SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ક. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૬-૧૨૫૦ ટીકા? अस्ति यतः श्रुतिः स्मृतिश्च, न चैषा श्रुतिः स्मृतिश्च अन्यार्था-अविधेर्दोषनिष्पन्नपापार्था शक्यते इह वक्तुं, कुत इत्याह-अविनिश्चयात्-प्रमाणाभावादित्यर्थः, न चैवमिह-जिनभवनादौ श्रूयते पापवचनं प्रवचन इति गाथार्थः ॥१२५७॥ * પ્રસ્તુત ગાથાના પ્રારંભમાં જે યત: છે તેનો અન્વય ગાથા ૧૨૫૬ની અવતરણિકા સાથે છે. ટીકાર્ય : જે કારણથી શ્રુતિ અને સ્મૃતિ છે, અને અહીં=યાગીય હિંસાના વિષયમાં, આ=ઉપરમાં કહી એ, શ્રુતિ અને સ્મૃતિ અન્ય અર્થવાળી=અવિધિના દોષથી નિષ્પન્ન પાપના અર્થવાળી યજ્ઞ કરતી વખતે અવિધિનો દોષ કરવાથી પેદા થયેલા પાપના વિષયવાળી, કહેવી શક્ય નથી. કયા કારણથી?=શ્રુતિ અને સ્મૃતિ કયા કારણથી અન્ય અર્થવાળી કહેવી શક્ય નથી ? એથી કહે છે – અવિનિશ્ચય હોવાથી પ્રમાણનો અભાવ હોવાથી=જ્યાગીય હિંસાવિષયક પાપવચનો યજ્ઞમાં કરાયેલી અવિધિના દોષથી થયેલા પાપના વિષયવાળાં છે એ પ્રકારે સ્વીકારવામાં કોઈ પ્રમાણ નહીં હોવાથી, શ્રુતિ અને સ્મૃતિ અન્ય અર્થવાળી કહેવી શક્ય નથી, એમ અન્વયે છે. અને અહીં જિનભવનાદિમાં=દ્રવ્યસ્તવીય હિંસાના વિષયમાં, આવા પ્રકારનું=જે પ્રકારે યાગીય હિંસાના વિષયમાં વિરોધી શ્રુતિ અને સ્મૃતિ સંભળાય છે એવા પ્રકારનું, પાપવચન પ્રવચનમાં=જૈનશાસ્ત્રમાં, સંભળાતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : | મીમાંસકો વેદવચનથી યજ્ઞ કરે છે, તે યજ્ઞને કહેનારા વેદવચન સાથે અન્ય વેદવચનોનો વિરોધ પ્રાપ્ત થાય છે; કેમ કે બ્રાહ્મણોને માન્ય એવી શ્રુતિ છે કે “યજ્ઞમાં થતી હિંસાથી થયેલા પાપની શુદ્ધિ અર્થે હું અગ્નિમાં પ્રવેશ કરું છું અને અગ્નિદેવતાને પ્રાર્થના કરું છું કે યજ્ઞ કરવા દ્વારા મેં જે પાપ કર્યું છે, તેનાથી અગ્નિ તું મને મુક્ત કર.” આવા પ્રકારના શ્રુતિવચનથી ફલિત થાય કે યાગીય હિંસાને કહેનારું વેદવચન પાપના ફળવાળું છે. વળી, બ્રાહ્મણોને માન્ય એવી સ્મૃતિ પણ છે કે “જે અમે પશુઓ વડે યજ્ઞ કરીએ છીએ, તે અમે તત્ત્વની વિચારણામાં વ્યામોહ પેદા કરનારા ગાઢ અંધકારમાં ડૂબીએ છીએ; કેમ કે હિંસા ધર્મ હોય એવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી કે ભવિષ્યમાં ક્યારેય બનશે નહીં. અને જે હિંસા ભૂત-ભાવિમાં ધર્મ બનતી નથી, તે હિંસા વર્તમાનમાં પણ ક્યારેય ધર્મ બને નહીં; આમ છતાં અમે જે વર્તમાનમાં પશુઓ વડે યજ્ઞ કરવા દ્વારા થતી હિંસાને ધર્મ માનીએ છીએ, તેનાથી ગાઢ અંધકારમાં અમે ડૂબીએ છીએ.” આવા પ્રકારના સ્મૃતિવચનથી પણ ફલિત થાય કે યાગીય હિંસાને કહેનારું વેદવચન પાપના ફળવાળું છે. આમ, યાગીય હિંસાનું વિધાન કરનારા વેદવચન સાથે શ્રુતિ અને સ્મૃતિરૂપ આગમનો વિરોધ છે. હવે આ વિરોધનો પરિહાર કરવા માટે કોઈક યાજ્ઞિક કહે કે આ શ્રુતિ અને સ્મૃતિના નિંદાવચનો યજ્ઞમાં થયેલી અવિધિના દોષથી થયેલા પાપના અર્થને કહેનારા છે, માટે યાગીય હિંસાને કહેનારા વેદવચન સાથે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy