SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ અનુયોગાનુજ્ઞા' દ્વાર /સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૪-૧૨૪૮ ટીકા? किं पुनः?, विशिष्टमेव वचनं प्रवृत्तिनिमित्तमिति द्रष्टव्यं, किम्भूतमित्याह-यत् दृष्टेष्टाभ्यां न खलु विरुद्धं-तृतीयस्थानसक्रान्तमित्यर्थः, तथा सम्भवद्रूपं यत्, न पुनरत्यन्तासम्भवीति विचार्य शुद्धबुद्ध्या मध्यस्थयेति गाथार्थः ॥१२४७॥ ટીકાર્ય : વળી કયું વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે? તે સ્પષ્ટ કરે છે – વિશિષ્ટ જ વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે, એ પ્રમાણે જાણવું. વિશિષ્ટ વચન કેવા પ્રકારનું છે ? એથી કહે છે – જે દષ્ટ અને ઇષ્ટથી વિરુદ્ધ નથી જ=ત્રીજા સ્થાનમાં સંક્રાંત છે. અને મધ્યસ્થ એવી શુદ્ધ બુદ્ધિથી વિચારીને જે સંભવતા રૂપવાળું હોય=જે વચન સંભવી શકે એવા સ્વરૂપવાળું હોય, પરંતુ અત્યંત અસંભવી ન હોય, એ વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ઉપપત્તિશૂન્ય વચનમાત્ર હિતની પ્રવૃત્તિ કરવા માટે અને અહિતની નિવૃત્તિ કરવા માટે નિમિત્તભૂત બનતું નથી, તેથી પ્રશ્ન થાય કે તો કેવા પ્રકારનું વચન હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ કરવા માટે નિમિત્તભૂત બને? તે સ્પષ્ટ કરે છે – જે વચન દષ્ટ અને ઈન્ટ સાથે વિરોધી ન હોય અને સંભવી શકે એવા સ્વરૂપવાળું હોય, એ પ્રકારે મધ્યસ્થ બુદ્ધિથી વિચારીને, તેવું વિશિષ્ટ જ વચન અર્થાત્ રાગ-દ્વેષ અને અજ્ઞાનથી રહિત એવા સર્વજ્ઞ પુરુષથી પ્રરૂપાયેલું જ વચન, હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ કરવા માટે નિમિત્તભૂત બને, એ પ્રકારે જાણવું. (૧) દષ્ટઅવિરુદ્ધ વચન પ્રથમ સ્થાનમાં સંક્રાંત છે. (૨) ઈષ્ટઅવિરુદ્ધ વચન દ્વિતીય સ્થાનમાં સંક્રાંત છે. (૩) દષ્ટ-ઇષ્ટઅવિરુદ્ધ વચન તૃતીય સ્થાનમાં સંક્રાંત છે. વળી, દ્રવ્યસ્તવને કહેનારું વચન દષ્ટ-ઈષ્ટ અવિરુદ્ધ છે અને યજ્ઞને કહેનારું વચન દષ્ટ-ઇષ્ટ વિરુદ્ધ છે; તેમ જ દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞવચન સંભવતા સ્વરૂપવાળું છે અને યજ્ઞને કહેનારું વેદવચન અત્યંત અસંભવતા સ્વરૂપવાળું છે. આ સર્વ ગ્રંથકાર આગળની ગાથાઓમાં બતાવે છે. ૧૨૪૭ll અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે જે વચન દષ્ટ-ઇષ્ટ અવિરુદ્ધ હોય અને સંભવતા સ્વરૂપવાળું હોય, તેવું વિશિષ્ટ જ વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે. તેથી હવે દ્રવ્યસ્તવને કહેનારું વચન દષ્ટ-ઈષ્ટ અવિરુદ્ધ છે અને ત્યાગને કહેનારું વચન દૃષ્ટ-ઇષ્ટ વિરુદ્ધ છે, એ ગાથા ૧૨૫૭ સુધી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy