SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અનુર્યોગગણાનજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૨૯-૧૨૩૦ ૧૫૫ ગાથાર્થ : સાદથી શંકા કરતાં પર કહે છે – પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ કરવાથી ભાવલેશ થાય છે અને તે ભાવલેશથી ઉપાર્જિત પુણ્યાનુબંધી પુણ્યથી ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે, એ રીતે ધર્મ માટે કરાતી હિંસા પણ દોષકારી નથી એમ નક્કી થયું. અને આમ નક્કી થવાથી ધર્મ માટે કરાતી હિંસાની વિચારણામાં વૈદિક શાસ્ત્રમાં વિધિરૂપે બતાવાયેલી હિંસા ઇચ્છતી નથી, એ વ્યામોહ છે. ટીકા : ___ आह-एवं द्रव्यस्तवविधाने हिंसाऽपि धर्माय क्रियमाणा न दोषकारिणीति स्थितं न्यायतः, तामन्तरेण द्रव्यस्तवाभावात्, ततः किमित्याह-एवं च स्थिते सति वेदविहिता यागविधाने नेष्यते सेह हिंसेति व्यामोहो भवतां, साधारणत्वादिति गाथार्थः ॥१२२९॥ ટીકાર્ય સાદથી પૂર્વપક્ષ શંકાનું ઉભાવન કરે છે – આ રીતે=પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવથી ભાવલેશ થવા દ્વારા ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે એ રીતે, વ્યસ્તવના વિધાનમાં=દ્રવ્યસ્તવ કરવામાં, ધર્મ માટે કરાતી હિંસા પણ દોષને કરનારી નથી, એ પ્રમાણે ન્યાયથી સ્થિત થયું; કેમ કે તેના વગરથી–હિંસા કર્યા વગર, દ્રવ્યસ્તવનો અભાવ છે. તેથી શું? એથી કહે છે – અને આ રીતે સ્થિત થયે છતે ધર્મ માટે કરાતી હિંસા દોષને કરનારી નથી એ રીતે નક્કી થયે છતે, અહીં=ધર્મ માટે કરાતી હિંસાની વિચારણામાં, યાગના વિધાનમાં યજ્ઞ કરવામાં, વેદવિહિત એવી=વૈદિક શાસ્ત્રમાં વિધાન કરાયેલી એવી, તે=હિંસા, ઇચ્છાતી નથી, એ તમારો વ્યામોહ છે; કેમ કે સાધારણપણું છે દ્રવ્યસ્તવના વિધાનમાં કરાતી હિંસાનું અને યાગના વિધાનમાં કરાતી હિંસાનું સમાનપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ ભાવવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે. એ રીતે દ્રવ્યસ્તવ કરતી વખતે ધર્મ માટે થતી હિંસા કર્મબંધરૂપ દોષનું કારણ નથી, એમ યુક્તિથી સિદ્ધ થયું; કેમ કે દ્રવ્યસ્તવ પુષ્પાદિ દ્વારા ભગવાનની ભક્તિ કરવા સ્વરૂપ છે. અને પુષ્પાદિથી થતી ક્રિયા હિંસાસ્વરૂપ છે. વળી ગ્રંથકારે આ પ્રમાણે યુક્તિથી સ્થાપન કર્યું, ત્યાં વૈદિક દર્શનની માન્યતાવાળા પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે જો ધર્મ માટે થતી હિંસા દોષરૂપ ન હોય તો “યાગ કરતી વખતે ધર્મ માટે થતી હિંસા દોષરૂપ છે' એ પ્રકારનું જૈનોનું વચન વ્યામોહવાળું છે; કેમ કે ધર્મ માટે થતી હિંસા દ્રવ્યસ્તવમાં અને યાગમાં સમાન છે. માટે જો જૈનશાસ્ત્રના વચનાનુસાર દ્રવ્યસ્તવમાં થતી હિંસા દોષરૂપ ન હોય તો વૈદિકશાસ્ત્રના વચનાનુસાર યજ્ઞમાં થતી હિંસા દોષરૂપ કહી શકાય નહીં. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૧૨૨લા. અવતરણિકા: પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવની અને યાગની હિંસા સમાન હોવાથી જો જૈનોને યાગીય હિંસા ધર્મરૂપે માન્ય ન હોય તો દ્રવ્યસ્તવીય હિંસા પણ ધર્મરૂપે માનવી જોઈએ નહીં. ત્યાં જૈનદર્શનના પક્ષપાતી કોઈ વ્યક્તિ તે પૂર્વપક્ષીને યાગીય હિંસામાં દોષ બતાવે તો તે દોષ પણ યાગીય હિંસાની જેમ દ્રવ્યસ્તવીય હિંસામાં સમાન છે. એમ પૂર્વપક્ષી ગાથા ૧૨૩૩ સુધી બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy