SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૬૩ ૨૦૫ ગાથા : जयणेह धम्मजणणी जयणा धम्मस्स पालणी चेव । तव्वुड्डिकरी जयणा एगंतसुहावहा जयणा ॥१२६३॥ અન્વયાર્થ : રૂદ અહીં ધર્મના સર્વ કાર્યોમાં, નયUT થપ્પનાયતના ધર્મની જનની છે, નયUTI વેવ થમ્પસ પત્ની અને યતના ધર્મની પાલની છે, નયUT તળુરીયતના તવૃદ્ધિકરી છે=ધર્મની વૃદ્ધિ કરનારી છે, નયUT તસુહ્યાવહાયતના એકાંતથી સુખાવહ છે. ગાથાર્થ : ધર્મના સર્વ કાર્યોમાં ચતના ધર્મને પેદા કરનારી છે, ચતના ધર્મનું પાલન કરનારી છે, ચતના ધર્મની વૃદ્ધિ કરનારી છે, ચતના એકાંતે સુખ આપનારી છે. ટીકા : __यतनेह धर्मजननी, ततः प्रसूतेः, यतना धर्मस्य पालनी चैव, प्रसूतरक्षणात्, तवृद्धिकारिणी यतना, इत्थं तवृद्धः, एकान्तसुखावहा यतना, सर्वतो भद्रत्वादिति गाथार्थः ॥१२६३॥ ટીકાર્ય : અહીં ધર્મના સર્વ કાર્યોમાં, યતના ધર્મનું જનન કરનારી છે; કેમ કે તેનાથી પ્રસૂતિ છે=યતનાથી ધર્મનો પ્રસવ થાય છે. અને યતના ધર્મનું પાલન કરનારી છે; કેમ કે પ્રસૂતનું રક્ષણ છે તેનાથી પ્રસવ પામેલ ધર્મનું રક્ષણ થાય છે, યતના તેની વૃદ્ધિકારી છે=ધર્મની વૃદ્ધિ કરનારી છે, કેમ કે આ રીતે તેની વૃદ્ધિ છે=ધર્મના સર્વ કાર્યોમાં યતના કરીએ એ રીતે ધર્મ વધે છે. યતના એકાંતથી સુખાવહ છે=સુખ આપનારી છે; કેમ કે સર્વથી ભદ્રપણું છેકયતનાનું હેતુ-સ્વરૂપ-અનુબંધ એ સર્વથી કલ્યાણપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: કોઈપણ ધર્મના અનુષ્ઠાનમાં યતના વર્તતી હોય તો તે યતનાથી ધર્મ પેદા થાય છે. જેમ કે સંયમ ગ્રહણ કરતી વખતે શાસ્ત્રવચનાનુસાર યતના વર્તતી હોય તો સ્વીકારાયેલ સંયમ ભાવથી પરિણમન પામે છે. આથી યતના ધર્મને જન્મ આપનારી છે. વળી, સંયમ ગ્રહણ કર્યા પછી શાસ્ત્રવચનાનુસાર સર્વ યતના કરવામાં આવે તો પોતાનામાં પ્રગટેલ સંયમના પરિણામનું રક્ષણ થાય છે અને યતના કરવામાં ન આવે તો પ્રગટેલ સંયમના પરિણામનો નાશ થાય છે. આથી યતના ધર્મનું પાલન કરનારી છે. વળી, સંયમ ગ્રહણ કર્યા પછી સર્વ અનુષ્ઠાનો યતનાપૂર્વક કરવાથી, જેમ પ્રગટેલ સંયમના પરિણામનું રક્ષણ થાય છે, તેમ ઉત્તરોત્તર સંયમના કંડકોની વૃદ્ધિ પણ થાય છે. આથી યતના ધર્મને વધારનારી છે. આમ, યતના ધર્મની નિષ્પત્તિનો હેતુ છે, ધર્મના રક્ષણના સ્વરૂપવાળી છે અને ધર્મની વૃદ્ધિના ફળવાળી છે. માટે યતના હેતુથી, સ્વરૂપથી અને ફળથી સુંદર છે. માટે એકાંતે સુખાવહ છે; કેમ કે યતના સર્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy