SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૩૬-૧૨૩૦ ગાથાર્થઃ અથથી પૂર્વપક્ષી કહે છે લોકનો પ્રમાણપણારૂપે પાઠ અભિમત જ છે. અને વેદવચનના અપ્રામાણ્યમાં વિગાન પણ થોડાં લોકોનું જ છે. તેને ગ્રંથકાર કહે છે · વેદવચનના અપ્રામાણ્યમાં થોડાં લોકોનું જ વિગાન છે એવી કલ્પના કરવામાં પણ પ્રમાણ નથી; કેમ કે સર્વ લોકોનું અદર્શન છે. - ટીકા ઃ अथ पाठोऽभिमत एव लोकस्य प्रमाणमध्ये, षण्णामुपलक्षणत्वात्, विगानमप्यत्र = वेदवचनाप्रामाण्ये स्तोकानामेव लोकानामित्येतदाशङ्क्याह- अत्राऽपि = एवं कल्पनायां न प्रमाणं, सर्वेषां लोकानामदर्शनाद् अल्पबहुत्वे निश्चयाभावादिति गाथार्थः ॥ १९३६॥ ટીકાર્ય ૧૫ 1 અથથી પૂર્વપક્ષી કહે છે – પ્રમાણની મધ્યમાં લોકનો પાઠ અભિમત જ છે; કેમ કે છનું ઉપલક્ષણપણું છે=છ પ્રકારના પ્રમાણ લોકરૂપ પ્રમાણનું ઉપલક્ષણ છે. અહીંવેદવચનના અપ્રમાણપણામાં, વિગાન પણ થોડાં જ લોકોનું છે. એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે - — અહીં પણ=આ પ્રકારની કલ્પનામાં પણ=વેદવચનના અપ્રામાણ્યમાં પણ થોડાં લોકોનું જ વિગાન છે એ પ્રકારની કલ્પના કરવામાં પણ, પ્રમાણ નથી; કેમ કે સર્વ લોકોનું અદર્શન હોવાથી અલ્પબહુત્વમાં નિશ્ચયનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: શાસ્ત્રમાં છ પ્રકારના પ્રમાણ પ્રસિદ્ધ છે અને ઉપલક્ષણથી લોકને પણ પ્રમાણ સ્વીકારવાનો પાઠ છે. માટે લોકના પ્રામાણ્યથી વેદવચનને સમ્યગ્વચનરૂપે સ્વીકારી શકાશે; અને વેદવચનના અપ્રામાણ્યના વિષયમાં થોડાં લોકો જ વિપરીત કહે છે, માટે થોડા લોકોના વિપરીત કથનમાત્રથી સર્વ લોકોને અભિમત એવા વેદવચનને અસમ્યગ્વચન તરીકે સ્વીકારી શકાય નહીં. આ પ્રમાણે કહેતાં પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે Jain Education International સર્વ લોકો સાક્ષાત્ દેખાતા નથી કે જેથી નક્કી થઈ શકે કે, વેદવચન થોડાં લોકોને માન્ય નથી અને ઘણાં લોકોને માન્ય છે. આથી લોકને પ્રમાણ સ્વીકારીએ તોપણ લોકરૂપ પ્રમાણના બળથી વેદવચનને સમ્યગ્વચન તરીકે સ્વીકારી શકાય નહિ. ૧૨૩૬॥ અવતરણિકા : પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે સર્વ લોકોનું અદર્શન હોવાથી વેદવચનના અપ્રામાણ્યમાં થોડાં લોકોનું જ વિગાન છે એ પ્રકારની કલ્પના કરવામાં પણ કોઈ પ્રમાણ નથી, તેનું સમાધાન કરતાં પૂર્વપક્ષી કહે છે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy