SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૪૮-૧૨૪૯ શ્રાવકને કલ્યાણની પ્રાપ્તિ થતી નથી. આ પ્રકારનું વચન સાંભળીને કોઈને પ્રશ્ન થાય કે જેમાં અન્ય જીવોને પીડા થતી હોય, તેનાથી કલ્યાણ પ્રાપ્ત થાય છે એમ કઈ રીતે કહી શકાય ? તેથી ગ્રંથકાર કહે છે – દ્રવ્યસ્તવ કરનારને દ્રવ્યસ્તવથી ઘણા ગુણો પ્રાપ્ત થાય છે, જે ગુણો ગ્રંથકાર સ્વયં આગળમાં બતાવવાના છે. અને તેવા ઘણા ગુણોની પ્રાપ્તિનું કારણ એવા જિનભવન કરાવવા આદિરૂપ દ્રવ્યસ્તવથી અન્ય જીવોને જે પીડા થાય છે, તેના કરતાં વધારે પોતાને અને પરને ઉપકાર થાય છે. માટે દ્રવ્યસ્તવ કરનારને મહાકલ્યાણની પ્રાપ્તિ થાય છે, એ કથન વિરુદ્ધ નથી અર્થાત જેમ અગ્નિમાં હાથ નાખવાથી દાહ થાય છે એ કથન જેમ અનુભવથી વિરુદ્ધ નથી, તેમ દ્રવ્યસ્તવથી મહાકલ્યાણની પ્રાપ્તિ થાય છે એ કથન અનુભવથી વિરુદ્ધ નથી; કેમ કે દ્રવ્યસ્તવ કરવાથી પોતાને ઘણા ગુણો પ્રાપ્ત થાય છે અને નિમિત્તને પામીને અન્ય જીવોને પણ ગુણો પ્રાપ્ત થાય છે, એ અનુભવથી દેખાય છે. આથી દ્રવ્યસ્તવમાં કેટલાક જીવોને થતી પીડા વડે સ્વ-પરને ઉપકાર થાય છે, માટે દ્રવ્યસ્તવથી શ્રેય થાય છે એ કથન અનુભવને વિરુદ્ધ નથી. માટે દ્રવ્યસ્તવનું વિધાન કરનારું વચન દષ્ટઅવિરુદ્ધ છે એમ અર્થથી ફલિત થયું. ૧૨૪૮. અવતરણિકા : एतदेव स्पष्टयति - અવતરણિતાર્થ આને જ સ્પષ્ટ કરે છેપૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યસ્તવ ભાવઆપત્તિનું નિવારણ કરવામાં સમર્થ ગુણથી યુક્ત છે અને તેવા દ્રવ્યસ્તવથી અન્ય જીવોની પીડા વડે સ્વ-પરનો ઉપકાર થાય છે, એ જ કથનને ગ્રંથકારશ્રી ગાથા ૧૨૫૩ સુધી સ્પષ્ટ કરે છે – ગાથા : सइ सव्वत्थाभावे जिणाण भावावयाए जीवाणं । तेर्सि णित्थरणगुणं णिअमेणिह ता तदायतणं ॥१२४९॥ અન્વયાર્થ : સફ સદા નિVTVT સવસ્થામાવે જિનોના સર્વત્ર=સર્વ ક્ષેત્રોમાં, અભાવમાં ગીવાઈi-જીવોને પાવાવયા=ભાવઆપદ્ હોતે છતે રૂદ અહીં=લોકમાં, તે િસ્થિUTTrizતેઓના નિસ્તરણગુણવાળું= જીવોનો ભાવઆપત્તિમાંથી નિસ્તાર કરવાના ગુણવાળું, મેપા નિયમથી તવાયતUાં તેનું આયતન છે=જિનોનું મંદિર છે. * “તા' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : સદા જિનોના સર્વ ક્ષેત્રોમાં અભાવમાં જીવોને ભાવઆપત્તિ હોતે છતે લોકમાં જીવોને ભાવઆપત્તિમાંથી બહાર કાઢવાના ગુણવાળું નિયમથી જિનભવન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy