SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ગાથાર્થઃ - ગ્રંથથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે દ્રવ્યસ્તવ કરતી વખતે જે જીવોની હિંસા થાય છે તે જીવો એકેન્દ્રિયાદિ છે. તેને પૂર્વપક્ષી કહે છે દ્રવ્યસ્તવકાળમાં જે જીવોની હિંસા થાય છે તે જીવોની અપેક્ષાએ ઇતર એવા યાગ કરતી વખતે જે જીવોની હિંસા થાય છે તે જીવો ઓછા છે. તે કારણથી દ્રવ્યસ્તવની હિંસા અને યાગની હિંસામાં ભેદના આગ્રહ વડે શું ? દ્રવ્યસ્તવ કરવાનું જિનવચન હોવાથી અને યાગ કરવાનું વેદવચન હોવાથી ધર્મ માટે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી. ટીકાઃ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૩૩-૧૨૩૪ एकेन्द्रियादयोऽथ ते जिनभवनादौ हिंस्यन्त इत्याशङ्क्याह- इतरे स्तोका इति वेदात् यागे हिंस्यन्ते, तत्किमेतेन-भेदाभिनिवेशेन ? धम्र्म्मार्थं सर्वैव सामान्येन वचनाद् एषा = हिंसा न दुष्टेति गाथार्थः ॥१२३३॥ ટીકાર્યઃ અથથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે – જિનભવનાદિમાં હણાય છે=જે જીવોની હિંસા થાય છે, તેઓ એકેન્દ્રિયાદિ છે. આ પ્રકારની આશંકા કરીને પૂર્વપક્ષી કહે છે — ઇતરોવેદથી યાગમાં હણાય છે=જે જીવોની હિંસા થાય છે તે જીવો, સ્તોક છે=જનભવનાદિમાં હણાતા જીવોની અપેક્ષાએ થોડા છે. તે કારણથી આના વડે=ભેદના અભિનિવેશ વડે=બંને પ્રકારની હિંસામાં ભેદ પાડવાના આગ્રહ વડે, શું ? - આનાથી શું ફલિત થાય ? એ સ્પષ્ટ કરે છે – સામાન્યરૂપે વચન હોવાથી=ધર્મ માટે દ્રવ્યસ્તવ કરવાનું અને ધર્મ માટે યાગ કરવાનું સમાનપણારૂપે વચન હોવાથી, ધર્મ અર્થે સર્વ જ આ=હિંસા, દુષ્ટ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: હવે જૈનદર્શનના પક્ષપાતવાળા કોઈ પુરુષ પૂર્વપક્ષીને કહે કે જિનભવનનિર્માણ આદિમાં જેઓની હિંસા થાય છે તે જીવો એકેન્દ્રિય, બેઈન્દ્રિયાદિ છે, જ્યારે યાગમાં જેઓની હિંસા થાય છે તે જીવો પંચેન્દ્રિય છે. માટે યાગીય હિંસામાં દોષ છે અને દ્રવ્યસ્તવીય હિંસામાં દોષ નથી. અવતરણિકા : તેને પૂર્વપક્ષી કહે છે કે દ્રવ્યસ્તવમાં એકેન્દ્રિયાદિની પણ હિંસા ઘણી સંખ્યામાં થાય છે અને યાગમાં પંચેન્દ્રિયની હિંસા અલ્પ સંખ્યામાં થાય છે. આથી દ્રવ્યસ્તવમાં એકેન્દ્રિયાદિ જીવોની હિંસા થાય છે અને યાગમાં પંચેન્દ્રિય જીવોની હિંસા થાય છે, એ રૂપ ભેદનો આગ્રહ રાખવો ઉચિત નથી, પરંતુ બંનેમાં થતી હિંસા સામાન્યરૂપે શાસ્ત્રવચનથી થાય છે, માટે ધર્મ માટે કરાતી બધી જ હિંસા દુષ્ટ નથી એમ માનવું ઉચિત છે. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૧૨૩૩॥ एवं पूर्वपक्षमाशङ्क्याह Jain Education International અવતરણિકાર્ય આ પ્રકારે=ગાથા ૧૨૨૯થી ૧૨૩૩માં બતાવ્યું એ પ્રકારે, પૂર્વપક્ષની આશંકા કરીને તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે. - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy