SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા’ દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૩૫ ૧૬૩ ત્તિએમાં હિં માને ? શું માન છે? હાથથી પૂર્વપક્ષી કહે – તો ત્રિલોક જ (માન છે. તેને ગ્રંથકાર કહે છે –) પયં ત ન=આ તે પ્રમાણે નથી લોક જ માન છે એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન પૂર્વપક્ષી કહે છે તે પ્રમાણે નથી; મપાહી વિIC =કેમ કે અપાઠ છે=લોકનો પ્રમાણપણારૂપે અપાઠ છે, અને વિજ્ઞાન છેઃવેદવચન સમ્યગ્વચન છે એ પ્રકારના લોકના કથનમાં વિપરીત કથન છે. ગાથાર્થ : ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષીના મત પ્રમાણે થાય, સંસારમોચકોનું વચન સમ્યગુ વચન નથી. તેને ગ્રંથકાર કહે છે - વૈદિકોનું વચન સમ્યગુ વચન છે એમાં શું પ્રમાણ છે? તો પૂર્વપક્ષી કહે કે લોક જ પ્રમાણ છે. તેને ગ્રંથકાર કહે છે – લોક જ પ્રમાણ છે એવું પૂર્વપક્ષીનું કથન પૂર્વપક્ષી કહે છે તે પ્રમાણે નથી; કેમ કે લોકનો પ્રમાણપણારૂપે પાઠ નથી અને વેદવચન સમ્યગ્વચન છે એવા લોકના કથનમાં વિપરીત કથન છે. ટીકા : स्यात्-तत्-संसारमोचकवचनं न सम्यग्वचनमित्याशङ्क्याह-इतरत्-वैदिकं सम्यग् वचनमिति किं मानं ?, अथ लोक एव मानमित्याशङ्क्याह-नैतत्तथा, लोकस्य प्रमाणतया अपाठात्, प्रमाणमध्ये षट्सङ्ख्याविरोधात्, तथा विगानाच्च, न हि वेदवचनं प्रमाणमित्येकवाक्यता लोकस्येति गाथार्थः ટીકાર્ય થાય-પૂર્વપક્ષીના મતે થાય, તે=સંસારમોચકોનું વચન, સમ્યગુ વચન નથી. એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – ઈતર વૈદિક વેદસંબંધી વચન, સમ્યગુ વચન છે, એમાં શું માન છે=પ્રમાણ છે? ૩થથી પૂર્વપક્ષી કહે છે – લોક જ માન છે=પ્રમાણ છે. એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – આ તે પ્રમાણે નથી=પૂર્વપક્ષીએ કહ્યું કે લોક જ પ્રમાણ છે એ કથન પૂર્વપક્ષી કહે છે તે પ્રમાણે નથી; કેમ કે લોકનો પ્રમાણપણારૂપે અપાઠ છે. અહીં પ્રશ્ન થાય કે લોકનો પ્રમાણપણારૂપે અપાઠ છે એમ કઈ રીતે નક્કી થાય? એથી હેતુ કહે છે – પ્રમાણની મધ્યમાં છ સંખ્યાનો વિરોધ છેઃલોકને પ્રમાણ માનીએ તો શાસ્ત્રમાં જે છ પ્રકારના પ્રમાણ કહ્યા છે તેને બદલે સાત પ્રકારના પ્રમાણ થવાથી પ્રમાણની છ સંખ્યાનો વિરોધ પ્રાપ્ત થાય. અહીં પ્રશ્ન થાય કે છ પ્રમાણની જેમ લોકને પણ પ્રમાણ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી બીજો હેતુ કહે છે – અને તે પ્રકારે વિગાન છેઃવેદવચન સમ્યગ્વચન છે તે પ્રકારે સર્વ લોકો કહેતા નથી, કેટલાક લોકો વિપરીત કહે છે. તે વિમાન જ સ્પષ્ટ કરે છે – વેદવચન પ્રમાણ છે, એ પ્રકારે લોકની એકવાક્યતા નથી જ, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy