SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / તવપરિજ્ઞા | ગાથા ૧૨૪૦-૧૨૪૧ ટીકાર્ય : અને રાગાદિથી વિરહિત સર્વજ્ઞ કોઈપણ પ્રમાતા વિશેષકારી નથી=મીમાંસકના મતમાં વિશેષનું કથન કરનાર નથી, જે આ પ્રમાણે જાણે – “વૈદિક જ પ્રમાણ છે, ઈતર નહીં વેદસંબંધી વચન જ પ્રમાણ છે, વેદવચનથી અન્ય વચન પ્રમાણ નથી.” અર્થાત્ આવું જાણનાર મીમાંસકોના મનમાં કોઈ નથી. કયા કારણથી? અર્થાતું મીમાંસકોના મતમાં વિશેષકારી કેમ કોઈ નથી ? એથી કહે છે – જે કારણથી પરપક્ષમાં=મીમાંસકના મતમાં, સર્વજ્ઞનો અનન્યુપગમ હોવાથી સામાન્યથી સર્વ જ પુરુષો રાગાદિથી યુક્ત જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મીમાંસકો સર્વજ્ઞ સ્વીકારતા નથી, તેથી તેઓના મત પ્રમાણે કોઈ પ્રમાતા રાગાદિથી રહિત સર્વજ્ઞ નથી. અને જે મતમાં કોઈ પ્રમાતા રાગાદિથી રહિત સર્વજ્ઞ ન હોય, તે મતમાં કોઈ પ્રમાતા પુરુષ નહીં દેખાતા વિશેષ પદાર્થોનું કથન કરી શકે નહીં; કેમ કે અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે, આમ છતાં મીમાંસકો વેદવચનને પ્રમાણભૂત કરીને યાગીય હિંસાના ફળરૂપે સ્વર્ગપ્રાપ્તિ કહે છે, તેથી તેઓનું કથન મૂઢ લોકોએ સ્વીકારેલ છે એમ માનવું પડે; કેમ કે જેઓ રાગાદિવાળા હોય અને અસર્વજ્ઞ હોય, તેઓ પ્રત્યક્ષ નહીં દેખાતા એવા ભાગના ફળને જોઈ શકતા નથી, માટે તેઓના મત પ્રમાણે કોઈ સર્વજ્ઞ નહીં હોવાથી કોઈ પુરુષ યાગના ફળને જોનારો છે, એમ પણ સ્વીકારી શકાય નહીં, છતાં તેઓ યાગનું ફળ સ્વર્ગ કહે છે તે તેઓનો મૂઢભાવ છે, અને તેવા મૂઢોએ સ્વીકારેલું વચન પ્રમાણભૂત થઈ શકે નહીં. આથી આવા અપ્રમાણભૂત વચનથી ધર્માર્થે કરાતી હિંસા કર્મબંધરૂપ દોષપ્રાપ્તિનું કારણ બને છે. માટે વેદવચનને સમ્યગ્વચન કહી શકાય નહીં, એમ ગાથા ૧૨૩પ સાથે સંબંધ છે. અહીં “રાગાદિથી રહિત કોઈ પ્રમાતા વિશેષકારી નથી” એ કથનથી એ પ્રાપ્ત થાય કે, રાગ-દ્વેષ અને અજ્ઞાનથી રહિત પુરુષનું વચન વિશેષ પદાર્થોનો નિર્ણય કરનારું છે; જયારે મીમાંસકો સર્વજ્ઞને અને રાગાદિ રહિત પુરુષને નહીં સ્વીકારતા હોવાથી તેઓના મત પ્રમાણે, સંપૂર્ણ મોહથી રહિત કોઈ સર્વજ્ઞ પુરુષ નથી, તેથી ઇન્દ્રિયોથી દેખાતા ફળથી અતિરિક્ત એવા વિશેષ ફળને જોનારો કોઈ નથી, છતાં મીમાંસકો વેદવચનથી યાગીય હિંસાને સ્વીકારીને તેને સ્વર્ગનું કારણ કહે છે તે તેમનું વચન અસંબદ્ધ છે. ૧૨૪oll અવતરણિકા : दोषान्तरमाह - અવતરણિકાર્ય : દોષાંતરને કહે છે – ભાવાર્થ : અનુપપત્તિવાળા વચનમાત્રથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસાને અદુષ્ટ સ્વીકારવામાં આવે તો, વચનથી હિંસા કરનારા સંસારમોચકોને પણ ધર્મ અને અદોષ માનવાનો પ્રસંગ આવશે, એ રૂપ પ્રથમ દોષ ગાથા ૧૨૩૪માં ગ્રંથકારે પૂર્વપક્ષીને બતાવ્યો. હવે ગ્રંથકાર પૂર્વપક્ષીને બીજો દોષ બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy