SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૪-૧૨૫ ૨૦૦ અને તીર્થકરને અવલંબીને કેવા પ્રકારના ભાવો કરવા જોઈએ? એ પ્રકારનો બોધ શ્રાવકમાં સમ્ય પ્રવર્તતો હોય છે, માટે સમ્યજ્ઞાનની આરાધના થાય છે. વળી, શ્રાવક દ્રવ્યસ્તવકાળમાં સમ્યગ્રુચિ અને સમ્યગ્બોધથી નિયંત્રિત એવી ભગવાનની ભક્તિની પ્રવૃત્તિ કરીને ચારિત્રના ભાવોને અનુકૂળ કાંઈક પરિણામો કરે છે, જેથી ચારિત્રના પ્રતિબંધક કર્મો તૂટે છે, માટે સમ્યચ્ચારિત્રની આરાધના થાય છે. આ રીતે યતનાપૂર્વક દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક રત્નત્રયીના પ્રતિબંધક કર્મોનો ક્ષય કરીને શક્તિનો પ્રકર્ષ થાય તો આ ભવમાં જ ચારિત્રની પ્રાપ્તિ કરે છે અને યાવત્ સંસારનો અંત કરે છે; અને કદાચ તેવો શક્તિનો પ્રકર્ષ આ ભવમાં ન થાય, તોપણ અન્ય ભવમાં ચારિત્રની પ્રાપ્તિ કરે છે અને યાવત્ સંસારનો અંત કરે છે. આથી નક્કી થાય કે, દ્રવ્યસ્તવ એ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનાને અનુકૂળ પ્રવૃત્તિ છે. ૧૨૬જા અવતરણિકા: ગાથા ૧૨૬રમાં કહેલ કે યતનાથી વર્તતા શ્રાવકને જિનભવનાદિમાં અલ્પ હિંસા થાય છે, અને તેમાં કારણ બતાવ્યું કે યતના ધર્મનો સાર છે. ત્યારપછી ગાથા ૧૨૬૩-૧૨૬૪માં યતના ધર્મનો સાર કઈ રીતે છે? તે બતાવ્યું. હવે યતના તત્ત્વથી હિંસાની નિવૃત્તિપ્રધાન છે, તે બતાવે છે – ગાથા : एसा य होइ नियमा तयहिगदोसविणिवारणी जेण । तेण णिवित्तिपहाणा विनेआ बुद्धिमंतेणं ॥१२६५॥ અન્વચાર્યઃ ને અને જે કારણથી પસી આકયતના, નિયમ-નિયમથી તદાવોસવળવારા તેનાથી અધિક દોષની વિનિવારણી=દ્રવ્યસ્તવીય હિંસાથી થતા દોષથી અધિક દોષનું નિવારણ કરનારી, હોડું થાય છે, તેT=તે કારણથી વદ્ધિમત્તેviબુદ્ધિમાને (યતના) Mિવિત્તિપાપIT વિન્નેમા-નિવૃત્તિપ્રધાન જાણવી. ગાથાર્થ : અને જે કારણથી ચતના નિયમથી દ્રવ્યસ્તવીચ હિંસાથી થતા દોષથી અધિક દોષનું નિવારણ કરનારી થાય છે, તે કારણથી બુદ્ધિમાને ચતના નિવૃત્તિપ્રધાન જાણવી. ટીકા : एषा च भवति नियमात् यतना तदधिकदोषविनिवारणी येन अनुबन्धेन, तेन निवृत्तिप्रधाना तत्त्वतः विज्ञेया बुद्धिमता सत्त्वेनेति गाथार्थः ॥१२६५॥ ટીકાર્ય અને જે કારણથી આકયતના, નિયમથી અનુબંધ દ્વારા તેનાથી અધિક દોષની વિનિવારણી થાય છે= દ્રવ્યસ્તવીય હિંસાથી થતા દોષથી અધિક દોષનું નિવારણ કરનારી થાય છે, તે કારણથી બુદ્ધિમાન સત્ત્વએ બુદ્ધિશાળી પુરુષ, યતના તત્ત્વથી નિવૃત્તિપ્રધાન જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy