SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૩૫-૧૨૩૬ ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે, અનુપપત્તિવાળા વચનમાત્રથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી, એમ સ્વીકારવામાં આવે તો, પોતાના શાસ્ત્રવચનથી હિંસા કરનારા સંસારમોચકોને પણ ધર્મની અને હિંસાકૃત અદોષની પ્રાપ્તિ થાય. ત્યાં પૂર્વપક્ષી ગ્રંથકારને કહે કે, સંસારમાંચકોનું વચન સમ્યગ્વચન નથી, માટે વચનથી કરાતી હિંસાથી તેઓને ધર્મની અને અદોષની પ્રાપ્તિ થશે નહિ, પરંતુ અધર્મની જ પ્રાપ્તિ થશે. તેને ગ્રંથકાર કહે છે કે, વૈદિકવચન સમ્યગ્વચન છે, એમાં પ્રમાણ શું છે? જેથી તમે સંસારમાંચકોની હિંસાને ધર્મરૂપ માનતા નથી ? આમ કહીને ગ્રંથકારને એ સ્થાપન કરવું છે કે, જેમ સંસારમોચકોનું વચન અનુપપત્તિવાળું છે તેમ વૈદિકોનું વચન પણ અનુપપત્તિવાળું છે. માટે વચનથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી એમ કહી શકાય નહીં. અહીં પૂર્વપક્ષી કહે કે, વૈદિકવચન સમ્યગ્વચન છે એમાં લોક જ પ્રમાણ છે. તેને ગ્રંથકાર કહે છે કે, વૈદિકવચનને સમ્યમ્ સ્વીકારવામાં પૂર્વપક્ષી લોકને પ્રમાણ કહે છે એ યુક્ત નથી; કેમ કે પ્રમાણની છ સંખ્યા પ્રસિદ્ધ છે તેમાં લોકને પ્રમાણરૂપે સ્વીકારેલ નથી. વળી સર્વ લોકોએ એકવાક્યતાથી વેદવચનને પ્રમાણ સ્વીકારેલ નથી, પરંતુ વેદવચનને કેટલાક લોકો પ્રમાણ સ્વીકારે છે, કેટલાક લોકો પ્રમાણ સ્વીકારતા નથી. માટે વેદવચનને સમ્યમ્ સ્વીકારવામાં લોકને પ્રમાણ સ્વીકારીએ, તો તે લોકના બળથી પણ વેદવચન પ્રમાણભૂત સિદ્ધ થતું નથી. ll૧૨૩પા અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે પૂર્વપક્ષીને પ્રશ્ન કરેલ કે વૈદિકવચન સમ્યગ્વચન છે તેમાં શું પ્રમાણ? ત્યાં જવાબ આપતાં પૂર્વપક્ષીએ કહેલ કે લોક જ પ્રમાણ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારે કહેલ કે અપાઠ હોવાથી અને વિજ્ઞાન હોવાથી વૈદિકવચનને સમ્યગ્વચન સ્વીકારવામાં લોક પ્રમાણ બનતું નથી. તેનું સમાધાન કરવા અર્થે હવે પૂર્વપક્ષી ગાથાના પૂર્વાર્ધમાં કહે છે – ગાથા : अह पाढोऽभिमउ च्चिअ विगाणमवि एत्थ थोवगाणं तु । एत्थं पि णप्पमाणं सव्वेसिमदंसणाओ उ ॥१२३६॥ અન્વયાર્થ : મદમથથી પૂર્વપક્ષી કહે છે – પહો પાઠલોકનો પ્રમાણપણારૂપે પાઠ, મfમમ૩ બ્રિ=અભિમત જ છે. સ્થિ=અહીં વેદવચનના અપ્રામાણ્યમાં, વિIITમવિવિગાન પણ થોવIઈ તુસ્તકોનું જ છે થોડાં લોકોનું જ છે. (તેને ગ્રંથકાર કહે છે –) પત્થ પિકઅહીં પણ=વેદવચનના અપ્રામાણ્યમાં થોડાં લોકોનું જ વિજ્ઞાન છે એ પ્રકારની કલ્પનામાં પણ, માઈi [ પ્રમાણ નથી; જોહિં હંસUITો કેમ કે સર્વનું અદર્શન છે. * “1' પાદપૂર્તિમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy