SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુને “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૩૪-૧૨૩૫ કયા કારણથી પૂર્વપક્ષીનું કથન એમ થતું નથી ? એથી કહે છે – - વચનથી તેઓના શાસ્ત્રવચનથી, હિંસાને કરનારા એવા સંસારમાંચકોને પણ ધર્મ અને અદોષનો પ્રસંગ છે=ધર્મનો પ્રસંગ છે અને અદોષનો પ્રસંગ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૨૯થી ૧૨૩૩માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે જિનવચનથી કે વેદવચનથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા અદુષ્ટ છે. તેને ગ્રંથકાર કહે છે કે આ કથન યુક્તિયુક્ત નથી. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવીય હિંસા પણ જિનવચનથી થાય છે અને ત્યાગીય હિંસા પણ વેદવચનથી થાય છે. માટે બંનેમાં ધર્મ માટે થતી હિંસા દુષ્ટ નથી. આ કથન યુક્તિયુક્ત નથી એમ કઈ રીતે કહી શકાય? એથી કહે છે – અનુપપત્તિવાળા વચનમાત્રથી પૂર્વપક્ષીનું કથન પૂર્વપક્ષી કહે છે એમ થતું નથી. આશય એ છે કે વેદવચન અનુપપત્તિવાળું છે અને જિનવચન ઉપપત્તિવાળું છે. આમ છતાં અનુપપત્તિવાળા વેદવચનનો આશ્રય કરીને ઉપપત્તિવાળા જિનવચનથી થતી દ્રવ્યસ્તવીય હિંસા જેવી યાગીય હિંસાને સ્થાપન કરવી ઉચિત નથી. અહીં કોઈ કહે કે બંનેની હિંસા વચનથી થતી હોવા છતાં વેદવચનથી થતી યાગીય હિંસા દ્રવ્યસ્તવીય હિંસા જેવી નથી એમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – જો અનુપપત્તિવાળા વચનમાત્રથી થતી યાગીય હિંસાને દ્રવ્યસ્તવીય હિંસા જેવી કહીએ તો સંસારમોચક મતવાળા પુરુષો પણ પોતાના શાસ્ત્રવચનથી હિંસા કરે છે, તેથી તેઓની પણ હિંસાને ધર્મ માનવાનો અને અદોષ માનવાનો પ્રસંગ આવે. આશય એ છે કે સંસારમોચક મતવાળા માને છે કે “દુઃખી જીવોને હણવા જોઈએ.” અને તે વચનથી તેઓ દુઃખી જીવોની હિંસા કરે છે, તેનાથી તેઓને ધર્મની પ્રાપ્તિ થવી જોઈએ અને હિંસાકૃત દોષના અભાવની પ્રાપ્તિ થવી જોઈએ; અને વૈદિકોને સંસારમોચકો દ્વારા કરાતી આ પ્રકારે હિંસાથી ધર્મ અને અદોષ માન્ય નથી. આથી વૈદિકોની માન્યતા અનુસાર જો દુઃખીઓને હણવા દ્વારા સંસારમોચકોને ધર્મના અભાવની અને અદોષના અભાવની પ્રાપ્તિ સ્વીકારીએ તો સંસારમોચકાદિના અનુપપત્તિવાળા વચનની જેમ અનુપપત્તિવાળા વચનમાત્રથી કરાતી યાગીય હિંસાને પણ દુષ્ટ સ્વીકારવી પડે. આ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. વળી, જિનવચન ઉપપત્તિવાળું અને વેદવચન અનુપપત્તિવાળું કઈ રીતે છે? તે ગ્રંથકાર આગળમાં સ્વયં જ સ્પષ્ટ કરશે. ./૧૨૩૪ો. ગાથા : सिअ तं न सम्मवयणं इअरं सम्मवयणं ति किं माणं? । अह लोगो च्चिअ नेअंतहा अपाढा विगाणा य ॥१२३५॥ અન્વયાર્થ : સિ૩ =થાય ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષીના મત પ્રમાણે થાય, તંત્રત=સંસારમોચકોનું વચન, સમવયdi ન=સમ્યગૂ વચન નથી. (તેને ગ્રંથકાર કહે છે –) રૂમ-ઇતર=વૈદિકોનું વચન, સમવયસમ્યગ્વચન છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy