SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૩૦ ગાથા : किं तेसि दंसणेणं अप्पबहुत्तं जहित्थ तह चेव । सव्वत्थ समवसेअं णेवं वभिचारभावाओ ॥१२३७॥ અન્વયાર્થ : તેસિકતેઓના=સર્વ લોકોના, ચંvi લિંકદર્શન વડે શું ? જે રીતે રૂસ્થ અહીં=મધ્યદેશાદિમાં, મMવદુત્ત અલ્પબદુત્વ છે, તદવેવ=તે રીતે જ સવ્વસ્થ સર્વત્ર સમવયં-જાણવું અલ્પબદુત્વ જાણવું. (આ પ્રમાણે કહેતાં પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે –) પર્વ આ પ્રમાણે નથી=પૂર્વપક્ષી કહે છે એ પ્રમાણે બરાબર નથી; afમવારમાવામો કેમ કે વ્યભિચારનો ભાવ છે. ગાથાર્થ : | સર્વ લોકોના દર્શન વડે શું? જે રીતે મધ્યદેશાદિમાં અલ્પબદુત્વ છે, તે રીતે જ અન્ય ક્ષેત્રોમાં પણ અલ્પબદુત્વ જાણવું. આમ કહેતાં પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે – પૂર્વપક્ષી કહે છે એ પ્રમાણે બરાબર નથી; કેમ કે વ્યભિચારનો સદ્ભાવ છે. ટીકા? - किं तेषां सर्वेषां लोकानां दर्शनेन ?, अल्पबहुत्वं यथाऽत्र=मध्यदेशादौ वेदवचनप्रामाण्यं प्रति, तथैव सर्वत्र-क्षेत्रान्तरेष्वपि समवसेयं लोकत्वादिहेतुभ्यः, इत्याशङ्क्याह-नैवं, व्यभिचारभावात् कारणादिति માથાર્થ: ૨૨૩૭ ટીકાર્થ : તેઓના=સર્વ લોકોના, દર્શન વડે શું? જે રીતે અહીં મધ્યદેશાદિમાં, વેદવચનના પ્રામાણ્ય પ્રત્યે અલ્પબદુત્વ છે તે રીતે જ સર્વત્ર= ક્ષેત્રાંતોમાં પણ અન્ય ક્ષેત્રોમાં પણ, લોકત્વાદિ હેતુઓથી જાણવું=લોકોનું અલ્પબદુત્વ જાણવું. આ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – આ પ્રમાણે નથી=પૂર્વપક્ષી કહે છે એ પ્રમાણે લોકોનું અલ્પબદુત્વ નથી; કેમ કે વ્યભિચારનો ભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વેદવચનના પ્રામાણ્યમાં થોડાં લોકોનું જ વિમાન છે, એવી કલ્પના કરવામાં સર્વ લોકોના દર્શનની કોઈ આવશ્યકતા નથી, પરંતુ જેમ મધ્યદેશાદિમાં વેદવચનને પ્રમાણ સ્વીકારનાર લોકો ઘણાં છે અને પ્રમાણ નહીં સ્વીકારનાર લોકો થોડાં છે, તેમ અન્ય સર્વ ક્ષેત્રોમાં પણ વેદવચનને પ્રમાણ સ્વીકારનાર લોકો ઘણાં છે અને પ્રમાણ નહીં સ્વીકારનાર લોકો થોડાં છે એમ જાણવું; કેમ કે જેમ મધ્યદેશાદિના લોકોમાં લોકત્વ છે, વિચારકત્વ છે, માટે ઘણા લોકો વેદને પ્રમાણ માને છે; તેમ અન્ય ક્ષેત્રમાં રહેલા લોકોમાં પણ લોકત્વ અને વિચારકત્વ છે, માટે ઘણા લોકો વેદને પ્રમાણ માને છે તેમ માનવું જોઈએ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy