SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ભાવાર્થ: દ્રવ્યસ્તવકાળમાં સ્વરૂપથી હિંસા હોવા છતાં શ્રાવકના હૈયામાં યતનાનો પરિણામ વર્તતો હોવાથી અધિક દોષનું નિવારણ થાય છે; કેમ કે દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકનું ચિત્ત બાહ્ય રીતે યતનાપ્રધાન હોવાથી સર્વ જીવો પ્રત્યે દયાળુ હોય છે અને અંતરંગ રીતે ભગવાનના ગુણો પ્રત્યે બહુમાનભાવ હોવાથી સર્વ અહિંસાના બીજભૂત વીતરાગભાવ પ્રત્યે પ્રીતિવાળું હોય છે. માટે શ્રાવક વીતરાગની ભક્તિ કરીને વીતરાગતાને અભિમુખ ચિત્તની ભૂમિકા પ્રગટ કરે છે. આથી દ્રવ્યસ્તવમાં જે સ્વરૂપથી હિંસા થાય છે, તેનાથી અધિક દોષનું નિવારણ દ્રવ્યસ્તવના ફળ દ્વારા થાય છે; કેમ કે દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકના હૈયામાં વર્તતો દયાનો પરિણામ ભગવાનની ભક્તિ દ્વારા પ્રકર્ષવાળો થવાથી જન્માંતરમાં ષટ્કાયના પાલનના પરિણામવાળો થશે, અને તે શ્રાવકનો આત્મા સંયમ ગ્રહણ કરશે ત્યારે હિંસાના બીજભૂત એવી રાગાદિની આકુળતા તેનામાં ઓછી થશે, અને ક્રમે કરીને તે મોક્ષ પ્રાપ્ત કરશે ત્યારે સર્વથા હિંસાની નિવૃત્તિ થશે. આથી દ્રવ્યસ્તવમાં અન્ય જીવોની થતી હિંસા વ્યવહારથી દોષરૂપ હોવા છતાં તેમાં વર્તતી યતના દ્વારા અધિક દોષનું નિવર્તન થાય છે, માટે યતના તત્ત્વથી હિંસાની નિવૃત્તિપ્રધાન છે. માટે ગાથા ૧૨૬૨માં કહેલ છે કે યતનાથી વર્તતા શ્રાવકોને જિનભવનાદિ દ્રવ્યસ્તવમાં અલ્પ હિંસા થાય છે. ૧૨૬૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૬૫-૧૨૬૬ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે યતના તત્ત્વથી હિંસાની નિવૃત્તિપ્રધાન જાણવી. તેથી હવે દ્રવ્યસ્તવમાં વર્તતી યતનાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : અન્વયાર્થ: सा इह परिणयजलदलविसुद्धिरूवा उ होइ विण्णेआ । अत्थव्वओ महंतो सव्वो सो धम्महेउ त्ति ॥ १२६६ ॥ રૂ.=અહીં=જિનભવનાદિરૂપ દ્રવ્યસ્તવમાં, સા-તે=પૂર્વમાં બતાવાયેલી યતના, રિળયનતવતવિસુદ્ધિરૂવા૩-પરિણત જલ, દલની વિશુદ્ધિરૂપ જ વિળે હો=વિશેય થાય છે. (જોકે) મહંતો ગત્ત્વન્દ્વઓ-મહાન અર્થવ્યય થાય છે, (તોપણ) સવ્વો-સર્વ સૌ-આ=અર્થવ્યય, થમ્મદે =ધર્મનો હેતુ છે. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ: Jain Education International જિનભવનાદિરૂપ દ્રવ્યસ્તવમાં પૂર્વમાં વર્ણવાયેલી યતના પ્રાસુક પાણી, કાષ્ઠાદિ દલની વિશુદ્ધિરૂપ જ જાણવી. જોકે ઘણો ધનવ્યય થાય છે, તોપણ સર્વ ધનવ્યય ધર્મનો હેતુ છે. ટીકા ઃ सा-यतना इह-जिनभवनादौ परिणतजलदलविशुद्धिरूपैव भवति विज्ञेया, प्रासुकग्रहणेन अर्थव्ययो महान् यद्यपि तत्र, तथापि सर्वोऽसौ धर्म्यहेतुः, स्थाननियोगादिति गाथार्थः ॥ १२६६ ॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy