SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ અવતરણિકા: ગાથા ૧૨૪૮માં કહેલ કે ભાવઆપકલ્પગુણયુક્ત દ્રવ્યસ્તવથી શ્રેય થાય છે, તેથી ગાથા ૧૨૪૯૧૨૫૦માં દ્રવ્યસ્તવ ભાવઆપકલ્પગુણયુક્ત કઈ રીતે છે ? તેની સ્પષ્ટતા કરી. વળી ગાથા ૧૨૪૮માં કહેલ કે બહુ ગુણવાળા જિનભવનકારણાદિથી અન્ય જીવોને પીડા વડે ઉપકાર થાય છે. તેથી હવે દ્રવ્યસ્તવ બહુ ગુણવાળો કઈ રીતે છે ? અને દ્રવ્યસ્તવમાં અન્ય જીવોને થતી પીડા વડે ઉપકાર કઈ રીતે થાય છે ? તેની સ્પષ્ટતા કરે છે ગાથા: અન્વયાર્થઃ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૫૧ - पीडागरी वि एवं इत्थं पुढवाइहिंस जुत्ता उ। अण्णेसिं गुणसाहणजोगाओ दीसइ इमं च ॥१२५१ ॥ રૂö=અહીં=જિનભવનમાં, પીડાની વિ=પીડાકારી પણ પુજ્વાહિઁસ-પૃથ્વી આદિની હિંસા વં=આ રીતે=પૂર્વની બે ગાથામાં બતાવ્યું એ રીતે, સોર્સિ=અન્યોને મુળસાળનોળાઓ-ગુણના સાધનનો યોગ હોવાથી નુત્તા યુક્ત જ છે. રૂમ ચ-અને આ=ગુણનું સાધન, (આ લોકમાં) વીસ-દેખાય છે. ગાથાર્થ: જિનભવનમાં પીડાકારી પણ પૃથ્વી આદિની હિંસા પૂર્વની બે ગાથામાં બતાવ્યું એ રીતે અન્ય જીવોને ગુણના સાધનનો યોગ હોવાથી યુક્ત જ છે. અને ગુણનું સાધન આ લોકમાં દેખાય છે. ટીકા पीडाकारिण्यप्येवमत्र-जिनभवने पृथिव्यादिहिंसा युक्तैव, अन्येषां प्राणिनां गुणसाधनयोगात्, दृश्यत एतच्च-गुणसाधनमिहैवेति गाथार्थः ॥ १२५१॥ * “પીડાપરી વિ’માં ‘પિ'થી એ બતાવવું છે કે દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિની હિંસા પીડાકારી ન હોય તો તો યુક્ત છે, પરંતુ પીડાકારી હોય તોપણ યુક્ત જ છે. * “પુજવાડ્’માં ‘આવિ'થી અકાય આદિનો સંગ્રહ છે. ટીકાર્ય : Jain Education International અહીં=જિનભવનમાં, પીડાને કરનારી પણ પૃથ્વી આદિની હિંસા આ રીતે=પૂર્વની બે ગાથામાં બતાવ્યું એ રીતે, અન્ય પ્રાણીઓને ગુણના સાધનનો યોગ હોવાથી યુક્ત જ છે; અને આ=ગુણનું સાધન, અહીં જ=આ લોકમાં જ, દેખાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૨૪૯-૧૨૫૦માં બતાવ્યું એ રીતે જિનાયતનાદિ ભાવઆપત્તિમાંથી નીકળવાના ઉપાય છે, માટે જિનાયતન કરાવવા આદિમાં પીડા કરનારી પણ પૃથ્વીકાયાદિ જીવોની થતી હિંસા યુક્ત જ છે અર્થાત્ કર્મબંધનું કારણ નથી; કેમ કે જિનભવનકરાવણ આદિમાં જે જીવોને પીડા થાય છે, તે જીવોથી અન્ય એવા For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy