SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૪૩-૧૨૪૪ ત્યાં પૂર્વપક્ષી કહે કે મ્લેચ્છો વચનથી હિંસા કરતા નથી, તો તેનું સમાધાન કરતાં ગ્રંથકારે ગાથા ૧૨૪૨માં સ્થાપન કર્યું કે મ્લેચ્છો પણ વચનથી જ હિંસા કરે છે. - હવે પૂર્વપક્ષી કહે કે મ્લેચ્છપ્રવર્તક વચન લોકમાં રૂઢ નથી, માટે મ્લેચ્છો વચનથી હિંસા કરે છે તેમ કહી શકાય નહીં. તેને ગ્રંથકાર કહે છે કે વેદવચન પણ ભિલ્લલોકમાં રૂઢ નથી, માટે વૈદિકો પણ વચનથી હિંસા કરે છે તેમ કહી શકાય નહીં. હવે પૂર્વપક્ષી તે સ્થાનને છોડીને અન્ય સ્થાનમાં દોષ આપતાં કહે છે – પ્લેચ્છોનું વચન થોડા લોકોને માન્ય છે અને અનુચિત છે. તેને ગ્રંથકાર કહે છે કે પ્લેચ્છોના મત પ્રમાણે વૈદિકોનું વચન પણ થોડા લોકોને માન્ય છે અને અનુચિત છે; કેમ કે મ્લેચ્છોનો આશય વૈદિકોના આશય કરતાં જુદો છે અર્થાત્ વૈદિકોનો આશય એવો છે કે, “સર્વ વૈદિકો વેદને પ્રમાણ માને છે, ફક્ત પ્લેચ્છો જ વેદને પ્રમાણ માનતા નથી; તેમ જ સ્વેચ્છવચનો સંસ્કૃત નથી, પરંતુ સર્વ વૈદિકોને માન્ય વચનો જ સંસ્કૃત છે.” વળી મ્લેચ્છોનો આશય એવો છે કે, “સર્વ પ્લેચ્છો વેદને પ્રમાણ માનતા નથી, ફક્ત વૈદિકો જ વેદને પ્રમાણ માને છે; તેમ જ વેદવચનો સંસ્કૃત નથી, પરંતુ સર્વ સ્વેચ્છાને માન્ય વચનો જ સંસ્કૃત છે.” આ રીતે મ્લેચ્છોનો આશયભેદ છે. ૧૨૪૩ અવતરણિકા : - પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે જો વેદવચનથી ધર્મ માટે કરાતી યાગીય હિંસામાં દોષ ન હોય, તો પ્લેચ્છ વચનથી કરાતા ચંડિકા આદિની આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણના ઘાતમાં પણ પ્લેચ્છોને ધર્મ અને અદોષ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. હવે આ જ કથનને પુષ્ટ કરવા માટે આ વિષયમાં પૂર્વપક્ષીનું કથન બતાવીને તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : अह तं वेअंगं खलु न तं पि एमेव एत्थ वि ण माणं । अह तत्थासवणमिणं सिएअमुच्छण्णसाहं तु ॥१२४४॥ અન્વયાર્થ : મદદ થી પૂર્વપક્ષી કહે છે – તે વસ્તુ ખરેખર તે=દ્વિજપ્રવર્તક વચન, વેડ વેદનું અંગ છે. (તેને ગ્રંથકાર કહે છે –) તે પિતે પણ સ્વેચ્છપ્રવર્તક વચન પણ, અમે આ પ્રમાણે જ જે પ્રમાણે દ્વિજપ્રવર્તક વચન વેદનું અંગ છે એ પ્રમાણે જ, ન=નથી, સ્થિ વિકએમાં પણ માપ =માન નથી=કોઈ પ્રમાણ નથી. મદદથી પૂર્વપક્ષી કહે છે – તત્વ ત્યાં વેદમાં, મસવ રૂપ અશ્રવણ આ છે=જ્યુચ્છપ્રવર્તક વચનનું અશ્રવણ એ પ્રમાણ છે. (તેને ગ્રંથકાર કહે છે –) આ સ્વેચ્છપ્રવર્તક વચન, ૩છ0Uflહંતુ સિક ઉત્સન્ન શાખાવાળું જ હોય વેદમાંથી વિચ્છિન્ન થયેલા ભાગવાળું જ હોય, (એ પણ સંભાવના કરી શકાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy