SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૫૦ ટીકા : तद्विम्बस्य = जिनबिम्बस्य प्रतिष्ठा तत्र तथा साधुनिवासश्च विभागतो, देशनादयश्च, आदिशब्दाद् ध्यानादिपरिग्रहः, एकैकं तद्विम्बप्रतिष्ठादि अत्र भावापन्निस्तरणगुणमेव भव्यानां प्राणिनामिति गाथार्थः ૫૬૨૫૦૫ ટીકાર્ય ત્યાંજિનભવનમાં, તેના બિંબની–જિનના બિંબની, પ્રતિષ્ઠા અને તે રીતે=જે રીતે ત્યાં રહેલા જીવોને ઉપકાર થાય તે રીતે, વિભાગથી=જિનભવનમાં એક બાજુથી, સાધુનો નિવાસ, અને દેશનાદિ, ‘આવિ’ શબ્દથી=‘‘રેશનાવિ’’માં ‘વિ' શબ્દથી, ધ્યાનાદિનો પરિગ્રહ છે. તેના બિંબની પ્રતિષ્ઠા આદિ એકેક= જિનબિંબની પ્રતિષ્ઠા વગેરે દરેક, અહીં=ભગવાનના વિરહમાં, ભવ્ય પ્રાણીઓના ભાવઆપી નિસ્તરણના ગુણવાળું જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ૧૮૫ સાક્ષાત્ તીર્થંકરોના વિરહકાળમાં જેમ જિનાયતન ભાવઆપત્તિથી નિસ્તરણગુણવાળું છે, તેમ જિનાયતનમાં પ્રતિષ્ઠિત એવાં જિનબિંબો પણ ભાવઆપત્તિથી નિસ્તરણગુણવાળાં જ છે; કેમ કે જેમ જિનાયતન જોઈને યોગ્ય જીવોને તીર્થંકરની ઉપસ્થિતિ થાય છે, તેમ જિનબિંબો જોઈને પણ યોગ્ય જીવોને તીર્થંકરની ઉપસ્થિતિ થાય છે, અને તીર્થંકરની ઉપસ્થિતિથી થયેલ તીર્થંકર પ્રત્યેનું બહુમાન યોગ્ય જીવોને કલ્યાણની પરંપરાનું કારણ બને છે. વળી, તીર્થંકરોના વિરહકાળમાં જેમ જિનાયતન ભાવઆપત્તિથી નિસ્તરણગુણવાળું છે, તેમ જિનાયતનના એક વિભાગમાં સાધુઓનો નિવાસ પણ ભાવઆપત્તિથી નિસ્તરણગુણવાળો છે; કેમ કે જિનાયતનના નજીકના સ્થાનમાં રહેલા સાધુઓના દર્શનથી યોગ્ય જીવોને તીર્થંકરે બતાવેલા યોગમાર્ગના સાધક પુરુષોની ઉપસ્થિતિ થાય છે, અને તેઓ વિચારે છે કે “જેમ તીર્થંકરો સાધના કરીને સંસારસાગર તર્યા, તેમ આ મહાત્માઓ પણ યોગમાર્ગની સાધના કરીને સંસારસાગર તરી રહ્યા છે, માટે જ્યારે સાક્ષાત્ તીર્થંકરોના દર્શન કરીને કે તીર્થંકરોની નિશ્રા પ્રાપ્ત કરીને હું આત્મકલ્યાણ કરી શકતો નથી, ત્યારે તીર્થંકરોએ બતાવેલા યોગમાર્ગ પર ચાલનારા આ મહાત્માઓના દર્શન કરીને કે તેઓની નિશ્રા પ્રાપ્ત કરીને હું આત્મકલ્યાણ કરી શકીશ.' આમ, જિનાયતનમાં વિભાગથી કરાયેલા સાધુઓના નિવાસથી તીર્થંકરોના વિરહને કારણે થયેલી ભાવઆપત્તિનું કંઈક નિવારણ થાય છે. વળી, જેમ સાક્ષાત્ તીર્થંકરો વિદ્યમાન હોય ત્યારે, તીર્થંકર પાસેથી દેશનાની, શ્રુતધર્મની પ્રાપ્તિ થાય છે અને ધ્યાનાદિમાં યત્ન થાય છે, તેમ સાક્ષાત્ તીર્થંકરો વિદ્યમાન ન હોય ત્યારે, તીર્થંકરો વડે બતાવાયેલા યોગમાર્ગ પર ચાલનારા સુસાધુઓ પાસેથી દેશનાની, શ્રુતધર્મની પ્રાપ્તિ થાય છે અને ધ્યાનાદિમાં યત્ન થાય છે. આથી દેશના આદિ પણ જિનાયતનની જેમ ભાવઆપત્તિથી નિસ્તરણગુણવાળાં છે. ૧૨૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy