SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૪૫ ગાથા : ण य तव्वयणाओ च्चिअ तदुभयभावो त्ति तुल्लभणिईओ। अण्णा वि कप्पणेवं साहम्मविहम्मओ दुट्ठा ॥१२४५॥ અન્વયાર્થ: તબથUIો ત્રિમ ાં અને તેના વચનથી જEવેદના વચનથી જ, તમયમાવો તે ઉભયનો ભાવ છે=ધર્મ અને અદોષ તે બંનેનો ભાવ છે, gિ f=એમ નહીં; તુમો કેમ કે તુલ્ય ભણિતિ છે. પર્વ આ રીતે=ઉપરમાં બતાવ્યું એ રીતે, સદવિરમગોસાધચ્ચેનું વૈધર્મ હોવાથી મUM વિ MUT કુલા અન્ય પણ કલ્પના દુષ્ટ છે. ગાથાર્થ : અને વેદના વચનથી જ ધર્મ અને અદોષનો ભાવ છે એમ નહીં, કેમ કે બંનેનું તુલ્ય કથન છે. આ રીતે સાધચ્ચેનું વૈધણ્યું હોવાથી અન્ય પણ કલ્પના દુષ્ટ છે. ટીકા : न च तद्वचनाद-वेदवचनादेव, तदुभयभावो-धर्मादोषभाव इति, कुत इत्याह-तुल्यभणिते:= म्लेच्छवचनादेवैतदुभयमित्यपि वक्तुं शक्यत्वादित्यर्थः, अन्याऽपि कल्पना ब्राह्मणपरिगृहीतत्वादिरूपा एवम् उक्तवत् भिल्लपरिगृहीतत्वादिना प्रकारेण साधर्म्यवैधर्म्यतः कारणाद् दुष्टेति गाथार्थः ॥१२४५॥ ટીકાર્ય : અને તેના વચનથી=વેદના વચનથી જ, તે ઉભયનો ભાવ છે=ધર્મ અને અદોષનો ભાવ છે, એમ નહીં. કયા કારણથી? એથી કહે છે – તુલ્ય ભણિતિ છે=પ્લેચ્છોનું કથન પણ મીમાંસકોના કથનની સમાન છે. અને મ્લેચ્છોના તે સમાન કથનને જ સ્પષ્ટ કરે છે – પ્લેચ્છોના વચનથી જ આ ઉભય છે=ધર્મ અને અદોષ એ બંનેનો ભાવ છે, એમ પણ કહેવા માટે શક્યપણું છે. આ રીતે =કહેવાયેલાની જેમ ભિલપરિગૃહીતત્વ આદિ પ્રકારથી, સાધર્મના વૈધર્મરૂપ કારણથી બ્રાહ્મણ પરિગૃહીતત્વ આદિરૂપ અન્ય પણ કલ્પના દુષ્ટ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : | વેદને પ્રમાણ માનનારા મીમાંસકો કહે છે કે યજ્ઞમાં વેદવચનથી હિંસા કરાય છે, માટે તેમાં ધર્મ છે અને હિંસાથી થતા દોષનો અભાવ છે. તેને ગ્રંથકાર કહે છે કે આ પ્રકારનું મીમાંસકોનું કથન બરાબર નથી; કેમ કે મ્લેચ્છો પણ ચંડિકાદિ આગળ બ્રાહ્મણનો વધ સ્વેચ્છવચનથી જ કરે છે, માટે તેમાં ધર્મ છે અને હિંસાથી થતા દોષનો અભાવ છે એમ પણ કહી શકાય છે. માટે વેદવચનથી અને સ્વેચ્છવચનથી થતી હિંસામાં ધર્મ છે અને અદોષ છે, એમ કહેવું ઉચિત નથી. વળી, આ વિષયમાં મીમાંસકો અન્ય કલ્પના કરે કે યાગીય હિંસા શિષ્ટ એવા બ્રાહ્મણોથી ગ્રહણ કરાયેલી હોવાને કારણે તેમાં દોષ નથી. તો તેને ગ્રંથકાર કહે છે કે ચંડિકાદિ આગળ કરાતી બ્રાહ્મણની હિંસા ભિલ્લોથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy