SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૪૪ ૧eo ગાથાર્થ : થથી પૂર્વપક્ષી કહે છે – ખરેખર દ્વિજપ્રવર્તક વચન વેદનો ભાગ છે, તેને ગ્રંથકાર કહે છે – પ્લેચ્છપ્રવર્તક વચન પણ દ્વિજપ્રવર્તક વચનની જેમ વેદનો ભાગ નથી, એમાં પણ કોઈ પ્રમાણ નથી. અથથી પૂર્વપક્ષી કહે છે - વેદમાં મ્લેચ્છપ્રવર્તક વચન સંભળાતું નથી એ પ્રમાણ છે. તેને ગ્રંથકાર કહે છે – પ્લેચ્છપ્રવર્તક વચન વેદમાંથી વિચ્છિન્ન થયેલા ભાગવાળું જ હોય, એ પણ સંભાવના કરી શકાય. ટીકા : __ अथ तद्वेदाङ्गं खलु द्विजप्रवर्तकमित्याशङ्क्याह-न तदपि म्लेच्छप्रवर्तकमेवमेव वेद इत्यत्राऽपि न मानं, अथ तत्र वेदेऽश्रवणमिदं मानं, न हि त दे श्रूयत इत्याशङ्क्याह-स्यादेतदुत्सन्नशाखमेव, एतदपि सम्भाव्यत इति गाथार्थः ॥१२४४॥ ટીકાર્ય : મથથી પૂર્વપક્ષી કહે છે – ખરેખર દ્વિજપ્રવર્તક એવું તે=વચન, વેદનું અંગ છે. એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – સ્વેચ્છપ્રવર્તક એવું તે પણ=વચન પણ, આ પ્રમાણે જ=જે પ્રમાણે દ્વિજપ્રવર્તક વચન વેદનું અંગ છે એ પ્રમાણે જ, વેદમાં નથી, એમાં પણ માન નથી=કોઈ પ્રમાણ નથી. અથથી પૂર્વપક્ષી કહે છે – ત્યાં=વેદમાં, અશ્રવણ=પ્લેચ્છપ્રવર્તક વચનનું અશ્રવણ, આ છે=માન છે; જે કારણથી તે=જ્યુચ્છપ્રવર્તક વચન, વેદમાં સંભળાતું નથી. આ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – આ ઉત્સત્ર શાખાવાળું જ હોય=શ્લેચ્છપ્રવર્તક વચન વેદમાંથી ઉચ્છેદ પામેલા ભાગવાળું જ હોય, એ પણ સંભાવના કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : * પૂર્વપક્ષી કહે કે વૈદિકો યાગમાં જે હિંસા કરે છે, તેમાં વેદનું અંગભૂત વચન પ્રવર્તક છે; જ્યારે મ્લેચ્છો ચંડિકા દેવી વગેરે આગળ જે શ્રેષ્ઠ બ્રાહ્મણનો ઘાત કરે છે, તેમાં વેદનું અંગભૂત વચન પ્રવર્તક નથી. માટે વૈદિકો દ્વારા કરાતી હિંસામાં દોષ નથી અને મ્લેચ્છો દ્વારા કરાતી હિંસામાં દોષ છે, તેને ગ્રંથકાર કહે છે – સ્વેચ્છપ્રવર્તક વચન પણ વેદમાં નથી એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, કેમ કે વેદમાં જેમ પશુની હિંસા કરવાનું કહે તેવું અનુપપત્તિવાળું વચન છે, તેમ ચંડિકા આદિ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો વધ કરવાનું કહે તેવું અનુપપત્તિવાળું વચન વેદમાં નથી, એમ કહી શકાય નહીં. - ત્યાં પૂર્વપક્ષી કહે કે વેદમાં ચંડિકા આદિ આગળ બ્રાહ્મણનો ઘાત કરવાનું કહેનારું વચન સંભળાતું નથી, માટે સ્વેચ્છપ્રવર્તક વચનને પ્રમાણભૂત કહી શકાય નહીં. તેને ગ્રંથકાર કહે છે કે ચંડિકાદિ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો ઘાત કરવાનું કહેનારું વચન વેદમાંથી વિચ્છિન્ન થયેલી શાખાવાળું હોય, તેવી સંભાવના કરી શકાય છે; કેમ કે યાગીય હિંસાને કહેનારું વચન જેવું અસંબદ્ધ છે, તેવું જ આ દ્વિજવરની હિંસાને કહેનારું વચન પણ અસંબદ્ધ છે. માટે વિચારક પુરુષ એવી સંભાવના કરી શકે કે વેદમાં જેમ સ્વર્ગપ્રાપ્તિ માટે યાગીય હિંસાનું વિધાન છે, તેમ ચંડિકાદેવી આદિને પ્રસન્ન કરવા માટે દ્વિજવરના વધનું પણ વિધાન હોવું જોઈએ. ફક્ત યજ્ઞની હિંસાને કહેનારા વેદવચનની શાખા વર્તમાનના વેદમાં ઉપલબ્ધ છે, જ્યારે ચંડિકાદિ આગળ દ્વિજવરના ઘાતને કહેનારા વેદવચનની શાખા વર્તમાનના વેદમાંથી ઉચ્છેદ પામી છે. ૧૨૪૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy