SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૪ ૧૯૧ ગાથાર્થ : અને વેદગત પણ હિંસા જિનભવનાદિગત હિંસાની જેમ સમ્યગુ આપષ્ણુણાન્વિત નથી, અને દગુણવાળી નથી, અને હિંસાયુક્ત ક્રિયાંતરની નિવૃત્તિને દેનારી નથી જ. ટીકા? न च वेदगताऽप्येवं-जिनभवनादिगतहिंसावत् सम्यगापद्गुणान्विता एषा-हिंसा, तामन्तरेणाऽपि जीवानां भावापदोऽभावात्, न च दृष्टगुणा साधुनिवासादिवत्, तथाऽनुपलब्धेः, तद्युक्ततदन्तरनिवृत्तिदा हिंसायुक्तक्रियान्तरनिवृत्तिदा नैव, न हि प्राक् तद्वधप्रवृत्ता याज्ञिका इति गाथार्थः ॥१२५४॥ * “વે તfg"માં ‘મણિ'થી એ કહેવું છે કે જિનભવનાદિગત હિંસા તો ભાવઆપઘુણાન્વિત છે, પરંતુ વેદગત પણ હિંસા ભાવઆપદ્રગુણાન્વિત નથી. * “તમારે જિમાં ‘મણિ'થી એ કહેવું છે કે વેદગત હિંસાથી તો તે જીવોને ભાવ આપત્તિ નથી, પરંતુ તેના અંતરથી પણ=વેદગત હિંસા વગર પણ, તે જીવોને ભાવઆપત્તિ નથી. * “સાનિવાસ''માં ‘માર' પદથી દેશનાદિનો સંગ્રહ છે. ટીકાર્ય : અને વેદગત પણ આ=હિંસા, આમ=જિનભવનાદિગત હિંસાની જેમ, સમ્યગુ આપણથી અન્વિત નથી=સમ્યગુ ભાવઆપત્તિના નિવારણના ગુણથી યુક્ત નથી; કેમ કે તેના અંતરથી પણ=વેદગત હિંસા વગર પણ, જીવોને ભાવઆપત્તિનો અભાવ છે. અને સાધુના નિવાસાદિની જેમ દષ્ટગુણવાળી નથી; કેમ કે તે પ્રકારની અનુપલબ્ધિ છે અર્થાત્ જિનભવનનિર્માણાદિરૂપ દ્રવ્યસ્તવ કરવાથી જે પ્રકારે સાધુનિવાસાદિ ઉપલબ્ધ થાય છે તે પ્રકારે યજ્ઞ કરવાથી ઉપલબ્ધ થતું નથી. તેનાથી યુક્ત તદંતરની નિવૃત્તિદા=હિંસાથી યુક્ત ક્રિયાંતરની નિવૃત્તિને દેનારી, નથી જ, અર્થાત્ વેદગત હિંસા હિંસાવાળી જે અન્ય ક્રિયા છે તેની નિવૃત્તિ આપનારી નથી જ; જે કારણથી યાજ્ઞિકો-યજ્ઞ કરનારાઓ, પ્રાક=પહેલા=યાગીય હિંસા કરે છે તે પહેલાં, તેના વધમાં= યજ્ઞમાં થતી હિંસા જેવી અન્ય હિંસામાં, પ્રવૃત્ત હોતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૪૯-૧૨૫૦માં ગ્રંથકારે કહ્યું કે જિનાયતન-જિનબિંબપ્રતિષ્ઠાદિગત હિંસા ભાવઆપત્તિથી નિસ્તરણના ગુણવાળી છે, તેની જેમ વેદગત હિંસા સમ્યગૂ ભાવઆપત્તિથી નિસ્તરણનો ગુણવાળી નથી; કેમ કે જિનભવનાદિ કરાવવામાં ન આવે તો ભગવાનના વિરહકાળમાં ભગવાનની ભક્તિ થઈ શકે નહીં, જ્યારે યજ્ઞ કરવામાં ન આવે તો પણ તે જીવોને ભાવઆપત્તિનો અભાવ છે. માટે જિનભવનાદિની હિંસામાં ગુણની પ્રાપ્તિ છે અને યજ્ઞની હિંસામાં ગુણની પ્રાપ્તિ નથી. વળી ગાથા ૧૨૫૧માં ગ્રંથકારે કહેલ કે જિનાયતનમાં પૃથ્વી આદિની હિંસા યુક્ત જ છે; કેમ કે અન્ય જીવોને ગુણનું સાધનનો યોગ થતો દેખાય છે. તેની જેમ વેદગત હિંસાથી અન્ય જીવોને ગુણના સાધનનો યોગ થતો દેખાતો નથી; કેમ કે જિનાયતનની નજીકમાં સાધુઓ રહેલા હોય તો, યોગ્ય જીવોને સાધુના દર્શનથી સાધુની ભક્તિનો પરિણામ થાય છે અને દેશનાદિના શ્રવણથી યોગમાર્ગની પ્રાપ્તિ, તેમ જ વૃદ્ધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy