SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૨-૧૨૫૩ ટીકાર્ય અને વિહિત એવી આભગવાન વડે વિધાન કરાયેલી જિનભવનનિર્માણાદિમાં થતી પૃથ્વી આદિની હિંસા, આરંભવાળાને પ્રાયઃ આરંભાતરની નિવૃત્તિને દેનારી છે; કેમ કે વિધિ વડે કારણ છે=જિનભવનનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરાવણ છે. અને આ રીતે પણ વિહિત એવી પૃથ્વી આદિની હિંસા આરંભાતરની નિવૃત્તિને દેનારી છે એ રીતે પણ, વિહિતપરની=ભગવાન વડે વિધાન કરાયેલ જિનભવનકારાદિમાં તત્પર શ્રાવકની, અનિદાનવાળી આ પણ=પીડા પણ પૃથ્વી આદિ જીવોને થતી પીડા પણ, મોક્ષરૂપ ફળવાળી ઈષ્ટ છે, અભ્યદય માટે જ નહીં=માત્ર સ્વર્ગાદિરૂપ ઉત્કર્ષ માટે જ ઇષ્ટ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેઓ મોક્ષના અર્થી છે, છતાં સંપૂર્ણ નિરારંભી જીવન જીવવાના સત્ત્વવાળા નહીં હોવાથી પોતાના દેહના નિર્વાહ અર્થે કે ભોગાદિ અર્થે આરંભ-સમારંભ કરે છે, તેવા શ્રાવકો જિનભવનકરાવણાદિ દ્રવ્યસ્તવ કરે છે, ત્યારે તેઓના મન-વચન-કાયાના યોગો સંસારના અન્ય આરંભોથી નિવૃત્ત થાય છે, અને વીતરાગ પ્રત્યેના બહુમાનભાવપૂર્વક દ્રવ્યસ્તવની ક્રિયા કરતા હોવાથી તેઓના યોગો વીતરાગગામી થાય છે. આથી શાસ્ત્રવચનાનુસારે કરાતી દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ યોગ્ય જીવોને પ્રાયઃ કરીને અન્ય આરંભોથી નિવૃત્તિ આપનારી છે. આ રીતે પણ વિધિમાં તત્પર જીવો દ્વારા અન્ય જીવોને કરાતી અનિદાનવાળી પીડા મોક્ષરૂપ ફળવાળી થાય છે, માત્ર અભ્યદય માટે જ થતી નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે, આશંસાથી રહિત થઈને વિધિપૂર્વક કરાતા દ્રવ્યસ્તવથી થતી અન્ય જીવોને પીડા સંસારના આરંભની નિવૃત્તિ કરાવીને સંયમની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે, પરંતુ માત્ર અભ્યદયનું જ કારણ બનતી નથી. અહીં “પ્રાય:' શબ્દથી એ જણાવવું છે કે, સંપૂર્ણ વિધિપૂર્વક કરાતા દ્રવ્યસ્તવથી અવશ્ય શ્રાવકના અન્ય આરંભોની નિવૃત્તિ થાય છે, પરંતુ વિધિમાં કંઈક અલના હોય તો, કંઈક વિધિપૂર્વક કરાતા દ્રવ્યસ્તવથી શ્રાવકના સંપૂર્ણ આરંભાતરની નિવૃત્તિ થતી નથી, કેમ કે દ્રવ્યસ્તવકાળમાં અવિધિને કારણે દ્રવ્યસ્તવના અંગભૂત હિંસાથી જે અન્ય હિંસા થાય છે તે આરંભાંતરરૂપ છે, તોપણ, દ્રવ્યસ્તવ નહીં કરતી વખતે થતા સંસારના આરંભ-સમારંભની નિવૃત્તિ દ્રવ્યસ્તવકાળમાં વર્તે છે, આથી કંઈક અલનાવાળી પણ યોગ્ય જીવોની દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ પ્રાયઃ આરંભાતરની નિવૃત્તિ આપનારી છે. વળી, “દ્રવ્યસ્તવકાળમાં અનિદાનવાળી પૃથ્વી આદિ જીવોને થતી પીડા મોક્ષફળવાળી છે” એમ કહેવાથી એ ફલિત થાય કે, આ લોક-પરલોકની આશંસાથી દ્રવ્યસ્તવકાળમાં કરાતી નિદાનવાળી પૃથ્વી આદિ જીવોને પીડા મોક્ષફળવાળી નથી. II૧૨પરા, અવતરણિકા : ગાથા ૧૨૪૮થી ૧૨૫રમાં ગ્રંથકારે કથન કર્યું. તેનું નિગમન કરતાં ગ્રંથકાર ‘તસ્માર્થી કહે છે – ગાથા : ता एईए अहम्मो णो इह जुत्तं पि विज्जणायमिणं । हंदि गुणंतरभावा इहरा विज्जस्स वि अधम्मो ॥१२५३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy