SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૩૪ ગાથાઃ एपि न जुत्तिखमं ण वयणमित्ताउ होइ एवमिअं । संसारमोअगाण व धम्मादोसप्पसंगाओ ॥१२३४॥ અન્વયાર્થઃ ri પિ=આ પણ=પૂર્વપક્ષીએ ગાથા ૧૨૨૯થી ૧૨૩૩માં સ્થાપન કર્યું કે સામાન્યરૂપે વચન હોવાથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી એ કથન પણ, ગુત્તિભ્રમ ન-યુક્તિક્ષમ નથી. (કેમ યુક્તિક્ષમ નથી ? એથી કહે છે –) વયમિત્તાs=વચનમાત્રથી=અનુપપત્તિવાળા વચનમાત્રથી, ફર્યાં વં ન હો=આ આમ થતું નથી=પૂર્વપક્ષીએ પૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યસ્તવીય હિંસા સદશ યાગીય હિંસા છે એ કથન, પૂર્વપક્ષી કહે છે એમ થતું નથી; સંસારમોઅશાળ વિ ધમ્માનોસવ્વસંગાઓ-કેમ કે સંસા૨મોચકોને પણ ધર્મ અને અદોષનો પ્રસંગ છે. ગાથાર્થ: - પૂર્વપક્ષીએ ગાથા ૧૨૨૯થી ૧૨૩૩માં કહ્યું કે સામાન્યરૂપે વચન હોવાથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી એ કથન પણ, યુક્તિયુક્ત નથી. કેમ યુક્તિયુક્ત નથી ? એ સ્પષ્ટ કરે છે અસંગતિવાળા વચનમાત્રથી પૂર્વપક્ષીનું કથન પૂર્વપક્ષી કહે છે એમ થતું નથી; કેમ કે સંસારમોચકોને પણ ધર્મનો અને અદોષનો પ્રસંગ છે. ટીકા ૧૬૧ एतदपि न युक्तिक्षमं यदुक्तं परेण, कुत इत्याह-न वचनमात्रादनुपपत्तिकाद् भवत्येवमेतत् सर्वमेव, कुत इत्याह-संसारमोचकानामपि वचनाद्धिंसाकारिणां धर्म्मादोषप्रसङ्गात्-धर्म्मप्रसङ्गात् अदोषप्रसङ्गाच्चेति ગાથાર્થ: ૫૬૨૩૪ા * ‘“તરપિ’માં ‘પિ’થી એ સમુચ્ચય કરવો છે કે, “દ્રવ્યસ્તવમાં ધર્મ માટે કરાતી હિંસા દોષકારી નથી એમ સ્થિત થયે છતે યાગમાં ધર્મ માટે કરાતી હિંસા ઇચ્છાતી નથી એ તમારો વ્યામોહ છે.” એ પ્રકારનું ગાથા ૧૨૨૯નું પૂર્વપક્ષીનું કથન તો યુક્તિક્ષમ નથી; પરંતુ “વચનથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી.” એ પ્રકારનું ગાથા ૧૨૨૯થી ૧૨૩૩માં ફલિત થયેલ પૂર્વપક્ષીનું કથન પણ યુક્તિક્ષમ નથી. * ‘સંસારમોચવાનામપિ''માં ‘પિ’થી એ જણાવવું છે કે વચનથી વેદવિહિત હિંસા કરનારને ધર્મનો અને અદોષનો સ્વીકાર થાય તો વચનથી હિંસા કરનારા સંસારમોચકોને પણ ધર્મનો અને અદોષનો પ્રસંગ છે. ટીકાર્ય પર વડે જે કહેવાયું એ પણ યુક્તિક્ષમ નથી=પૂર્વપક્ષી વડે ગાથા ૧૨૨૯થી ૧૨૩૩માં કહેવાયું કે વચન હોવાથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા અદુષ્ટ છે એ કથન પણ યુક્તિયુક્ત નથી. કયા કારણથી યુક્તિક્ષમ નથી ? એથી કહે છે અનુપપત્તિક વચનમાત્રથી=અસંગતિવાળા વચનમાત્રથી, સર્વ જ આ આમ થતું નથી=પૂર્વપક્ષી કહે છે એ સર્વ જ કથન પૂર્વપક્ષી કહે છે એમ થતું નથી. Jain Education International - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy