SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૪૩ અન્વયાર્થઃ અન્ન-અથથી પૂર્વપક્ષી કહે છે – સ્ત્ય-અહીં=લોકમાં, તા-તે=મ્લેચ્છપ્રવર્તક વચન, સ્વતં =રૂઢ નથી. (તેને ગ્રંથકાર કહે છે —) તત્વ=ત્યાં=ભિલ્લલોકમાં, અં પિ=આ પણ=વૈદિકવચન પણ, =નથી=રૂઢ નથી. (એથી) યં તુક્ષ્મવ-આ તુલ્ય જ છે–બેમાંથી એક વચનનું અરૂઢપણું વૈદિકલોકમાં અને ભિલ્લલોકમાં તુલ્ય જ છે. અત્ત-થથી પૂર્વપક્ષી કહે છે – તા-તે=મ્લેચ્છપ્રવર્તક વચન, થેö=સ્તોક છે=થોડા લોકોને માન્ય છે, અનુચિત્રં-અનુચિત છે. (તેને ગ્રંથકાર કહે છે –) તે×િ-તેઓને=મ્લેચ્છોને, રૂમ પિ-આ પણ=વૈદિકવચન પણ, જ્ઞતિં=આવા પ્રકારનું છે=થોડા લોકોને માન્ય છે અને અનુચિત છે. ગાથાર્થ: ગ્રંથથી પૂર્વપક્ષી ગ્રંથકારને કહે છે લોકમાં મ્લેચ્છપ્રવર્તક વચન રૂઢ નથી. તેને ગ્રંથકાર કહે છે – ભિલ્લલોકમાં વૈદિકવચન પણ રૂઢ નથી. આથી બંને વચનમાંથી એક વચનનું અરૂઢપણું વૈદિકલોકમાં અને ભિલ્લલોકમાં તુલ્ય જ છે. હવે ફરી પૂર્વપક્ષી થથી ગ્રંથકારને કહે છે મ્લેચ્છપ્રવર્તક વચન થોડા લોકોને માન્ય છે અને અનુચિત છે. તેને ગ્રંથકાર કહે છે મ્લેચ્છોને વૈદિક વચન પણ થોડા લોકોને માન્ય છે અને અનુચિત છે. - ટીકા - अथ तत्-म्लेच्छप्रवर्त्तकं वचनं नाऽत्र रूढं लोक, इत्याशङ्क्याह- एतदपि वैदिकं न तत्र = भिल्ललोके रूढमिति तुल्यमेव इदम् = अन्यतरारूढत्वम्, अथ तत् = म्लेच्छप्रवर्त्तकं स्तोकमनुचितम् = असंस्कृतमित्याशङ्क्याह-इदमपि-वैदिकं चोदनारूपमीदृशमेव = स्तोकादिधर्म्मकं तेषां म्लेच्छानामाशयभेदादिति -ગાથાર્થ: ॥૨૪॥ ૧૫ , ટીકાર્ય : અથથી પૂર્વપક્ષી કહે છે – તે=મ્લેચ્છપ્રવર્તક વચન, અહીં=લોકમાં, રૂઢ નથી. એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે —– ત્યાં=ભિલ્લલોકમાં, આ પણ–વૈદિક–વૈદિકવચન પણ, રૂઢ નથી. એથી આ=અન્યતરનું અરૂઢત્વ=મ્લેચ્છવચન કે વૈદિકવચન એ બેમાંથી એક વચનનું અરૂઢપણું, તુલ્ય જ છે–વૈદિકલોકમાં અને મ્લેચ્છલોકમાં સમાન જ છે. Jain Education International અથથી પૂર્વપક્ષી કહે છે – તે=મ્લેચ્છપ્રવર્તક=મ્લેચ્છોમાં પ્રવર્તનારું વચન, સ્તોક છે–થોડા લોકોને માન્ય છે, અનુચિત છે=અસંસ્કૃત છે. એ પ્રકારની આશંકા કરીને કહે છે – આ પણ=ચોદનારૂપ વૈદિક=યાગીય હિંસા કરવાની પ્રેરણા કરનારું વેદવચન પણ, આવા પ્રકારનું જ છે=સ્તોકાદિ ધર્મવાળું છે=થોડા લોકોને માન્ય છે અને અનુચિત છે; કેમ કે તેઓનો=મ્લેચ્છોનો, આશયભેદ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૨૪૧માં ગ્રંથકારે પૂર્વપક્ષીને આપત્તિ આપતાં કહ્યું કે, જો વેદવચનથી કરાતી હિંસાને અદુષ્ટ માનવામાં આવે તો, શ્રેષ્ઠ બ્રાહ્મણનો ઘાત કરનારા મ્લેચ્છોને પણ ધર્મ અને અદોષ માનવાનો પ્રસંગ આવે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy