SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫-૧૨૫૦ * “ વિ''માં “જિ'થી એ જણાવવું છે કે યજ્ઞની નિંદા કરનાર શ્રુતિ તો છે, પરંતુ યજ્ઞની નિંદા કરનાર સ્મૃતિ પણ છે. ટીકાર્ય અને “અગ્નિ મને આ એનસથી=હિંસાથી કરાયેલા પાપથી, મુકાવો=મુક્ત કરો,” એ પ્રકારની શ્રુતિ પણ વેદની વાણી પણ, વિદ્યમાન છે; અહીં પ્રશ્ન થાય કે આ પ્રકારની શ્રુતિ બતાવવાનું પ્રયોજન શું છે ? એથી હેતુ આપે છે – તેના પાપનું ફળ છે–તેમાં કહેવાયેલી હિંસાના પાપનું ફળ છે–વેદમાં કહેવાયેલી યાગીય હિંસાથી કરાયેલા પાપનું ફળ છે. મુઝતુ એટલે છાંદસપણું હોવાથી મોરવતુ અર્થાત્ મૂળગાથામાં સાદું ક્રિયાપદ હોવા છતાં પ્રેરક ક્રિયાપદ ગ્રહણ કરવાનું છે. વળી વેદમાં કહેવાયેલી યાગીય હિંસાને વિરોધી બતાવનારી, જેમ હૃતિ છે તેમ સ્મૃતિ પણ છે, તેથી હવે વેદવચનવિષયક મૃતિ બતાવે છે – અને તમસ ઇત્યાદિ સ્મૃતિ પણ વિદ્યમાન છે. તે સ્મૃતિ જ સ્પષ્ટ કરે છે – જે અમે પશુઓ વડે યજ્ઞ કરીએ છીએ, તે અમે અંધ તમસમાં હિત-અહિત જોવામાં વ્યામોહ પેદા કરે તેવા ગાઢ અંધકારમાં, ડૂબીએ છીએ.” અમે યજ્ઞ કરીને ગાઢ અંધકારમાં કેમ ડૂબીએ છીએ? તેથી કહે છે – હિંસા ધર્મ થાય એ થયેલ નથી, થશે નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : अत्थि जओ ण य एसा अण्णत्था तीई इहं भणिअं । अविणिच्छया ण एवं इह सुव्वइ पाववयणं तु ॥१२५७॥ અન્વયાર્થ : નમો જે કારણથી ત્નિ છે=શ્રુતિ અને સ્મૃતિ છે, રૂદં ચં અને અહીં યાગીય હિંસાના વિષયમાં, સાઆકપૂર્વગાથામાં કહી એ શ્રુતિ અને સ્મૃતિ, સાત્થિા=અન્ય અર્થવાળી મળિ | તીર કહેવા માટે શક્ય નથી; વિછિયા કેમ કે અવિનિશ્ચય છે=શ્રુતિ અને સ્મૃતિને અન્ય અર્થવાળી સ્વીકારવામાં કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. રૂદ અહીં=દ્રવ્યસ્તવીય હિંસાના વિષયમાં, વં આવું યાગીય હિંસાના વિષયમાં સંભળાય છે એવું, પાવવા પાપવચન - સુબ્રટ્ટ સંભળાતું નથી. * “તુ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : જે કારણથી શ્રુતિ અને સ્મૃતિ છે, અને ચાગીય હિંસાના વિષયમાં એ શ્રુતિ અને સ્મૃતિ અન્ય અર્થવાળી કહેવી શક્ય નથી, કેમ કે શ્રુતિ અને સ્મૃતિને અન્ય અર્થવાળી સ્વીકારવામાં કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. દ્રવ્યસ્તવીય હિંસાના વિષયમાં યાગીય હિંસા જેવું પાપવચન સંભળાતું નથી, તે કારણથી ચાગીય હિંસાને કહેનારા વચન સાથે આગમનો વિરોધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy