SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૩-૧૨૫૪ ભાવાર્થ : ગાથા ૧૨૪૮થી ૧૨૫૨ સુધી બતાવ્યું એ રીતે દ્રવ્યસ્તવથી ભાવઆપત્તિનું નિવારણ થાય છે અને આરંભાતરની નિવૃત્તિ થાય છે, તેથી દ્રવ્યસ્તવ કરતી વખતે અન્ય જીવોને થતી પીડામાં અધર્મ નથી; કેમ કે દ્રવ્યસ્તવ કરવાથી ભાવઆપત્તિનિવારણ અને આરંભાંતરનિવૃત્તિરૂપ ગુણની પ્રાપ્તિ થાય છે. વળી, પૂર્વપક્ષીએ ગાથા ૧૨૩૦માં કહેલ કે પીડાથી એકાંતે જ અધર્મ થાય છે એમ કહી શકાય નહીં; કેમ કે વૈદ્ય સાથે વ્યભિચાર છે, એ રૂપ પહેલાં કહેવાયેલ વૈદ્યનું દષ્ટાંત દ્રવ્યસ્તવમાં યુક્ત પણ છે. અર્થાત જેમ ચિકિત્સાકાળમાં રોગીને ક્વચિત્ પીડા થાય તોપણ તે પીડાથી ચિકિત્સા કરનાર વૈદ્યને અધર્મ થતો નથી, તેમ દ્રવ્યસ્તવકાળમાં પૃથ્વી આદિ જીવોને પીડા થાય તો પણ તે પીડાથી દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકને અધર્મ થતો નથી; કેમ કે જેમ સુવૈદ્યની ચિકિત્સાથી માત્ર રોગીના રોગનો જ નાશ થાય છે એમ નથી, પરંતુ શરીરના ધાતુઓની પુષ્ટિ થવારૂપ અન્ય ગુણની પણ પ્રાપ્તિ થાય છે, માટે ચિકિત્સાકાળમાં રોગીને થતી પીડા દોષરૂપ નથી; તેમ દ્રવ્યસ્તવથી માત્ર ભાવઆપત્તિનું નિવારણ અને આરંભાતરની નિવૃત્તિ જ થાય છે એમ નથી, પરંતુ દ્રવ્યસ્તવથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે, જેથી દ્રવ્યસ્તવ કરનારા શ્રાવક નિરવદ્ય એવું સંયમ શીધ્ર પ્રાપ્ત કરી શકે છે એ રૂપ અન્ય ગુણની પણ પ્રાપ્તિ થાય છે. માટે દ્રવ્યસ્તવકાળમાં પૃથ્વી આદિ જીવોને થતી પીડા દોષરૂપ નથી. વળી, અવિધિથી ગુણાંતરનો અભાવ હોય તો અન્યને થતી પીડામાં, ચિકિત્સા કરનાર વૈદ્યને પણ અધર્મ છે અને દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકને પણ અધર્મ છે, અર્થાત્ વૈદ્યની ચિકિત્સાથી રોગીના રોગનો નાશ થઈને દેહની પુષ્ટિ આદિરૂપ અન્ય ગુણ ન થતો હોય તો, તે ચિકિત્સાથી રોગીને થતી પીડામાં જેમ ચિકિત્સા કરનાર વૈદ્યને અધર્મની પ્રાપ્તિ થાય છે, તેમ દ્રવ્યસ્તવથી સર્વવિરતિની પ્રાપ્તિને અનુકૂળ શક્તિસંચય થવારૂપ અન્ય ગુણ ન થતો હોય તો, તે દ્રવ્યસ્તવથી અન્ય જીવોને થતી પીડામાં દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકને અધર્મની પ્રાપ્તિ થાય છે. ૧૨૫૭ll. અવતરણિકા : ગાથા ૧૨૪૮થી ૧૨૫૩માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ ભાવઆપનિવારણગુણથી યુક્ત છે અને જિન ભવનકારણાદિ દ્રવ્યસ્તવથી પૃથ્વી આદિ જીવોને થતી પીડા વડે સ્વ-પરનો ઉપકાર થાય છે, માટે દ્રવ્યસ્તવીય હિંસા અધર્મરૂપ નથી. હવે વેદવચન અનુસાર કરાતી વાગીય હિંસા, દ્રવ્યસ્તવીય હિંસા જેવી ભાવઆપનિવારણગુણથી યુક્ત નથી અને સ્વ-પરઉપકારક નથી, એ બતાવે છે – ગાથા : ण य वेअगया वेवं सम्मं आवयगुणण्णिआ एसा । ण य दिट्ठगुणा तज्जुयतयंतरणिवित्तिआ नेव ॥१२५४॥ અન્વયાર્થ: વેચાયા વિ જ પક્ષ અને વેદગત પણ આ=હિંસા, પૂર્વ આ રીતે જિનભવનાદિગત હિંસા છે એ રીતે, સનં માવથrror fસમ્યગુ આપદ્રગુણાન્વિત નથી, લિયા =અને દૃષ્ટગુણવાળી નથી, તબ્બયતઘંતરપિવિત્તિમાં વૉટ્યક્તતદન્તરનિવૃત્તિદા નથી જ-હિંસાયુક્ત ક્રિયાન્તરની નિવૃત્તિને દેનારી નથી જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy