SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૯-૧૨૮૦ ભાવાર્થ: વેદવચનને પ્રમાણભૂત સ્વીકારનાર મીમાંસકો વેદને અપૌરુષેય કહે છે; કેમ કે તેઓ માને છે કે જગતમાં કોઈ પુરુષ સર્વજ્ઞ નથી, માટે અતીન્દ્રિય પદાર્થોને કોઈ કહી શકે નહીં. અને જો વેદ પુરુષથી રચાયેલ હોય તો પુરુષની ક્ષતિને કારણે વેદમાં દોષનો સંભવ રહે, પરંતુ વેદવચન અપૌરુષેય છે, માટે વેદમાં કોઈ દોષની સંભાવના રહેતી નથી, માટે વેદવચન પ્રમાણ છે. તેને ગ્રંથકાર કહે છે કે જે રીતે દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞવચન સંભવતા સ્વરૂપવાળું છે, તે રીતે વેદવચન સંભવતા સ્વરૂપવાળું નથી; કેમ કે મીમાંસકો વડે વેદવચન અપૌરુષેય મનાયું છે અને વચનને અપૌરુષેય કહેવું અત્યંત વિરોધી છે. જેમ “મારી માતા વંધ્યા છે' એ કથનમાં “માતા” અને “વંધ્યા' એ શબ્દ વિરોધી છે, તેમ “વચન અપૌરુષેય છે' એ કથનમાં “વચન” અને “અપૌરુષેય' એ શબ્દ વિરોધી છે. વળી વચન અને અપૌરુષેય વિરોધી કેમ છે? એ ગ્રંથકારશ્રી આગળમાં સ્વયં બતાવે છે. I/૧૨૭૯ અવતરણિકા: एतद्भावनायाह - અવતરણિતાર્થ : આના ભાવન માટે કહે છેઃવેદવચન અપૌરુષેય છે એ કથન અત્યંત વિરુદ્ધ છે, એનું ભાન કરવા માટે કહે છે – ગાથા : जं वुच्चइ त्ति वयणं पुरिसाभावे उ नेवमेअं ति । ___ता तस्सेवाभावो णिअमेण अपोरसेअत्ते ॥१२८०॥ અન્વયાર્થ : પુષ્યત્તિ વયgi-જે કારણથી “કહેવાય છે એ વચન છે.” વળી આ=વચન, પુરિસમાવે-પુરુષનો અભાવ હોતે છતે વંન=આવું નથી=પુરુષથી કહેવાય છે એવું નથી, તો કારણથી પોરસે જો અપૌરુષેયત્વ હોતે છતે જ મેળ-નિયમથી તસેવં તેનો જ=વચનનો જ, અમાવો અભાવ થાય. * તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : જે કારણથી “કહેવાય છે એ વચન છે.” વળી વચન પુરુષનો અભાવ હોતે છતે પુરુષથી કહેવાય છે એવું નથી, તે કારણથી અપૌરુષેયપણું હોતે છતે નિયમથી વચનનો જ અભાવ પ્રાપ્ત થાય. ટીકાઃ यद्-यस्माद् ‘उच्यत इति वचनम्' अयमन्वर्थः, पुरुषाभावे तु नैवमेतत् नोच्यत इत्यर्थः, तत् तस्यैववचनस्याभावो नियमेनाऽपौरुषेयत्वे सत्यापद्यत इति गाथार्थः ॥१२८०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy