्त्यादेरेषा-हिंसाऽल्पेह यतनयेति गाथार्थः ॥१२७७॥ * ‘‘તાતાપિ’’માં ‘વિ'થી એ જણાવવું છે કે નાગાદિથી પુત્રના રક્ષણમાં આકર્ષણગત દોષ તો ગુણકારી છે, પરંતુ પૂજાગત પણ હિંસા ગુણકારી છે. * ‘અધિનિવૃત્ત્વારે:''માં ‘આફ્િ' પદથી ગુણપ્રાપ્તિનું ગ્રહણ છે. ટીકાર્ય તે કારણથી આના ગત પણ=પૂજાગત પણ, હિંસા આ રીતે=ગાથા ૧૨૭૪માં બતાવ્યું એ રીતે, ગુણને કરનારી જાણવી. તે પ્રકારે ભણિત ન્યાયથી જ=ગાથા ૧૨૭૦-૧૨૭૧માં બતાવ્યું તે પ્રકારના નાગાદિથી પુત્રના રક્ષણના દૃષ્ટાંતથી જ, અધિકની નિવૃત્તિ આદિને કારણે અહીં=દ્રવ્યસ્તવમાં, આ=હિંસા, યતનાથી અલ્પ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વિધિપૂર્વક ભગવાનની પૂજા કરતી વખતે વિવેકી શ્રાવકને પુષ્પાદિ જીવો પ્રત્યે દયાનો ભાવ હોય છે અને ભગવાનમાં રહેલી વીતરાગતા પ્રત્યે પૂજ્યતાનો ભાવ હોય છે. આ રીતે ભગવાનની પૂજાકાળમાં વર્તતા ઉત્તમ ભાવને કારણે શ્રાવકને પૂજાની ક્રિયાથી કર્મબંધ થતો નથી, માટે પૂજાની ક્રિયા કર્મબંધના કારણીભૂત એવા અધિકરણરૂપ નથી. આથી પૂજામાં થતી હિંસાથી અધિક હિંસાની નિવૃત્તિ થાય છે. જેમ ભગવાન મહાવીરે બ્રાહ્મણને વસ્ત્રનું દાન કર્યું અને તે બ્રાહ્મણે તે વસ્ત્રને વેચીને પોતાની આજીવિકા ચલાવી, તોપણ ભગવાનની વસ્ત્રદાનની ક્રિયા અધિકરણરૂપ બની નહીં; કેમ કે વસ્ત્રદાન કરતી વખતે ભગવાનને ઉત્તમ ભાવ હતો કે આ વસ્ત્રદાનથી આ બ્રાહ્મણને બીજાધાન થશે, તેનાથી તેને ચારિત્રની પ્રાપ્તિ થશે અને તેનાથી સર્વ આરંભ-સમારંભની નિવૃત્તિ થશે. - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy