SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૧-૧૨૫૨ યોગ્ય જીવોને ગુણોની પ્રાપ્તિ થાય છે, અને જે પ્રવૃત્તિથી ગુણોની પ્રાપ્તિ થતી હોય તે પ્રવૃત્તિ ગુણવૃદ્ધિને અનુકૂળ ક્રિયાસ્વરૂપ છે, અને ગુણવૃદ્ધિને અનુકૂળ ક્રિયા કરતી વખતે જે જીવોની હિંસા થાય છે તે હિંસા, હિંસા કરવાના અધ્યવસાયથી કે મોહના વશથી થતી નથી, પરંતુ અશક્યપરિહારરૂપે થાય છે. માટે તે હિંસા દોષરૂપ નથી. આમ, દ્રવ્યસ્તવમાં ગુણપ્રાપ્તિ પ્રત્યક્ષ દેખાય છે, તેથી દ્રવ્યસ્તવનું વિધાન કરનારું વચન દષ્ટ સાથે અવિરુદ્ધ છે. ૧૨૫૧|| અવતરણિકા: પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે જિનભવનમાં થતી પીડાકારી પણ પૃથ્વી આદિની હિંસા અન્ય જીવોને ગુણસાધનનો યોગ હોવાથી યુક્ત જ છે. હવે આરંભની પ્રવૃત્તિ કરનારા શ્રાવકોને દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિની હિંસા આરંભાતરની નિવૃત્તિ આપનારી છે, માટે પણ દ્રવ્યસ્તવમાં થતી હિંસા દોષરૂપ નથી, એમ બતાવે છે – ગાથા : आरंभवओ य इयं आरंभंतरणिवित्तिदा पायं । एवं पि हु अणिआणा इट्ठा एसा वि मोक्खफला ॥१२५२॥ અન્વચાર્ગ: યં યઃઅને આ=જિનભવનનિર્માણાદિમાં થતી પૃથ્વી આદિની હિંસા, સારંમવો આરંભવાળાને પાયં પ્રાયઃ આમંતરવિત્તિ આરંભાતરની નિવૃત્તિદા છે. પર્વ પિ આ રીતે પણ=પૃથ્વી આદિની હિંસા આરંભાતરની નિવૃત્તિદા છે એ રીતે પણ, મારા પુસા વિ અનિદાનવાળી આ પણ અર્થાત્ પૃથ્વી આદિ જીવોને થતી પીડા પણ, મોઘહિતી મોક્ષરૂપ ફળવાળી રૂટ્ટા ઈષ્ટ છે. * “દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને જિનભવનનિર્માણાદિમાં થતી પૃથ્વી આદિની હિંસા આરંભવાળા શ્રાવકને પ્રાયઃ અન્ય આરંભની નિવૃત્તિ આપનારી છે. આ રીતે પણ અનિદાનવાળી પૃથ્વી આદિ જીવોને થતી પીડા પણ મોક્ષરૂપ ફળવાળી ઇષ્ટ છે. ટીકા : आरम्भवतश्चेयं विहिता आरम्भान्तरनिवृत्तिदा प्रायः, विधिना कारणात्, एवमपि चाऽनिदाना विहितपरस्य इष्टा चैषाऽपि पीडा मोक्षफला, नाऽभ्युदयायैवेति गाथार्थः ॥१२५२॥ * “પર્વ પિ''માં “પિ'થી એ જણાવવું છે કે દ્રવ્યસ્તવ ભાવઆપત્તિના નિવારણમાં સમર્થ ગુણવાળો છે એ રીતે તો દ્રવ્યસ્તવમાં પૃથ્વી આદિને થતી પીડા ઈષ્ટ છે, પરંતુ પૃથ્વી આદિની હિંસા આરંભાતરની નિવૃત્તિ આપનારી છે એ રીતે પણ દ્રવ્યસ્તવમાં પૃથ્વી આદિને થતી પીડા ઈષ્ટ છે. * “ક્ષિા વિ''માં ‘મપિ'થી એ જણાવવું છે કે વિધિપર શ્રાવકની દ્રવ્યસ્તવમાં થતી યતના તો મોક્ષળવાળી ઈષ્ટ છે, પરંતુ દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિ જીવોને આ પણ=પીડા પણ, મોક્ષફળવાળી ઈષ્ટ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy