SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૬૩-૧૨૬૪ દૃષ્ટિકોણથી કલ્યાણકારી છે. આથી યતના ધર્મનો સાર છે, માટે શાસ્ત્રવચન અનુસાર યતનાથી દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકના ગુણસ્થાનકનું પાલન અને વર્ધન થતું હોવાથી યતના ભાવસ્તવની પ્રાપ્તિનું કારણ છે, માટે યતનાથી કરાયેલ દ્રવ્યસ્તવમાં પરમાર્થથી હિંસા નથી, માત્ર વ્યવહારથી હિંસા છે. એને સામે રાખીને પૂર્વગાથામાં કહેલ છે કે તેનાથી વર્તતા શ્રાવકને જિનભવનાદિ દ્રવ્યસ્તવમાં અલ્પ હિંસા થાય છે. ૧૨૬all અવતરણિકા : યતના ધર્મનો સાર કઈ રીતે છે? એ પૂર્વગાથામાં બતાવ્યું, હવે યતના ધર્મનો સાર છે, એ અન્ય રીતે બતાવે છે – ગાથા : जयणाए वट्टमाणो जीवो सम्मत्तणाणचरणाणं । सद्धाबोहासेवणभावेणाराहओ भणिओ ॥१२६४॥ અન્વયાર્થ : ગયUTI વક્મો નીવોયેતનાથી વર્તતો જીવ સદ્ધાવોદાસેવનુમાવે શ્રદ્ધા, બોધ અને આસેવનના ભાવને કારણે સમત્તUTUવરVIDi=સમ્યક્ત, જ્ઞાન અને ચરણનો મારો આરાધક મUTો કહેવાયો છે. ગાથાર્થ: યતનાથી વર્તતો જીવ શ્રદ્ધા, બોધ અને આસેવનના ભાવને કારણે સ ત્ત્વ, જ્ઞાન અને ચારિત્રનો આરાધક કહેવાયો છે. ટીકા : यतनया वर्तमानो जीवः परमार्थेन सम्यक्त्वज्ञानचरणानां त्रयाणामपि श्रद्धाबोधासेवनभावेन हेतुना आराधको भणितः, तथाप्रवृत्तेरिति गाथार्थः ॥१२६४॥ ટીકાર્ય : યતનાથી વર્તતો જીવ પરમાર્થથી શ્રદ્ધા, બોધ અને આર્તવનના ભાવરૂપ હેતુથી સમ્યક્ત, જ્ઞાન અને ચરણરૂપ ત્રણેનો પણ આરાધક કહેવાય છે, કેમ કે તે પ્રકારે પ્રવૃત્તિ =જે પ્રકારે રત્નત્રયીને અનુકૂળ ભાવોની વૃદ્ધિ થાય તે પ્રકારે યતનાની પ્રવૃત્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - જિનભવનનું નિર્માણ આદિ પ્રવૃત્તિ શાસ્ત્રવચનાનુસાર યતનાથી કરનાર શ્રાવક પરમાર્થથી રત્નત્રયીની આરાધના કરે છે. તે આ રીતે – દ્રવ્યસ્તવકાળમાં “લોકોત્તમ એવા તીર્થકરની ભક્તિથી એકાંતે કલ્યાણ થાય છે એ પ્રકારની સ્થિર રુચિ શ્રાવકમાં વૃદ્ધિ પામે છે, માટે સમ્યગ્દર્શનની આરાધના થાય છે. વળી, દ્રવ્યસ્તવકાળમાં લોકોત્તમ એવા તીર્થકરની ભક્તિ દ્વારા મોહનું ઉમૂલન કરવા અર્થે કેવા પ્રકારની બહિરંગ ઉચિત યતનાઓ કરવી જોઈએ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy