SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૯ અન્વયાર્થ : રૂમ આ રીતે=ગાથા ૧૨૪૮થી ૧૨૫૭ સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે, વિવિરુદ્ધદષ્ટ-ઇષ્ટવિરુદ્ધ એવું = વયdi=જે વચન છે યાગીય હિંસાને કહેનારું જે વેદવચન છે, રિસા આવા પ્રકારથી આવા પ્રકારના તે વેદવચનથી, પવિત્તસ્મ=પ્રવૃત્તનો સુદમાવો શુભ ભાવ મિચ્છામાવત મ્લેચ્છાદિના ભાવની તુલ્ય વિUો જાણવો. * “વિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ : ગાથા ૧૨૪૮થી ૧૨૫૦ સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે દૃષ્ટ-ઇષ્ટવિરુદ્ધ એવું ચાગીય હિંસાને કહેનારું જે વેદવચન છે, આવા પ્રકારના તે વેદવચનથી પ્રવૃત્તનો શુભ ભાવ પ્લેચ્છાદિના ભાવ જેવો જાણવો. ટીકાઃ इअ एवं दृष्टेष्टविरुद्धं यद्वचनं, ईदृशात् प्रवृत्तस्य सतः म्लेच्छादिभावतुल्यः शुभभावो हन्दि विज्ञेयो, मोहादिति गाथार्थः ॥१२५९॥ ટીકાર્થ : આ રીતે=ગાથા ૧૨૪૮થી ૧૨૫૭ સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે, દષ્ટ-ઇષ્ટથી વિરુદ્ધ એવું જે વચન છે=યાગીય હિંસાને કહેનારું જે વેદવચન છે, આવા પ્રકારના વચનથી પ્રવૃત્ત છતાનો શુભ ભાવ સ્વેચ્છાદિના ભાવની તુલ્ય જાણવો; કેમ કે મોહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૪૮થી ૧૨૫૭ સુધી ગ્રંથકારે યુક્તિથી બતાવ્યું કે યાગીય હિંસાને કહેનારું વેદવચન દૃષ્ટઈષ્ટવિરુદ્ધ છે, આમ છતાં તત્ત્વ-અતત્ત્વ જોવામાં વ્યામોહવાળા બ્રાહ્મણો યજ્ઞને કહેનારું વેદવચન ઉપપત્તિવાળું * છે કે નહીં? તેનો વિચાર કર્યા વગર સ્વદર્શનના રાગરૂપ મોહને પરવશ થઈને યજ્ઞની પ્રવૃત્તિ કરે છે, તેથી આવા પ્રકારના વેદવચનથી યજ્ઞમાં પ્રવૃત્ત થયેલા બ્રાહ્મણોને જે શુભ ભાવ થાય છે તે, ચંડિકા આદિ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો વધ કરનારા સ્વેચ્છાદિને થતા શુભ ભાવ જેવો છે. આથી ગાથા ૧૨૩૨માં પૂર્વપક્ષીએ કહેલ કે દ્રવ્યસ્તવય હિંસા કરનારને શુભ ભાવ થાય છે, માટે તે દોષરૂપ નથી એમ જો જૈનો કહેતા હોય તો, યાગીય હિંસા કરનારને પણ શુભ ભાવ થાય છે, માટે તે દોષરૂપ નથી એમ માનવું પડે. આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન યુક્તિ વગરનું છે, કેમ કે દ્રવ્યસ્તવને કહેનારું વચન દૃષ્ટ-ઈષ્ટઅવિરુદ્ધ હોવાથી તેવા વચનથી પ્રવૃત્તિ કરનારા મોહથી પ્રવૃત્તિ કરતા નથી, માટે તે પ્રવૃત્તિથી થતો શુભ ભાવ પરમાર્થથી શુભ ભાવ છે; જયારે યજ્ઞને કહેનારું વચન દષ્ટ-ઇષ્ટવિરુદ્ધ હોવાથી તેવા વચનથી પ્રવૃત્તિ કરનારા મોહથી પ્રવૃત્તિ કરે છે, માટે તે પ્રવૃત્તિથી થતો શુભ ભાવ પરમાર્થથી શુભ ભાવ નથી. ૧૨૫લા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy