SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૮-૧૨૫૯ ઇચ્છતા નથી એમ છે, તે કારણથી જે મદપિરિધાન ઇત્યાદિ વડે ગાથા ૧૨૩૧માં કહેવાયું તે ઉપન્યાસમાત્ર જ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જિનભવનનિર્માણાદિમાં જે જીવોની હિંસા થાય છે, તે જીવોને જિનભવનાદિનિમિત્તક પરિણામે સુખ થાય છે અર્થાત્ જિનભવનનિર્માણાદિમાં પૃથ્વી આદિ જે જીવોના દેહનો ઉપયોગ થયો, તે જીવોને પુણ્ય બંધાય છે અને તે પુણ્યબંધના ફળરૂપે તે જીવોને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે, એમ જૈનો માનતા નથી; કેમ કે જીવ પુણ્યબંધ કે નિર્જરા પોતાના અધ્યવસાયથી પ્રાપ્ત કરે છે, પરંતુ પોતાનો દેહ સત્કાર્યમાં વપરાવામાત્રથી જીવ પુણ્યબંધ કે નિર્જરા પ્રાપ્ત કરતો નથી. માટે ગાથા ૧૨૩૧ના પૂર્વાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે જિનભવનાદિમાં હણાતા જીવોને પરિણામે સુખ થાય છે, એથી દ્રવ્યસ્તવીય હિંસા અદોષરૂપ છે, એમ જૈનો કહેતા હોય તો, યાગમાં હણાતા જીવોને પણ સ્વર્ગનો પાઠ હોવાથી પરિણામે સુખ થાય છે, એથી યાગીય હિંસા પણ અદોષરૂપ કહેવી પડે. આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન ઉપન્યાસમાત્રરૂપ છે. વળી, ગાથા ૧૨૩૧ના ઉત્તરાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે અન્યને સુખ થવા છતાં પણ પારદારિકોને ધર્મ કહેવાયો નથી. આમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે દ્રવ્યસ્તવમાં હણાતા જીવોને પરિણામે સુખ થવામાત્રથી દ્રવ્યસ્તવને ધર્મ કહી શકાય નહીં. આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન પણ ઉપન્યાસમાત્રરૂપ છે; કેમ કે પરદારાગમન કરનાર પુરુષથી પરદારાને જે સુખ થાય છે, તે સુખ મંદ છે અને અપથ્યના સેવનથી કરાયેલ સુખ જેવું છે, માટે ફળથી દારુણ છે. માટે તેવું સુખ અન્ય જીવને આપવું તેને જૈનદર્શન ધર્મ કહેતું નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે, પારદારિકની પ્રવૃત્તિથી પરદારાને થતું સુખ અલ્પ માત્રાનું છે અને અપથ્યના સેવનથી ક્ષણભર થતું સુખ જેમ રોગીને પરિણામે ઘણું દુઃખ આપનાર છે તેના જેવું છે. વળી બીજાને આવું સુખ આપવા માત્રથી ધર્મ ન થાય એમ જૈનો સ્વીકારે છે, માટે દ્રવ્યસ્તવમાં થતી હિંસાથી તે હિંસા કરાતા જીવોને પરલોકમાં સુખ થાય છે તેમ જૈનો સ્વીકારે તોપણ, દ્રવ્યસ્તવની પ્રવૃત્તિથી દ્રવ્યસ્તવ કરનારને ધર્મ થાય છે તેમ માની શકાય નહીં, એવું પૂર્વપક્ષીનું કથન ઉપન્યાસમાત્ર જ છે; કેમ કે જૈનો દ્રવ્યસ્તવમાં હિંસા કરાતા જીવોને સુખ થાય છે માટે દ્રવ્યસ્તવને ધર્મ કહેતા નથી, પરંતુ દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિનું કારણ છે માટે દ્રવ્યસ્તવને ધર્મ કહે છે. ૧૨૫ટા. અવતરણિકા : ગાથા ૧૨૩૨માં પૂર્વપક્ષીએ કહેલ કે જિનભવનાદિમાં હિંસા કરનારાને શુભ ભાવ થાય છે, માટે દ્રવ્યસ્તવીય હિંસા દોષકારી નથી, એમ જો જૈનો કહેતા હોય તો, યાગમાં હિંસા કરનારાને પણ શુભ ભાવ થાય છે, માટે યાગીય હિંસા પણ દોષકારી નથી, એમ કહેવું પડે. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં સમાધાન કરે છે – ગાથા : इअ दिद्वेविरुद्धं जं वयणं एरिसा पवित्तस्स । मिच्छाइभावतुल्लो सुहभावो हंदि विणणेओ ॥१२५९॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy