SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૩૮-૧૨૩૯ બહુપણું, આ રીતે અગ્રાહારમાં છે એ રીતે, થતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ મધ્યદેશાદિના દૃષ્ટાંતથી સર્વ સ્થાનમાં ઘણાં લોકો વેદવચનનું પ્રામાણ્ય સ્વીકારે છે, થોડાં જ લોકો વેદવચનનું પ્રામાણ્ય સ્વીકારતા નથી, એમ સ્થાપન કર્યું, પરંતુ પૂર્વપક્ષીએ આપેલ તે મધ્યદેશાદિનું દૃષ્ટાંત વ્યભિચારી છે, માટે સાધ્યનું ગમક નથી. એ બતાવવા અર્થે ગ્રંથકાર વ્યભિચારી દૃષ્ટાંત બતાવે છે – ગામના અગ્ર=મુખ્ય પુરુષોને ભોજન કરાવવાનો પ્રસંગ હોય ત્યારે તે પ્રસંગમાં આમંત્રણથી ઘણાં બ્રાહ્મણો આવેલાં હોય છે, ક્યારેક કોઈક શૂદ્ર પણ આમંત્રણથી આવેલ હોય તેવું બને, માટે અગ્રાહાર જેવા પ્રસંગમાં બ્રાહ્મણો ઘણાં જોવા મળે છે અને શૂદ્રો ઓછાં જોવા મળે છે. પરંતુ અગ્રાહાર જેવા સ્થાનના બળથી ભિલોની પલ્લી વગેરે સર્વ સ્થાનોમાં પણ બ્રાહ્મણો ઘણાં છે અને શૂદ્રો થોડાં છે, એવો નિયમ બાંધી શકાય નહીં; કેમ કે ભિલ્લોની પલ્લી વગેરે સ્થાનોમાં શૂદ્રો ઘણાં જોવા મળે છે અને બ્રાહ્મણો થોડાં જોવા મળે છે. આ રીતે મધ્યદેશાદિ સ્થાનમાં વેદવચનને પ્રમાણ સ્વીકારનારા લોકો ઘણાં હોય અને પ્રમાણ નહીં સ્વીકારનારા લોકો ઓછાં હોય, એટલામાત્રથી અન્ય પણ સર્વ ક્ષેત્રોમાં વેદવચનને પ્રમાણ સ્વીકારનારા લોકો ઘણાં છે અને પ્રમાણ નહીં સ્વીકારનારા લોકો થોડાં છે, એવો નિયમ બાંધી શકાય નહીં. ૧૨૩૮ અવતરણિકા : उपपत्त्यन्तरमाह - અવતરણિતાર્થ : ઉપપત્તિઅંતરને કહે છે=ગાથા ૧૨૩૪થી ૧૨૩૮માં ગ્રંથકારે એક સંગતિ બતાવી, હવે અન્ય સંગતિને બતાવે છે – ભાવાર્થ : ગાથા ૧૨૩૫માં પૂર્વપક્ષીએ ગ્રંથકારને કહેલ કે સંસારમાંચકોનું વચન સમ્યગ્વચન નથી, માટે વચનથી હિંસા કરનારા તેઓને ધર્મનો અને અદોષનો પ્રસંગ આવશે નહીં ત્યારે ગ્રંથકારે પૂર્વપક્ષીને પૂછેલ કે વૈદિકોનું વચન સમ્યગ્વચન છે એમાં શું પ્રમાણ છે? તેના સમાધાનરૂપે પૂર્વપક્ષીએ કહેલ કે લોક જ પ્રમાણ છે. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનને સામે રાખીને ગ્રંથકારે ગાથા ૧૧૩થી ૧૧૩૮માં સ્થાપન કર્યું કે વેદવચનને સમ્યગ્વચન સ્વીકારવામાં પૂર્વપક્ષી લોકને પ્રમાણ કહે છે તે ઉપપન્ન થતું નથી. હવે વેદવચનને સમ્યગ્વચન સ્વીકારવામાં પૂર્વપક્ષી લોકને પ્રમાણ કહે છે, તે અન્ય કઈ રીતે ઉપપન્ન થતું નથી? તે દર્શાવવા માટે ગ્રંથકાર બીજી ઉપપત્તિ બતાવે છે – ગાથા : ण य बहुगाण वि एत्थं अविगाणं सोहणं ति निअमोऽयं । ण य णो थेवाणं पि हु मूढेअरभावजोएण ॥१२३९॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy