SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૫૮ - હવે ગાથા ૧૨૩૧ના પૂર્વાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે જિનભવનાદિમાં હણાતા જીવોને પરિણામમાં સુખ જ થાય છે, એથી જિનભવનાદિમાં થતી હિંસા દોષકારી નથી, એમ જો જેનો કહેતા હોય તો, યાગમાં હણાતા જીવોને પણ સ્વર્ગ પ્રાપ્ત થાય છે એથી યાગમાં થતી હિંસા પણ દોષકારી નથી, એમ કહેવું પડે. વળી ગાથા ૧૨૩૧ના ઉત્તરાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે જિનભવનાદિમાં હણાતા જીવોને પરિણામમાં સુખ થતું હોય, તોપણ તેને ધર્મ કહેવાય નહીં, કેમ કે જો તેને ધર્મ માનવામાં આવે તો પારદારિકોને પણ ધર્મ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં સમાધાન કરે છે – ગાથા : परिणामे अ सुहं णो तेसिं इच्छिज्जइ ण य सुहं पि । मंदापत्थकयसमं ता तमुवण्णासमित्तं तु ॥१२५८॥ અન્વયાર્થ: તેહિ મ અને તેઓને દ્રવ્યસ્તવ કરતી વખતે જે જીવોની હિંસા થાય છે તે જીવોને, રાખે સુદુંપરિણામમાં સુખ નો છિiડ઼ ઇચ્છાતું નથી, મંતાપસ્થિય સુપિ =અને મંદ-અપથ્યકૃતની સમાન સુખ પણ નથી=ઈચ્છાતું નથી. તા-તે કારણથી તંત્રતે પૂર્વપક્ષીએ જે ગાથા ૧૨૩૧માં કહ્યું હતું તે, ૩વU TIક્ષમિત્તે સુ-ઉપન્યાસમાત્ર જ છે. ગાથાર્થ : અને દ્રવ્યસ્તવકાળમાં જે જીવોની હિંસા થાય છે, તે જીવોને પરિણામમાં સુખ ઇચ્છાતું નથી, અને મંદ-અપચ્ચકૃત જેવું સુખ પણ ઇચ્છાતું નથી. તે કારણથી પૂર્વપક્ષીએ જે ગાથા ૧૨૩૧માં કહેલું તે ઉપન્યાસમાત્ર જ છે. ટીકાઃ ___ परिणामे च सुखं न तेषां जिनभवनादौ हिंस्यमानानामिष्यते तन्निमित्तं जैनैः, न च सुखमपि मन्दापथ्यकृतसमं विपाकदारुणमिष्यते, यस्मादेवं तत्-तस्मात्तदुपन्यासमात्रमेव यदुक्तम् 'अह तेसिं परिणाम 'इत्यादिनेति गाथार्थः ॥१२५८॥ * “સુદં gિ'માં ‘પિ'થી એ જ્ઞાપન કરવું છે કે અન્ય જીવોને અપાતું દુ:ખ તો જેનો વડે સુખરૂપે ઇચ્છતું નથી, પરંતુ અન્ય જીવોને અપાતું વિપાકમાં દારુણ એવું સુખ પણ જૈનો વડે સુખરૂપે ઇચ્છાતું નથી. ટીકાર્ય : અને તેઓને જિનભવનાદિમાં હિંસ્યમાનોને જિનભવનાદિમાં હણાતા જીવોને, તે નિમિત્ત દ્રવ્યસ્તવરૂપ નિમિત્ત, પરિણામમાં સુખ જૈનો વડે ઇચ્છતું નથી. અને મંદ-અપથ્યકૃતસમ=મંદ સુખ અને અપથ્યથી કરાયેલ સુખની સમાન, વિપાકમાં દારુણ સુખ પણ ઇચ્છતું નથી. જે કારણથી આમ છે=જેનો જિનભવનાદિમાં હણાતા જીવોને પરિણામમાં સુખ થાય છે એમ ઇચ્છતા નથી અને વિપાકમાં દારુણ સુખને પણ સુખરૂપે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy